SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૭૭-૮૦] ૪૫ ન્યાસસારોદ્ધારટિપ્પણ– અજ્ઞાતકર્તુક કૃતિની વિ. સં. ૧૨૭૯માં લખાયેલી હાથપોથી મળે છે. પ્રાકૃતરૂપસિદ્ધિ-આને અંગે બૃ. ટિમાં એવો ઉલ્લેખ છે કે એ હૈમપ્રાકૃતબૃહવૃત્તિની અવસૂરિરૂપ છે. એના કર્તા “માલધારી’ પં. નરચંદ્ર છે અને એ અવચૂરિ ૧૬૦૦ શ્લોક જેવડી છે. પ્રાકૃતવૃત્તિડુંઢિકા, પ્રાકૃત દીપિકા કિંવા પ્રાકૃતપ્રબોધ–આ મલધારી' ગચ્છના ઉપા) નરચંદ્રની આઠમાં અધ્યાયની અવચૂરિ છે. ન્યાયકંદલીની ટીકામાં રાજશેખરે એનો ઉલ્લેખ કર્યો છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭)માં નોંધ છે. આ બંને ઉલ્લેખોનો વિચાર કરતાં આ કૃતિઓ અભિન્ન જણાય છે. P ૭૯ હૈમટુંઢિકા-આ નામની બે કૃતિ છે. એક કૃતિ ૮000 શ્લોક જેવડી છે અને કેટલાકને મને એ ૫OOO શ્લોક જેવડી છે. એ કૃતિ સૌભાગ્યસાગરે વિ. સં. ૧૫૯૧માં રચી છે. એ ચતુષ્ક, આખ્યાત, કૃત અને તદ્ધિત એ ચારને અંગેની છે. બીજી કૃતિ ૨૩00 શ્લોક જેવડી છે. એને જ કેટલાક હૈમટુંઢિકાવૃત્તિ કહે છે. એના કર્તા તરીકે ઉદયસૌભાગ્યનો ઉલ્લેખ જોવાય છે. પ્રાકૃતવૃત્તિડુંઢિકા યાને વ્યુત્પત્તિ-દીપિકા-આ બૃહત્ તપા' ગચ્છના સૌભાગ્યસાગરસૂરિના શિષ્ય હૃદયસૌભાગ્યની વિ. સં. ૧૫૯૧ની રચના છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં હૈમચતુર્થપાદવૃત્તિ તરીકે હૃદયસૌભાગ્યની જે કૃતિની નોંધ છે તે આ જ હોય એમ લાગે છે. પ્રાકૃતપદાવચૂરિ-આ ૭૩૮ શ્લોક જેવડી અવચૂરિ હરિપ્રભસૂરિએ રચી છે. પ્રાકૃતવૃત્તિદીપિકા યાને હૈમદીપિકા-આ ૧૫00 શ્લોક જેવડી કૃતિ દ્વિતીય હરિભદ્ર રચી છે. જે. ગ્રં. (પૃ. ૩OO)માં નોંધાયેલી હૈમદીપિકા તે આજ છે. દોધકવૃત્તિ-આ આઠમાં અધ્યાયની વૃત્તિ છે.' હૈમદોધકર્થ-આની ૧૩ પત્રની હાથપોથીની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે. દીપિકા-જિનસાગરની આ ૬૭૫૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે. અહીં એક અજ્ઞાતકર્તૃક દીપિકાનો પણ ઉલ્લેખ છે. અષ્ટાધ્યાયતૃતીયપદવૃત્તિ-આ વિનયસાગરસૂરિની રચના છે. P ૮૦ હૈમદશપાદવિશેષ અને હૈમદશપાદવિશેષાર્થ–આ બે કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૨૯૯)માં છે. પ્રક્રિયા-ગ્રન્થો પ્રક્રિયા-પ્રક્રિયારૂપ કૃતિ એ સાધનિકાને લક્ષીને મૂળ સૂત્રોના ક્રમમાં પરિવર્તન કરી એનું વિવરણ પૂરું પાડે છે. એ પ્રયોગો તૈયાર કરવામાં–સિદ્ધ કરવામાં સહાયક બને છે એ લાભ છે; પરંતુ સૂત્રોનો ક્રમ, એનું બલાબલ, ઉત્સર્ગ, અપવાદ, પ્રત્યયવાદ, સૂત્રો રચવાનાં પ્રયોજનો, એ રચનાને લગતા સૂક્ષ્મ ૧. આ વૃત્તિ પાટણની “હૈ. સ.” તરફથી છપાવાયેલી છે. [દોધકવ્યાખ્યાલેશ : કર્તા સુમતિરત્ન, અપ્રગટ છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy