SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ નિયમો વગેરે બાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી બુદ્ધિનો જે વિકાસ થાય તે લાભ આ પ્રક્રિયાથી ન થઈ શકે. એ માટે તો મૂળ પ્રણેતાએ જે ક્રમે સૂત્રો રચ્યાં હોય તે જ ક્રમે એનો અભ્યાસ થવો ઘટે. ૪૬ હૈમ-(લઘુ)-પ્રક્રિયા (વિ. સં. ૧૭૧૦)-આના કર્તા વિનયવિજયગણિ છે. એઓ સોમવિજય પાસે ભણ્યા હતા. એ સોમવિજય તે એમના દીક્ષા-ગુરુ ઉપા. કીર્તિવિજયના સંસારી અવસ્થાના સગા ભાઈ થતા હતા અને દીક્ષિત અવસ્થામાં ગુરુભાઈ થતા હતા એ વિનય-વિજયગણિના પિતાનું નામ તેજપાલ P૮૧ હતું અને એમની માતાનું નામ રાજશ્રી હતું. એઓ ‘વણિક’ જ્ઞાતિના હશે. એઓ વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં કાળધર્મ પામ્યા હતા. એમણે વિ. સં. ૧૬૯૬માં ૫જ્જોસવણાકપ્પ ઉપર સુબોધિકા નામની ટીકા સંસ્કૃતમાં રચી છે. એ વેળા એમની ઉમ્મર પાંત્રીસેક વર્ષની હશે.પ એ હિસાબે એમનો જન્મ વિ. સં. ૧૬૬૧માં થયેલો ગણાય. એમણે સંસ્કૃતમાં તેમજ ગુજરાતીમાં કૃતિઓ રચી છે. એ પૈકી સંસ્કૃત કૃતિઓ નીચે મુજબ છે : અર્હન્નમસ્કારસ્તોત્ર, આનંદલેખ, ઈન્દુન્દૂત, જિનસહસ્રનામસ્તોત્ર, નયકર્ણિકા, બ્લોકપ્રકાશ, 11શાન્તસુધારસ, પભ્રંશજ્જલ્પસંગ્રહ અને સુબોધિકા તેમજ આ હૈમલઘુપ્રક્રિયા અને એની સ્વોપજ્ઞ ટીકા. ૧. શ્રીવિજયદર્શનસૂરિજીના શિષ્ય મુનિશ્રી પ્રિયંકરવિજયજીના ટિપ્પણપૂર્વક આ પ્રક્રિયા વિ. સં. ૨૦૦૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એ આવૃત્તિને ‘‘શ્રીનેમિ-દર્શન-પ્રિયંકર-ગ્રંથ-રત્ન-૨' તરીકે ઓળખાવાઈ છે. આમાં ‘સંજ્ઞાધિકાર’ પછી પરિભાષા-પ્રકરણ સંપાદકે ઉમેર્યું છે અને પૃ. ૯માં એની નોંધ લેતાં એ બહુ ઉપયોગી હોવાથી તેમ કર્યાનો ઉલ્લેખ કર્યો છે. ૨. જુઓઃ લોકપ્રકાશ (સ. ૧)નું અંતિમ પદ્ય. ૩. જુઓ શાન્તસુધારસ (ભા. ૨)નું શ્રી મોતીચંદ ગિ. કાપડિયાનું વિવેચન (પૃ. ૩૯) ૪. આની દ્વિતીય આવૃત્તિ “દે. લા. જૈ. પુ. સં.’” તરફથી પેજજોસવણાકપ્ટ સહિત ઈ.સ. ૧૯૨૩માં છપાવાઈ છે. ૫. જુઓ શાન્તસુધારસ (ભા. ૨)નું ઉપર્યુક્ત વિવેચન (પૃ. ૪૮) ૬. આ કૃતિ દેશવિરતિ ધર્મારાધક સમાજ' તરફથી વિ. સં. ૧૯૯૩માં પ્રકાશિત શ્રીપ્રશસ્તિસંગ્રહમાં પૃ. ૯૬૧૧૯માં છપાવાઈ છે. એમાં વિવિધ બંધોથી વિભૂષિત પદ્યો છે. એ મારો જે લેખ નામે “Illustrations of Letter-diagrams” મુંબઈ વિદ્યાપીઠના સામયિકમાં કટકે કટકે છપાય છે તેમાં (Arts No. 30, pp. 127-128)માં અપાયાં છે. ૭. આ કાવ્ય “કાવ્યમાલા'' (ગુ. ૧૪)માં છપાયું છે. ૮. આ સ્તોત્ર ‘વીરસમાજ'' તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૮૧માં છપાવાયું છે. ૯. આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત શ્રી. મોહનલાલ દ. દેશાઈ દ્વારા ઈ.સ. ૧૯૧૦માં છપાવાઈ છે. ૧૦. આ ગ્રંથ દે. લા. જૈ. પુ. સં.' તરફથી ચાર ભાગમાં અનુક્રમે ઈ.સ. ૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૭માં પ્રકાશિત કરાયો છે. [પં. વજ્રસેનવિજયજીએ સંપાદિત કરેલ લો. પ્ર.ની ભદ્રંકર પ્રકાશન અમદાવાદથી બે આવૃત્તિ પ્રગટ થઇ છે.] ૧૧. આ કૃતિ ગંભીરવિજયગણિકૃત ટીકા સહિત ‘જૈન ધર્મ પ્રસારક સભા’ તરફથી વિ. સં. ૧૯૬૯માં પ્રસિદ્ધ કરાઈ છે. મોતીલાલ ગી. કાપડિયાના વિવેચન સાથે શા. સુ. મહાવીર વિદ્યાલય દ્વારા પ્રસિદ્ધ છે. મુનિશ્રી ધુરંધર વિ.ના સમ શ્લોકી અનુવાદ સાથે પણ કારસાહિત્યનિધિ દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.] Jain Education International : For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy