SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ આ સંબંધમાં મારું કહેવું એ છે કે મલયગિરિસૂરિનું વ્યાકરણ મારી સામે નથી કે એમની વાત હું ચકાસી જોઉં, પણ એમ તો જરૂર ભાસે છે કે મલયગિરિસૂરિએ પોતે શબ્દાનુશાસન રચ્યા બાદ જે P ૪૦ ટીકાઓ રચી હોય તેમાં એમના જ વ્યાકરણનાં સૂત્રો હોય એ સ્વભાવિક ઘટના છે.' પ્રભાવ-મકીર્તિસૂરિએ કપ્પની ટીકાની ઉત્થાનિકા (અંશ ૧, પૃ. ૧૭૮)માં મલયગિરિસૂરિ માટે જે નિમ્નલિખિત વિશેષણ વાપર્યું છે એ ઉપરથી એમ લાગે છે કે સિ. હે.ના પ્રણયન પછી એનો પ્રચાર થયેલો હોવા છતાં વિદ્રમંડળમાં મલયગિરિસૂરિકૃત શબ્દાનુશાસનનો પ્રભાવ પડતો હતો : "शब्दानुशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटितमूर्तिभिः" વિષમપદવિવરણ-જૈ. ગ્રં. (પૃ. ૨૯૮)માં આ વિવરણની નોંધ છે. એની ૨૮ પત્રની એક હાથપોથી અમદાવાદના એક ભંડારમાં છે. પ્રેમલાભ વ્યાકરણ (વિ. સં. ૧૨૮૧)- આના કર્તા “અંચલ' ગચ્છના પ્રેમલાભ છે. એમણે આ કૃતિ વિ.સં. ૧૨૮૧માં ૨૨૨૩ શ્લોક જેવડી રચી છે. આનું નામ જોતાં એ વ્યાકરણ હોય એમ લાગે છે. એ વાત સાચી હોય તો પણ એ સ્વતંત્ર વ્યાકરણ છે કે સિ. હે. ઉપરથી યોજાયેલું વ્યાકરણ છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. [આ સ્વતંત્ર વ્યાકરણ છે. જૈ. સા. બુ. ઈ. ભા.-૫ પૃ. ૨૭] બાલબોધ વ્યાકરણ (વિ. સં. ૧૩૦૪)- જૈ. ગ્રં. (પૃ. ૨૯૭) પ્રમાણે આ વ્યાકરણ આઠ P ૪૧ અધ્યાયમાં ૨૭૫ શ્લોક જેવડું મેરૂતુંગે વિ. સં. ૧૩૦૪માં રચ્યું છે. અહીં કહ્યું છે કે એના ઉપર મેરૂતુંગે ૪૮૦ અને ૫૭૯ શ્લોક જેવડી એકેક વૃત્તિ રચી છે. તેમાં પ્રથમ વૃત્તિ છ પાદ પૂરતી છે. વળી એમણે ૨૧૧૮ શ્લોક જેવડું ચતુષ્ક-ટિપ્પન અને ૭૬૭ શ્લોક જેવડું કૂદ્રવૃત્તિ-ટિપ્પન રચ્યાં છે. આ ઉપરાંત ૧૭૩૪ શ્લોક જેવડી આખ્યાત-વૃત્તિ-ઢુંઢિકા અને ૨૨૯ શ્લોક જેવડી પ્રાકૃત-વૃત્તિ રચી છે. આ સાતેની હાથપોથી પાટણના ભંડારમાં હોવાનો અહીં ઉલ્લેખ છે. જિ. . કો. (ખંડ ૧, પૃ. ૨૮૨)માં કહ્યું છે કે આ બાલબોધ વ્યાકરણ તો કાતંત્ર વ્યાકરણ ઉપરની મેરૂતુંગની બાલાવબોધ વૃત્તિ હોવાનો સંભવ છે, પણ જૈ. ગ્રંટમાં આપેલો રચના-સમય અશક્ય છે. [વિશેષ માટે જુઓ “મેરૂતુંગ બાલાવબોધ વ્યાકરણ” લે. પ્રો. નારાયણ કંસારા. અનુસંધાન ૧૫.] વિદ્યાનન્દ વ્યાકરણ (ઉ. વિ. સં. ૧૩૧૨) - આ વ્યાકરણના કર્તા વિદ્યાનન્દ છે. આમ આ વ્યાકરણનું નામ પણ બુદ્ધિસાગરની જેમ એના પ્રણેતાના નામ ઉપરથી પડાયું છે. આ વિદ્યાનન્દ એ સંસારીપણામાં શ્રેષ્ઠી જિનચન્દ્રના પુત્ર વિરધવલ થાય અને “ભીમસિંહ એ એમના નાના ભાઈ થાય. વિરધવલે દેવેન્દ્રસૂરિ પાસે વિ.સં. ૧૩૦૨માં પોતાના લગ્નના પ્રસંગે દીક્ષા લીધી હતી. એમને વિ.સં. ૧. સર્વાર્થસિદ્ધિ માટે પણ હું આવું અનુમાન કરું છું અને એથી તો એમાં અષ્ટા. વગેરેનાં સૂત્રાદિ તેમજ પૂજ્યપાદનાં પોતાનાં સૂત્રો હોવાનો જે મત પં. નાથુરામ પ્રેમીએ જૈનેન્દ્ર વ્યાકરણ અંગેના લેખમાં (જૈ. સા. ઈ. પૃ. ૧૦૪માં) દર્શાવ્યો છે તેને હું આવકારતો નથી. ૨. આ હિસાબે આ વ્યાકરણનું નામ પણ બુદ્ધિસાગરની જેમ કર્તાના નામ ઉપરથી યોજાયું છે. ૩. જુઓ જૈ. ગ્રં. (પૃ. ૨૯૭). ૪. પ્રેમલાભ એ સ્વતંત્ર વ્યાકરણ જ હોય તો એનો પણ અહીં ઉલ્લેખ સમજવો ઘટે. પ. એમણે દીક્ષા લીધી ત્યારે એમનું નામ “ધર્મકીર્તિ રખાયું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy