SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ સિદ્ધહેમસરસ્વતી- આ. ધુરન્ધરસૂરિની આ પદ્યટીકા જૈન સાહિત્ય વ. સભાએ સં. ૨૦૨૦માં પ્રગટ કરી છે. P ૭૭ બૃહવ્યાસ ‘શબ્દમહાર્ણવ યાને તત્ત્વપ્રકાશિકાપ્રકાશ–“ન્યાસ'નો અર્થ થાપણ' થાય છે. એના બીજા પણ અનેક અર્થો છે, પરંતુ વ્યાકરણના ક્ષેત્રમાં એનો અર્થ વ્યાકરણના સૂત્રપાઠ જેવા અંગની વૃત્તિનું વિવરણ એમ થતો હોય એમ કેટલાક ન્યાસો જોતાં જણાય છે. ગમે તેમ પણ આવો પ્રયત્ન “કલિ.” હેમચન્દ્રસૂરિએ કર્યો છે. આ સૂરિએ સ્વપન્ન બૃહવૃત્તિને અંગે ન્યાસ રચ્યો છે. આ ન્યાસ અ. ૧-૭ પૂરતી સ્વોપન્ન બૃહવૃત્તિને તો સવાગે સ્પર્શે છે. વ્યાકરણને લગતા તમામ વિષયોને અહીં ચર્ચવામાં આવ્યા છે. પરંતુ કમનસીબે આ મહામૂલ્યશાળી ગ્રંથ સંપૂર્ણપણે સચવાઈ રહ્યો નથી. એનું પરિમાણ ૮૪000 શ્લોક જેવડું હોવાનું કહેવાય છે. તેમાંથી લગભગ ચોથા ભાગ જેટલો અંશ આજે મળે છે. પ્રથમ અધ્યાયના પ્રથમ પાદમાં ૪૨ સૂત્રો છે, પરંતુ આ બૃહવ્યાસ તો પહેલાં ૩૮ સૂત્ર સુધીનો જ મળે છે બાકીનાં ચારને અંગેનો મળતો નથી. આ અધ્યાયના બીજા પાકને અંગે સમૂળગો મળતો નથી. બાકીના બે પાદોને અંગે સંપૂર્ણપણે મળે છે. બીજા અધ્યાયના ચારે પાદો ઉપર પરિપૂર્ણ સ્વરૂપમાં મળે છે. આગળ જતાં ત્રીજા અધ્યાયના ચોથા પાદને અંગે અને પછી તો છેક સાતમા અધ્યાયના ત્રીજા પાકને અંગે આ ન્યાય મળે છે. આમ અધ્યાય ૪-૬ તો સર્વથા ન્યાસ વિનાના છે. બૃહવૃત્તિ આઠમા અધ્યાયને સ્પર્શતી રચાઈ હોય એમ જણાતું નથી એટલે એના વિવરણરૂપ બૃહસ્યાસ આઠમા અધ્યાયને અંગે રચાયો જ ન હોય તો એ સ્વાભાવિક છે. P ૭૮ લઘુ ન્યાસ – કલિ.’ હેમચન્દ્રસૂરિના બહુશ્રુત શિષ્ય “કવિકટારમલ્લ,’ સ્વાતપ્રિય અને પસો પ્રબંધના કર્તા રામચન્દ્રસૂરિએ ત્રેપન હજાર (૫૩000) શ્લોક જેવડો આ ન્યાસ રચ્યો છે. વળી ધર્મઘોષસૂરિએ નવ હજાર શ્લોક પૂરતો લઘુન્યાસ રચ્યો છે. કેટલાકને મતે “કલિ.' હેમચન્દ્રસૂરિએ જાતે લઘુ ન્યાસ રચ્યો છે. બૃહસ્થાસદુર્ગપદવ્યાખ્યા યાને ચાસસાર-સમુદ્ધાર કિંવા ન્યાસોદ્ધાર-ચંદ્ર ગચ્છના દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે જે ન્યાસ રચ્યો છે એ હેમચન્દ્રસૂરિકૃત બૃહસ્યાસના સંક્ષેપરૂપ છે. એથી એનું લઘુ ન્યાસ એવું નામ યોજાયું છે. કનકપ્રભે પોતે તો પ્રારંભમાં એને બૃહસ્યા દુર્ગપદ-વ્યાખ્યા તરીકે અને અંતમાં પ્રશસ્તિમાં ન્યાસસાર-સમુદ્ધાર તરીકે ઓળખાવ્યો છે. ૧. સિ. હે.ના પહેલાં ૩૮ સૂત્રો પૂરતો બૃહસ્યાસ એ સૂત્રો અને એની બૃહદ્રવૃત્તિ સહિત “હૈ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૧માં છપાવાયો ત્યાર બાદ શ્રીવિજયલાવણ્યસૂરિએ અ.૧, પા. ૧નાં છેલ્લાં ચાર સૂત્રો તેમજ બીજા પાદનાં તમામ સૂત્રો ઉપર વ્યાસ રચ્યો છે. એ સિ. હે. (અ. ૧) જે બ્રહવૃત્તિ વગેરે સહિત “જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી છપાયેલ છે તેમાં અપાયો છે. ૨, જિ. ૨. કો. (નં. ૧, પૃ. ૩૬૫)માં આનો મહાર્ણવ તરીકે પણ ઉલ્લેખ છે. ૩. બુ. ટિ ના સમયમાં પણ આટલો જ ન્યાસ મળતો હતો. ૪. વિ. સં. ૧૫૧૭માં ભોજપ્રબન્ધ રચનારા રત્નમંદિગણિએ ઉપદેશતરંગિણીના પ્રથમ તરંગ (પત્ર ૧૩)માં સિદ્ધરાજ જયસિંહે રામચન્દ્રસૂરિની શીધ્ર કાવ્ય-શક્તિથી પ્રસન્ન થઈ બિરુદ એમને આપ્યાનો ઉલ્લેખ છે. પ. જુઓ નાટ્યદર્પણને લગતું મારું લખાણ પૃ. ૧૮૧. ૬. આ લઘુન્યાસ બૃહવૃત્તિ અને સિ. હે. (અ. ૧-૭) સહિત શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી વિ. સં. ૧૯૬૨માં છપાવાયો છે. [આનું પુનઃ સંપાદન ૫. વજસેન વિ., મુનિરત્નસેન વિ. એ કર્યું છે. પુસ્તકાકારે ત્રણભાગમાં ભેરુમલ કનૈયાલાલ ટ્રસ્ટ મુંબઇથી પ્રસિદ્ધ છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy