SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ [28] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ-૧ સંપાદન, સંશોધન, જીવનચરિત્ર, ઇતિહાસ, નિબંધ, કથા, સૂચિપત્ર ઇત્યાદિ પ્રકારનું પુષ્કળ લેખનકાર્ય કર્યું છે. એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, ભાષાવિજ્ઞાન, છન્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સંગીત, ગણિત, જ્યોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગમત, રીતરિવાજો, પર્વો, પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, સદાચાર વગેરે અનેક વિષયો ઉપર પોતાની કલમ ચલાવી છે અને એક હજારથી વધુ લેખો આપણને આપ્યા છે. એમના જમાનામાં ઝેરોક્ષની શોધ નહોતી થઈ અને કાર્બન કોપી કરવામાં વાર ઘણી લાગતી. એટલે પોતાના લેખો છાપવા માટે મોકલાવ્યા પછી, એની નકલ પોતાની પાસે રહેતી નહિ. એમના કેટલાયે લેખો છપાયા નથી અને પાછા આવ્યા પણ નથી. એમના છપાએલા લેખોની યાદી “હીરક-સાહિત્ય-વિહારમાં જે છપાઈ છે તેના ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે હીરાલાલભાઈ પાસે કેટકેટલા વિષયો પર અધિકૃત જાણકારી હતી. વિવિધ પ્રકારની માહિતીનો તેઓ જાણે ખજાનો ધરાવતા હતા. એમની સાથે કોઈપણ વિષયની વાત કરીએ તો કંઈક નવું જ જાણવા મળે. - હીરાલાલભાઈના ઘણા લેખો ‘ગુજરાત મિત્ર', “પ્રતાપ', “સાંજ વર્તમાન', વગેરે દૈનિકોમાં છપાયા છે. તદુપરાંત “જૈન ધર્મ-પ્રકાશ', “જૈન”, “જૈન-સત્ય-પ્રકાશ', “આત્માનંદ પ્રકાશ', “સિદ્ધચક્ર', ફાર્બસ ગુજરાતી ત્રિમાસિક, “ગુજરાતીમાં અને કેટલાંયે સામયિકોના દીપોત્સવી અંકોમાં છપાયા છે. હીરાલાલભાઈની લેખનપ્રસાદીનો પ્રારંભ, સંસ્કૃત ભાષામાં કાવ્યરચનાથી થયેલો. વિલસન કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક હતા ત્યારે ૧૯૨૦ થી ૧૯૨૩ના ગાળામાં કૉલેજના અર્ધવાર્ષિક મુખપાત્ર Wilsonianમાં એમનાં “પરીક્ષાપર્વ', ‘પદો વૈવિચ' ઇત્યાદિ નામના કાવ્યો સંસ્કૃતમાં છપાયેલાં છે. પચીસ વર્ષની ઉંમરે, સંસ્કૃત ભાષા પર તેઓ કેવું સરસ પ્રભુત્વ ધરાવતા હતા તેની પ્રતીતિ આ કાવ્યો કરાવે છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો જાણે એમની બીજી માતૃભાષા હોય એટલી સરસ રીતે તેઓ તેમાં લખી-બોલી શકતા. પાઇય (પ્રાકૃત) ભાષા માટે હીરાલાલભાઈનો પ્રેમ અનન્ય હતો. હીરાલાલભાઇએ ઇ. સ. ૧૯૩૮માં પ્રકાશિત કરેલ પોતાના પુસ્તક “પતંગપુરાણ યાને કનકવાની કથની' વાંચતાં આશ્ચર્યથી મુગ્ધ થઈ જવાય છે. જૈન શાસ્ત્રોના અભ્યાસી લેખક પતંગ જેવા ક્ષુલ્લક વિષય પર લખવા બેસે તો તેમાં પણ રસ લઈ કેટલા બધા ઓતપ્રોત થઈ શકે છે તે આ ગ્રંથ વાંચતાં જોવા મળે છે. એક નાનો નિબંધ કે લેખ લખી શકાય એવા વિષય પર એક સમર્થ સંશોધક લખવા પ્રવૃત્ત થાય તો કેટલીબધી નાની નાની વિગતોમાં કેટલા ઊંડા ઊતરી શકાય છે તે આ ગ્રંથમાં સાક્ષાત્ જોવા મળે છે. આ ગ્રંથના દોઢસોથી વધુ પેટાશીર્ષકો પરથી જ ખ્યાલ આવી શકે કે કેટકેટલી માહિતી આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. અનેક પાદનોંધો અને પરિશિષ્ટો સહિત લખાયેલો આ ગ્રંથ એ વિષયનો એક શોધપ્રબંધ બની રહે છે. પતંગ વિષે પોતાને લખવાનું કેમ મન થયું તે વિશે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે : “હું આજથી ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગણિત શીખતો હતો ત્યારે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોનો ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરવાનું મને મન થયું.” લેખકે જાતઅનુભવ પરથી તથા અન્યને પૂછીને પુષ્કળ માહિતી આ ગ્રંથમાં આપી છે. એ માહિતી મેળવવા માટે એમણે એ વિષયમાં ઠીક ઠીક વાંચી લીધું હતું અને અનેક લોકોને પૂછીને પણ માહિતી એકત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy