SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૩૯-૪૩] ૨૩ ૧૩૨૩માં અને મતાંતર પ્રમાણે ૧૩૦૪માં “સૂરિ' પદ મળ્યું હતું. ખરતર' ગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ચન્દ્રતિલકે વિ. સં. ૧૩૧૨માં જે અભયકુમારચરિત રચ્યું છે તેની પ્રશસ્તિમાં એમણે કોની કોની પાસે શેનો શેનો અભ્યાસ કર્યો હતો તે કહ્યું છે. એમ કરતી વેળા (જિનપતિસૂરિના શિષ્ય) સુરપ્રભ પાસે વિદ્યાનન્દ વ્યાકરણ પોતે ભણ્યા હતા એમ એમણે કહ્યું છે. આ ઉપરથી આ વ્યાકરણ વિ. સં. ૧૩૧૨ કરતાં તો અર્વાચીન નથી જ એમ ફલિત થાય છે. ઉપર્યુક્ત વ્યાકરણનો ઉલ્લેખ “સહસાવધાની' મુનિસુન્દરસૂરિએ ગુર્નાવલી (શ્લોક. ૧૭૧)માં P ૪૨ કર્યો છે. ત્યાં એમણે કહ્યું છે કે આમાં સૂત્રો થોડાં છે, પણ અર્થ ઘણો સંગ્રહાયો છે, અને એથી એ ‘સર્વોત્તમ' જણાય છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં કાતન્નોત્તર વ્યાકરણનાં સિદ્ધાનન્દ, વિજયાનન્દ અને વિદ્યાનન્દ એમ ત્રણ નામાંતરો અપાયાં છે. અહીં આના કર્તા તરીકે વિજયાનન્દ ઉર્ફે વિદ્યાનન્દસૂરિનો ઉલ્લેખ છે. વિશેષમાં આ વ્યાકરણ સમાસ-પ્રકરણ સુધી જ છે એમ અહીં કહ્યું છે. જેસલમેરમાં આની તાડપત્રીય પ્રતિઓ છે. પ્રો. પિટર્સને એમના ચોથા હેવાલમાં આ વ્યાકરણમાંથી અવતરણ આપ્યું છે. કાત– વ્યાકરણની મહત્તા વધારવા માટે વિજયાનને કાતન્નોત્તર નામની કૃતિ રચી છે અને એનું બીજું નામ વિદ્યાનન્દ છે એમ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૦૬)માં ઉલ્લેખ છે. જૈન-પુસ્તક-પ્રશસ્તિ-સંગ્રહ (પૃ. ૧૦૬)માં નીચે મુજબની પંક્તિ છે :"इति विजयानन्दविरचिते कातन्त्रोत्तरे विद्यानन्दापरनाम्नि तद्धितप्रकरणं समाप्तम् सं. १२०८॥" ઔદાર્ય-ચિન્તામણિ (લ. વિ. સં. ૧૫૭૫)- આ દિ, અશ્રુતસાગરે રચેલું વ્યાકરણ છે, જ્યારે કેટલાકને મતે આ એ વ્યાકરણ ઉપરની સ્વોપજ્ઞ વૃત્તિ છે. આ પાઇય ભાષાને અંગેનું છ અધ્યાયનું P ૪૩ વ્યાકરણ હૈમ વ્યાકરણ અને ત્રિવિક્રમકૃત વ્યાકરણ કરતાં મોટું છે. શ્રુતસાગર મૂલ સંઘ, સરસ્વતી ગચ્છ, બલાત્કાર ગણમાં થયા છે. તેઓ દિ. વિદ્યાનંદિના શિષ્ય થાય છે અને એમણે મલ્લિભૂષણને પોતાના ગુરુભાઈ કહ્યા છે. શ્રુતસાગરના એક શિષ્ય શ્રીચન્દ્ર વૈરાગ્યમણિમાલા રચી છે. આ શ્રુતસાગરને પોતાને માટે ખૂબ માન હશે, કેમકે એમણે પોતાને માટે નીચે મુજબનાં વિશેષણો વાપર્યા છે : ઉભયભાષાકવિચક્રવર્તી, કલિકાલ-ગૌતમ, કલિકાલસર્વજ્ઞ, તાર્કિક-શિરોમણિ, નવનવતિ-મહાવાદિવિજેતા, પરમાગમપ્રવીણ, વ્યાકરણ-કમલ-માર્તડ ઇત્યાદિ. ૧. આ ત્રણમાંથી એક પણ નામે આ વ્યાકરણની અહીં નોંધ નથી. ૨. આના પહેલા ત્રણ અધ્યાય પૂરતો વિભાગ વિજાગાપટ્ટમથી પ્રકાશિત થયેલો છે. જુઓ ABORI (Vol. XII, pp. 52-53) ૩. જૈ. સા. ઈ. (પૃ. ૪૧૨)માં બીજા અધ્યાયની પુષ્પિકા અપાયેલી છે. ૪. એમના પરિચય માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૬-૪૧૨) પ. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૯). ૬. એઓ દિ. પવનંદિના શિષ્ય અને ઉત્તરાધિકારી દિ. દેવેન્દ્રકીર્તિના ઉત્તરાધિકારી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy