SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાપ્ત રિદાસ કાપડિયા એક પરિચચ લે. રમણલાલ ચી. શાહ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા (ઈ.સ. ૧૮૯૪-૧૯૭૯) એટલે જૈન સાહિત્ય-સંશોધનના ક્ષેત્રે વીસમી સદીમાં થઈ ગયેલી એક વિરલ વિભૂતિ. જેમણે કૉલેજ કે યુનિવર્સિટીની કક્ષાએ પ્રાકૃતઅર્ધમાગધીનો વિષય નહોતો લીધો છતાં કૉલેજ અને યુનિવર્સિટીની કક્ષાએ એ વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું, જેઓ પોતે પી.એચ.ડી. થયા નહોતા છતાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા અને ડિ. લિ.ની ડિગ્રી માટે નિર્ણાયક (રેફરી) બન્યા હતા, જેમણે સિત્તેરથી વધુ ગ્રંથો અને એક હજારથી વધુ લેખો લખ્યા હતા, જેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન કે વિભાગીય પ્રમુખસ્થાન કે ઓરિએન્ટલ કોન્ફરન્સનું પ્રમુખસ્થાન કે પ્રાકૃત-અર્ધમાગધી વિભાગનું પ્રમુખસ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શક્યા હોત, પરંતુ માન-સત્કાર કે એવાં પદો માટે હંમેશાં નિઃસ્પૃહ અને અલિપ્ત રહ્યા હતા, તથા એ માટે ક્યારેય આયાસ કર્યો નહોતો કે આકાંક્ષા સેવી નહોતી, એવા પ્રો. હીરાલાલભાઈએ પોતાનું સમગ્ર જીવન સતત આર્થિક સંઘર્ષોની વચ્ચે વિદ્યાવ્યાસંગને માટે સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું હતું. માત્ર જૈન સાહિત્ય જ નહિ, ઈતર સાહિત્યનો અને સાહિત્યેતર વિષયોનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એમની પ્રતિભા એવી બહુમુખી હતી કે કોઈપણ વિષયમાં એમને અચૂક રસ પડે જ અને એવા વિષય પર પોતે ઉચ્ચસ્તરીય લેખ લખી શકે. એમનું સાહિત્ય વાંચતાં આશ્ચર્ય થાય કે અહો, એમણે કેટલા બધા વિષયોનું કેટલું બધું વાંચ્યું છે ! પાને પાને એમણે સંદર્ભો આપ્યા જ હોય. આટલું બધું એમણે ક્યારે વાંચ્યું હશે ? એવો પ્રશ્ન થાય. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો જાણે માહિતીનો સ્રોત વહેવા લાગે. એમાં પણ એમની ચીવટ અને ચોકસાઈ એટલી બધી કે આપણે એ માટે એમના ઉપર સંપૂર્ણપણે આધાર રાખી શકીએ. - હીરાલાલભાઈનો જન્મ ૨૮મી જુલાઈ ૧૮૯૪ના રોજ (વિ.સં. ૧૯૫૦ના અષાઢ વદ અગિયારસના દિવસે) સુરતમાં થયો હતો. એમના પિતાનું નામ રસિકદાસ અને માતાનું નામ ચંદાગૌરી હતું. તેઓ સુરતમાં ત્યારે નાણાવટમાં રહેતા હતા. રસિકદાસને પાંચ સંતાનો હતાં, ત્રણ દીકરા અને બે દીકરી. એમાં સૌથી મોટા તે હીરાલાલ. બીજા બે દીકરા તે મણિલાલ અને ખુશમનભાઈ. બે દીકરીઓ તે નયનસુખ અને શાન્તાબહેન. રસિકદાસના પાંચ સંતાનો બહુ તેજસ્વી હતાં. સદ્ભાગ્યે હીરાલાલભાઈની જન્મકુંડળી એમનાં સ્વજનો પાસેથી મળી છે. ભવિષ્યમાં કોઈને આ કુંડળીના આધારે એમના જીવનનો અભ્યાસ કરવો હોય તો તે ઉપયોગી થઈ શકે એ આશયથી એક દસ્તાવેજી માહિતી તરીકે આ કુંડળી અહીં આપી છે. હીરાલાલભાઈનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. ૨ (ભા-૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy