SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ તકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૧૭-૨૧૯] ૧૩૩ શકુનસપ્તત્રિશિકા- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. શકુનરત્નાવલિ યાને કથાકોશ- આના કર્તા અભયદેવના શિષ્ય વર્ધમાન છે. શકુનાવલિ યાને બીજકૌસ્તુભ- આના કર્તા મહર્ષિ ગૌતમ છે. શકુનાવલિ નામની બીજી બે કૃતિ છે. એકના કર્તા હમચન્દ્ર છે અને બીજાના કર્તાનું નામ જાણવામાં નથી. આમ શકુન-શાસ્ત્ર સંબંધી વિવિધ કૃતિઓ છે. આજકાલ શુકન જોવાની પદ્ધતિ લુપ્તપ્રાય થયેલી જોવાય છે. બાકી એક વેળા એનો ખૂબ પ્રચાર હશે એમ “શનો ઇશ્કનાયક' અને લોકગીતમાંની નિમ્નલિખિત પંક્તિ જેવાં અવતરણો વિચારતાં જણાય છે : ડાબી તે ભૈરવ રોઈ રહી.” પંખીઓનો પરિચય, એના ભાવાભાવ અને અવાજ વગેરે બાબતો શકુન-શાસ્ત્રમાં વિચારાયેલી જોવાય છે. સ્વપ્ન-શાસ્ત્ર વસ્વપ્ન-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૨૨૦) – આના કર્તા જૈન ગૃહસ્થ જગદેવ છે. એઓ દુર્લભરાજના પુત્ર થાય છે. એ જગદેવે સામુદ્રિકતિલક રચ્યું છે. એમનું આ સ્વપ્ન-શાસ્ત્ર બે અધ્યાયમાં વિભક્ત છે. P ૨૧૯ આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ એનો વિષય સ્વપ્ન છે. પ્રથમ પ્રકરણમાં શુભ સ્વપ્નો વિષે અને બીજામાં અશુભ સ્વપ્નો વિષે વિચાર કરાયો છે. સ્વપ્નસપ્તતિકાવૃત્તિ (વિ. સં. ૧૨૮૭)- જ. મ.માં કોઈએ સુમિણસત્તરિયા (સ્વપ્ન-સપ્રતિકા) રચી છે. એના ઉપર ખરતર’ ગચ્છના સર્વદેવસૂરિએ જેસલમેરમાં વિ. સં. ૧૨૮૭માં વૃત્તિ રચી છે. અને એ દ્વારા સ્વપ્નનો વિષય વિશદ બનાવ્યો છે. સ્વપ્ન-પ્રદીપ યાને પસ્વપ્ન-વિચાર– આના કર્તા વર્ધમાનસૂરિ છે. સ્વપ્નને અંગે અજ્ઞાતકર્તક કૃતિઓ નીચે મુજબ છે : સ્વપ્ન-ચિન્તામણિ, સ્વપ્ન-લક્ષણ, સ્વપ્ન-સુભાષિત, સ્વપ્નાધિકાર, સ્વપ્નાધ્યાય, સ્વપ્નાવલી અને સ્વપ્નાષ્ટકવિચાર. ૧. એને વિષે જાણવા જેવી બાબતો કઈ કઈ છે તે વિષય મેં “પક્ષીઓના પરિચયની પ્રવેશિકા” નામના મારા લેખમાં ચર્ચો છે. આ લેખ “ગુજરાતી”ના વિ. સં. ૨૦૦૮ના દીપોત્સવી અંકમાં તેમજ “ગુ. મિત્ર તથા ગુ. દ.”ના તા. ૧૭-૧૧-'-પરના અંકમાં પણ પ્રસિદ્ધ કરાયો છે. ૨. શિયાળની બોલી ઉપરથી ભવિષ્ય ભાખનારા ગામડાંઓમાં જોવાય છે. ૩. શું જગદેવે રચેલી સ્વપ્ન-ચિન્તામણિ નામની કૃતિ તે આ જ છે ? ૪. આને જ કેટલાક સ્વપ્ન-ચિત્તામણિ કહે છે. પ. જિનપાલગણિએ ૮૭૫ શ્લોક જેવડી જે પાઇય કૃતિ રચી છે એનું સંસ્કૃત નામ સ્વપ્ર-વિચાર છે. ૬. શું આના કર્તા જગદેવે છે ? ૭. આમાં ૨૧ શ્લોક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy