SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ શ્રુતસાગર કટ્ટર દિગંબર છે એટલું જ નહિ પરંતુ આવેશપૂર્ણ ગાળ દેનારા પણ છે. તીર્થકરની પ્રતિમા નહિ માનનારા ઉપર એમણે ખૂબ પ્રહાર કર્યા છે. એવાને એમણે ‘નાસ્તિક' કહ્યા છે અને એમને વિષ્ટાથી લિપ્ત જોડા મારે તો એ પાપ નથી એવા આક્રોશ-વચનો ઉચ્ચાર્યા છે.' શ્રુતસાગરે વ્રતકથાકોશ રચ્યો છે. વળી એમણે નાનકડી શ્રુતસંઘપૂજા રચી છે. બાકી એમની P ૪૪ સુપ્રસિદ્ધ કૃતિઓ મુખ્યતયા વિવરણરૂપ છે અને એમાં મૂળ ગ્રંથાકારને ન અનુસંરતાં પોતાની ગાંઠની વાત પણ એમણે કેટલીક વાર ઉમેરી છે. આ કૃતિઓ યાને વિવરણો નીચે મુજબ છે : એકીભાવ સ્તોત્રટીકા (આ ટીકાની એક હાથપોથી ભાં. પ્રા. સા. પં.માં છે.) જિનસહસ્ત્રનામ-ટીકા, "તત્ત્વત્ર પ્રકાશિકા, તત્ત્વાર્થવૃત્તિ, મહાભિષેક-ટીકા અને યશસ્તિલક-ચંદ્રિકા અને પહ્મભૂત ટીકા શ્રુતસાગર વિક્રમની સોળમી સદીમાં થયા છે, કેમકે મહાભિષેકની ટીકાની એક હાથપોથી વિ. સં. ૧૫૮૨માં લખાયેલી મળે છે. - ચિન્તામણિ-વ્યાકરણ (લ. વિ. સં. ૧૬૦૫)- આના કર્તા દિ, ભટ્ટારક શુભચન્દ્રસૂરિ છે. તેઓ મૂલ’ સંઘ, “સરસ્વતી’ ગચ્છ અને “બલાત્કાર' ગણના જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને વિજયકીર્તિના શિષ્ય થાય છે. એ શુભચન્દ્રસૂરિની શિષ્ય પરંપરાનો ક્રમ નીચે મુજબ છે : સુમતિકીર્તિ, ગુણકીર્તિ, વાદિભૂષણ, રામકીર્તિ, યશકીર્તિ, પદ્મનંદિ ઈત્યાદિ. P ૪૫ આ શુભચન્દ્રસૂરિને ઐવિદ્ય-વિદ્યાધર'ની તેમજ ‘પદ્ભાષા-કવિ-ચક્રવર્તીની પદવી હતી. એમણે સાહિત્યનાં વિવિધ અંગોનો અભ્યાસ કર્યો હતો. એમણે વિ. સં. ૧૬૦૮માં રચેલા પાંડવપુરાણની પ્રશસ્તિમાં પોતાની મૌલિક તેમજ વિવરણાત્મક અનેક કૃતિઓ ગણાવી છે :૧. જુઓ દિ. કુંદકુંદાચાર્યકૃત દંસણ-પાહુડ (ગા.૧)ની શ્રુતસાગરીય ટીકા તેમજ જૈ. સા. ઇ. (પૃ.૪૦૭) ૨. આમાં આકાશ-પંચમી, ચંદન-ષષ્ઠી, મુકુટ-સપ્તમી, અષ્ટાહ્નિકા ઈત્યાદિ વ્રતો સંબંધી કથાઓ છે. દેવેન્દ્રકીર્તિ, ધર્મચંદ્ર, મલ્લિષણ અને સકલકીર્તિ દ્વારા એકેક વ્રતકથાકોશ રચાયો છે. ૩. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૮). ૪. મૂળના કર્તા આશાધર છે. એમણે રચેલી ટીકા સંપૂર્ણપણે શ્રુતસાગરે અપનાવી છે. તેમ છતાં એ આશાધરનો ઉલ્લેખ જિનસહસ્ત્રનામ-ટીકામાં શ્રુતસાગરે કર્યો નથી. આવી હકીકત ત. સૂ.ની ટીકા માટે પણ જોવાય છે. એમાં સવાર્થસિદ્ધિ અપનાવાઇ છે. ૫. દિ. શુભચન્દ્રકૃત જ્ઞાનાર્ણવ યાને યોગપ્રદીપમાં જે ગદ્યાત્મક લખાણ છે તેની આ ટીકા છે. ૬. આ તા. સૂ. સહિત “ભારતીય જ્ઞાનપીઠ' તરફથી કાશીથી ઈ.સ. ૧૯૪૯માં પ્રકાશિત થઈ છે. ૭. આ આશાધરકૃત નિત્ય-મહોદ્યોતની ટીકા છે. ૮. શ્રુતસાગર દેશવ્રતી યાને બ્રહ્મચારી હતા તે સમયની આ રચના છે. ૯. આ યશસ્તિલક-ચંપની અપૂર્ણ ટીકા છે. પાંચમા આશ્વાસને અંગે થોડાક ભાગની તેમજ છઠ્ઠા આશ્વાસની ટીકા નથી. આ ટીકા સહિત મૂળ કૃતિ કાવ્યમાલામાં છપાયેલી છે. ૧૦. આ એમની છેલ્લી કૃતિ હોવાનું મનાય છે. ૧૧. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૨૮-૫૨૯) ૧૨. જુઓ કત્તિકેયાણુવેનાની શુભચંદ્રસૂરિએ વિ. સં. ૧૬૧૩માં રચેલી ટીકાની પુષ્મિકા. આ ટીકાની પ્રશસ્તિ જૈ. સા. ઈ. (પૃ. પર૮)માં છપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy