SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : [પ્ર. આ. ૨૫૧-૨૫૪] ૧૫૭ સૂક્ત-મુક્તાવલી (લ. વિ. સં. ૧૬00)– આ નામની ૨૩૩૨ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તક કૃતિની હાથપોથી વિ. સં. ૧૬૧૮માં લખાયેલી છે. શું આ કૃતિ તે જ પૃ. ૨૫૧માં નોંધાયેલી સૂક્તમુક્તાવલી છે? સૂક્ત-સંગ્રહ (લ. વિ. સં. ૧૬૨૦)- આના કર્તા લક્ષ્મીકલ્લોલગણિ છે. એઓ હર્ષકલ્લોલના શિષ્ય થાય છે. એમણે આયાર ઉપર તત્ત્વાવગમા નામની અવચૂરિ સૌભાગ્યહર્ષના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૫૮૩થી ૧૫૯૭માં ગાળામાં રચી છે. વળી એમણે નાયાધમ્મકહા ઉપર મુગ્ધાવબોધા નામની વૃત્તિ સોમવિમલસૂરિના રાજ્યમાં અર્થાત્ વિ. સં. ૧૫૯૦થી ૧૬૩૭ના ગાળામાં રચી છે. અવચૂરિ- આના કર્તાનું નામ જાણવામાં નથી. 'સૂક્ત-રત્નાવલી (વિ. સં. ૧૬૪૭)આના કર્તા હીરવિજયસૂરિના પટ્ટાલંકાર વિજયસેનસૂરિ છે. એમણે વિ. સં. ૧૬૪૭માં “અનુષ્ટ્રભુમાં ૫૧૧ પદ્યોમાં આ કૃતિ રચી છે અને એ દ્વારા વિવિધ વિષયનાં મનોરમ અને સચોટ સુભાષિતો પૂરાં પાડ્યાં છે. સૂક્તરત્નાવલી (લ. વિ. સં. ૧૬૫૦- વિજયપ્રશસ્તિ કાવ્યની વૃત્તિની પ્રશસ્તિ (શ્લો. પ૩) ઉપરથી જણાય છે કે હેમવિજયગણિએ સૂક્ત-રત્નાવલી રચી છે પણ એ ઉપર્યુક્ત કૃતિથી ભિન્ન હોવી જોઈએ કેમકે એમાં તો વિજયસેનસૂરિનું જ નામ છે. આ હેમવિજયગણિ એ લક્ષ્મીભદ્રની શાખામાં થયેલા ૨૫૪ ‘તપા' ગચ્છના અમરવિજયના શિષ્ય કમલવિજયના શિષ્ય થાય છે. એઓ કુશળ કવિ હતા. એમણે નિમ્નલિખિત કૃતિઓ રચી છે : (૧) અન્યોક્તિમુક્તાવલી યાને અન્યોક્તિમુક્તામહોદધિ, (૨) ઋષભ-શતક, (૩) કથારત્નાકર, (૪) કસ્તૂરી પ્રકર, (૫) કીર્તિલ્લોલિની, (૬) પજિનસ્તવન-ચતુર્વિશતિકા યાને ચતુર્વિશતિજિનસ્તુતિ, (૭) જિનસ્તુતિ, (૮) પાર્શ્વનાથ ચરિત, (૯) વિજયપ્રશસ્તિ, (૧૦) સદ્ભાવશતક અને (૧૧) સ્તુતિત્રિદશતરંગિણી. આ ઉપરાંત એમણે અનેક સ્તોત્રો રચ્યાં છે. એમની આ સૂક્તરત્નાવલી પ્રસિદ્ધ થવી ઘટે. ૧. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૯માં પ્રકાશિત થઈ છે અને એમાં કેટલેક સ્થળે પદ્ય ખંડિત છે. આ નામની બીજી પણ કૃતિ છે. સૂિ. ૨. નું તાજેતરમાં પુનઃ પ્રકાશન થયું છે.] ૨. [૫. હીરાલાલ હંસરાજે પ્રતાકારે બે ભાગમાં પ્રગટ કરેલ “કથારત્નાકર' ગ્રંથ આ. મુનિચન્દ્રસૂરિના હાથે સંપાદિત થઈ આ. ૐકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરતથી પુસ્તકાકારે પ્રગટ થયો છે. આમાં Introduction શ્રીહરિવલ્લભ ભાયાણીએ લખ્યું છે.] ૩. આ કૃતિ ભીમસી માણે કે ઈ. સ. ૧૯૦૮માં પ્રકાશિત કરી છે. ૪. આ વિજયસેનસૂરિની પ્રશસ્તિરૂપ કૃતિ છે. પ. આ જૈન-સ્તોત્ર-સમુચ્ચય (પૃ. ૨૬૭-૨૮૪)માં પ્રકાશિત થયેલી છે. ૬. આ વિ. સં. ૧૬૩૨માં રચાયેલું ચરિત “ચુનીલાલ ગ્રંથમાલા”માં ભીખીબાઈ ચુનીલાલ પન્નાલાલ તરફથી વિ. સં. ૧૯૭૨માં છપાવાયું છે. ૭. આ કાવ્ય ગુણવિજયની વિજયદીપિકા નામની ટીકા સહિત “ય. જે. ગ્રં.”-માં વીરસંવત્ ૨૪૩૭માં પ્રસિદ્ધ કરાયું છે. જિનશાસન આ. ટ્રસ્ટે આનું પુનર્મુર્ણ કર્યું છે.] ૮. હેમવિજયગણિએ ગુજરાતીમાં કમલવિજયરાસ વિ. સં. ૧૬૬૧માં રચ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy