SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ કરાયું છે તે આ પ્રસ્તુત કૃતિને અંગેનું જણાય છે અને એમ હોય તો નરપતિ એ નરદેવના પુત્ર છે. અને એમણે આશાપલ્લી (આધુનિક અમદાવાદ)માં પ્રસ્તુત કૃતિ રચી છે. આમુખ (પૃ. ૩૪-૩૫)માં જે અવતરણરૂપે સાત પદ્યો અપાયાં છે તે નરપતિજયચર્યાનાં હોય એમ જણાય છે. એમાં બ્રહ્મ-યામલ વગેરે સાત યામનો ઉલ્લેખ છે અને એ વગેરેનો પ્રસ્તુત કૃતિમાં ઉપયોગ કરાયાનો ઉલ્લેખ છે. શુકન-રસ્ય (લ. વિ. સં. ૧૨૫૦)-આના કર્તા ‘વાયડ' ગચ્છના જિનદત્તસૂરિ છે. તેઓ અમરચન્દ્રસૂરિના અને અરિસિંહના ગુરુ થાય છે. એમણે વિવેકવિલાસ વિ. સં. ૧૨૭૦ના અરસામાં રચ્યો છે. પ્રસ્તુત કૃતિ પદ્યમાં છે અને એ નવ પ્રસ્તાવમાં વિભક્ત છે. વિષય- પ્રારંભમાં મંગલાચરણ છે. ત્યાર બાદ સંતાનના જન્મ, લગ્ન અને શયન સંબંધી શુકનો, પ્રભાતે જાગતી વેળાનાં, દાતણ અને સ્નાન કરતી વખતનાં, પરદેશ જતી વેળાનાં અને નગરમાં પ્રવેશ કરતી વેળાનાં શુકનો, વરસાદ સંબંધી પરીક્ષા, વસ્તુના મૂલ્યમાં વધઘટ, ઘર બાંધવા માટેની જમીનની પરીક્ષા, જમીન ખોદતાં નીકળતી વસ્તુઓનાં ફળ, સ્ત્રીને ગર્ભ નહિ રહેવાનાં કારણ, સંતાનોના અપમૃત્યુની ચર્ચા, મોતી, હીરા વગેરે રત્નોના પ્રકાર અનુસાર તેનાં શુભાશુભ ફળ અને ગ્રંથકારની પ્રશસ્તિ એમ વિવિધ બાબતો આલેખાઈ છે. આધાર- ‘શ્રુતકેવલી” સમન્તભદ્ર રચેલા લોકકલ્પના આધારે આ પ્રસ્તુત કૃતિ યોજાઈ છે એમ પ્રશસ્તિમાં ઉલ્લેખ છે. શકુનશાસ્ત્ર યાને શાકુનસારોદ્વાર (વિ. સં. ૧૩૩૮) – આના કર્તા માણિજ્યસૂરિ છે. એમણે આ કૃતિ ૧૧ વિભાગોમાં વિભક્ત કરી છે. એમાં ૫૦૭ શ્લોક છે. એની રચના વિ. સં. ૧૩૩૮માં કરાઈ છે. આની વિવિધ હાથપોથીઓ મળે છે. શકુનશાસ્ત્ર સંબંધી આ ઉપરાંત કેટલીક કૃતિ નીચે મુજબ છે : શકુનદીપિકા- આ સ્વતંત્ર કૃતિ છે કે કોઈ કૃતિની વૃત્તિ છે તેમજ આના કર્તા જૈન છે કે કેમ એ પ્રશ્નો વિચારવાના રહે છે. P ૨૧૮ શકુનપ્રદીપ– આના કર્તા લાવણ્યશર્મા છે. શું એઓ જૈન છે ? શકુનવિચાર- પત્તન સૂચી (ભા. ૧, પૃ. ૮)માં આમાંથી અવતરણ અપાયું છે. ૧. આનું ગુજરાતી ભાષાંતર હિરાલાલ વિ. હંસરાજે કર્યું છે અને એ શુકનશાસ્ત્રના નામથી જામનગરથી ઇ.સ. ૧૮૯૯માં એમણે પ્રકાશિત કર્યું છે. ૨. મૂળ સંસ્કૃત કૃતિ પ્રસિદ્ધ થઈ હોય તો તે હજી સુધી મારા જોવામાં આવી નથી. ૩. આ કૃતિ પં. દામોદર ગોવિન્દાચાર્યે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત બાલાભાઈ રાયચંદ અને દેવીદાસ છગનલાલ એ બે જણે મળીને વિ. સં. ૧૯૫૪માં પ્રસિદ્ધ કરી છે. ૪. આને અંગે મેં મોતીઃ શકનિયાં અને અપશુકનિયા” નામનો લેખ લખ્યો છે. એ હવે પછી પ્રસિદ્ધ થનાર છે. ૫. આના ૬૧ પ્રકારનાં ફળ મેં “હીરો કેવો લેશો ?” એ નામના મારા લેખમાં દર્શાવ્યાં છે. એ લેખ “હિંદ મિલન મંદિર” (વ. ૮, અં. ૧૧, પૃ. પ૩૦-૫૩૪)માં પ્રસિદ્ધ થયો છે. ૬. આ કૃતિ હીરાલાલ હંસરાજે ઈ. સ. ૧૯૧૭માં છપાવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy