SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન [13] ૧૩ આવા અનેક સ્થળેથી પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ કરી પ્રકાશિત કરવાનું આયોજન પં. જિતેન્દ્રકુમાર બી. શાહ (ડાયરેક્ટર લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર) એ ગોઠવ્યું છે. લગભગ ૫૦૦ જેટલા લેખો પાંચ વોલ્યુમમાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈ કૃતનિધિ દ્વારા પ્રકાશિત થવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રગટ થતાં શ્રી કાપડિયાનું દુર્લભ સાહિત્ય સુલભ થશે. પ્રસ્તુત સંસ્કરણ : જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ફોટો-ઝેરોક્ષ પદ્ધતિથી એમનો એમ પ્રગટ થયો છે. આ પાર્શ્વનાથ ની પરંપરા છે. તિહાસ અને જૈ. સા. બૃહદ્ ઇતિહાસ સાત ભાગોનું પણ સુધારા-વધારા વિના પુનર્મુદ્રણ જ થયું છે. જૈન પરંપરાનો ઇતિહાસ બીજી આવૃત્તિમાં પુનરુક્તિ દૂર કરી રાખી સંક્ષેપીકરણ કર્યું છે. ક્યાંક સામગ્રીનો સ્થળ-બદલો કરાયો છે. પણ નવી કોઈ વિગતો જોડવામાં આવી નથી. જ્યારે પ્રસ્તુત પ્રકાશનમાં અનેકવિધ સામગ્રી જોડવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દશકામાં વિપુલ પ્રમાણમાં સાહિત્યનું પ્રકાશન થયું છે. અનુસંધાન (એપ્રિલ-૨૦૦૩)ના અંકમાં આ. શીલચસૂરિ મ. સા. લખે છે કે સદ્રત વિદ્વાન પ્રા. હીરાલાલ રસીકદાસ કાપડિયાએ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” લખ્યો છે, તેમાં એક સ્વતંત્ર ગ્રન્થ લખીને ઉમેરવો પડે તેટલી કૃતિઓ તો તે પછી પ્રકાશમાં આવી ગઇ છે. અને પ્રકાશમાં ન આવેલી કૃતિઓનો જથ્થો તો હજી એવા કેટલા ગ્રન્થ માગશે તેની કલ્પના જ કરવી પડે. પ્રસ્તુત સંસ્કરણમાં નવા પ્રગટ થયેલા સંસ્કૃત સાહિત્યની મળે તેટલી વિગત મુકવા અમે પ્રયાસ કર્યો છે. કેટલાક પ્રકાશનોની વિગત ગ્રંથમાં તે તે ગ્રંથની વિગત હોય ત્યાં જ આપી છે. કેટલાકની પ્રકરણના છેડે આપી છે. આ વિગતોમાં આવતાં ગ્રંથ, ગ્રંથકાર, પ્રકાશક આદિ નામો તે તે પરિશિષ્ટમાં ઉમેરી દેવાયા છે. પૃષ્ઠાંકો વિષે : પ્રથમ સંસ્કરણનો આજ સુધી ઉપયોગ થતો રહ્યો છે. શ્રી હીરાભાઈએ પણ એમના અનેક ગ્રંથો લેખોમાં પ્રથમ સંસ્કરણના પેજ નંબરો આપ્યા છે. એટલે પ્રથમ સંસ્કરણના પેજ નંબર પણ આ દ્વિતીય સંસ્કરણમાં મળી શકે તે માટે દરેક પેજમાં P કરીને જુના સંસ્કરણના પેજ નંબર લખ્યા છે. આ સંસ્કરણના પેજ ૧ માં P ૧થી P ૨ પહેલાનું લખાણ જુના સંસ્કરણમાં ૧. પેજમાં છે. જે લીટી સામે P પછી જે અંક લખ્યો છે તે પંક્તિથી જુના સંસ્કરણનું તે પેજ શરૂ થાય છે. એમ સમજવું. આ ઉપરાંત એકી પેજના મથાળે હેડીંગમાં પણ પ્ર. આ. પછી જુના સંસ્કરણના કયાથી ક્યા પૃષ્ઠનું લખાણ આ પૃષ્ઠોમાં છે તે જણાવ્યું છે. જુના અને નવા સંસ્કરણના પૃષ્ઠોકોમાં ગેરસમજ ન થાય તે માટે અમે ત્રણ ભાગમાં સર્વત્ર જુના સંસ્કરણ માટે ૧, ૨, ૩ એમ ગુજરાતી અંકો અને નવા સંસ્કરણ વિષે 1, 2, 3 એ રીતે અંગ્રેજીમાં વપરાતા અંકો વાપર્યા છે. વાચકોએ આની ખાસ નોંધ લેવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy