SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ : વ્યાકરણ : [પ્ર. આ. ૫૦-૫૩] આ જાતના ઔક્તિકોમાં ઉપર્યુક્ત બાલશિક્ષા અને કુલમંડન-સૂરિકૃત મુગ્ધાવબોધ ઔક્તિક એ બે કૃતિઓ ખાસ નોંધપાત્ર ગણાય છે. આ પ્રકારનાં વ્યાકરણો ભાષાના ઇતિહાસની સીમાનાં ચિહ્ન પૂરાં પાડે છે. પ્રસ્તુત કૃતિ ઉપર નીચે મુજબની ટીકાઓ છે : (૧) ટીકા - આના કર્તા સોમવિમલના શિષ્ય હર્ષકુલ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪૬)માં ઉલ્લેખ છે. જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૧૯) પ્રમાણે હેમવિમલસૂરિના શિષ્ય જે હર્ષકુલગણિએ સૂયગડ ઉપર વિ. સં. ૧૫૮૩માં દીપિકા રચી છે અને જેઓ બંધહેતૂદયત્રિભંગીના કર્તા છે તેમણે હેમવિમલસૂરિના રાજ્યમાં આ વાક્યપ્રકાશ ઉપર ટીકા રચી છે. (૨) ટીકા- આ વાચક કીર્તિવિજયના શિષ્ય જિનવિજયની વિ. સં. ૧૬૯૪ની રચના છે. (૩) ટીકા- જૈન ગ્રન્થાવલી (પૃ. ૩૦૭) પ્રમાણે આ રત્નસૂરિની કૃતિ છે. (૪) ટીકા- આ અજ્ઞાતકર્તૃક રચનાનો પ્રારંભ ‘‘શ્રીમઝિનેન્દ્રમાનમ્ય'' થી થાય છે. (૫) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી. ૩૧ અન્ય ઔક્તિકો-સોમપ્રભસૂરિએ ૪૧૫ શ્લોક જેવડું એક ઔક્તિક રચ્યું છે. વળી જિનચન્દ્ર તેમજ અન્ય કોઈએ એકેક ઔક્તિક રચ્યું છે. "The Auktikas are a sort of Prakrta into Sanskrit Dictionaties." અર્થાત્ ઔક્તિકો એ એક જાતના પ્રાકૃત-સંસ્કૃત કોશો છે. આંશિક વ્યાકરણ ઉપસર્ગ-મંડન (વિ.સં. ૧૪૯૨) આના કર્તા જૈન ગૃહસ્થ મંત્રી મંડન છે. એઓ ઝાંઝણ સંઘવીના છ પુત્રોમાંના બીજા પુત્ર બાહડના નાના પુત્ર થાય છે. એમના મોટા ભાઈનું નામ સમુદ્ર (સમધ૨) છે. એમની પેઠે એમના કાકા દેહડના પુત્ર ધન્યરાજ, ધનરાજ ઉર્ફે ધનદ પણ વિદ્વાન અને ધનિક હતા. મંડને ‘ભૂષણ’ અર્થવાચક ‘મંડન’ શબ્દથી અલંકૃત નીચે મુજબની આઠ કૃતિઓ રચી એ દ્વારા પોતાના નામને P ૫૩ એ સાથે જોડ્યું છે : ૧. શું વિનયવિજયગણિએ હૈમલઘુપ્રક્રિયાની સ્વોપજ્ઞ બૃહદ્વૃત્તિમાં આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે ? ૨. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૫૦ ૩. આ ઔક્તિકનો પરિચય આપતાં જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૩)માં કૌસમાં "grammar" એટલે કે વ્યાકરણ એવો ઉલ્લેખ છે. તેમ છતાં અહીં ઔક્તિકોને અંગે નીચે મુજબ લખાણ છે તો એ વિચારણીય જણાય છે : ૪. આ છ યે પુત્રો આલમશાહ (હોશંગ ધોરી)ના સચિવો હતા. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૮૦)માં કહ્યું છે કે આ આલમશાહ તે ‘“દિલાવરખાનનો પુત્ર અલ્પખાં (વિ.સં. ૧૪૬૧-૧૪૮૬) અને પછી થયેલ હોશંગ ઘોરી.’ ૫. આ ધનદે શૃંગાર-ધનદ, નીતિ-ધનદ અને વૈરાગ્ય-ધનદ એમ ત્રણ શતકો રચી એમાં પોતાનું નામ જોડ્યું છે. Jain Education International For Personal & Private Use Only P પર www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy