SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ સૂક્તાવલી યાને સૂક્ત-સંગ્રહ- આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા લક્ષ્મણ છે. એની શરૂઆત“સૂક્તિરત્નસુધા' થી થાય છે અને એની એક હાથપોથી પાટણના ભંડારમાં છે. સૂક્ત-મુક્તાવલી (લ વિ. સં. ૧૫૨૫)- આ અજ્ઞાતકર્તુક કૃતિમાં ૧૨૭ અધિકાર છે. સૌથી પ્રથમ અધિકાર ધર્મોપદેશને અંગેનાં ૫૦ સૂક્તોરૂપ છે. ૪૭મો અધિકાર મૂર્ખને લગતો છે અને એમાં દસ પદ્યો છે. આ કૃતિ સૂક્ત અર્થાત્ સુભાષિતરૂપ મોતીની માળા છે. એમાંનાં ઘણાંખરાં સૂક્તો સંસ્કૃતમાં છે; કેટલાંક પાઇયમાં છે તો કોઈકોઈ જૂની ગુજરાતીમાં છે. એ ભાષા જોતાં એમ અનુમનાય કે આ કૃતિ વિક્રમની પંદરમી સદી પહેલાંની નહિ હશે. | P ર૫ર સૂક્તાવલી યાને કપૂર-પ્રકર (ઉં. વિ. સં. ૧૫૫૦)- આ વજસેનના શિષ્ય હરિ (હરિષણ)ની કૃતિ છે. એમાં ૧૭૯ પદ્યમાં ૮૭ દ્વાર દ્વારા શ્રાવકના બાર વ્રતો, દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વો, "સાત ક્ષેત્રો, શબ્દાદિ પાંચ વિષયો અને ક્રોધાદિ ઉપર વિજય એમ વિવિધ વિષયો નિરૂપાયા છે. પ્રસંગોપાત્ત વિષયને વ્યક્ત કરનાર ઉદાહરણોનું સૂચન કરાયું છે. આ કૃતિને એના કર્તાએ સૂક્તાવલી કહી છે. એને કેટલાક સુભાષિતકોશ પણ કહે છે. આના અંતિમ પદ્યમાં ગ્રંથકારે પોતાના ગુરુ વજસેનને ત્રિષષ્ટિસારના અને પોતાને નેમિચરિત્રના કર્તા કહ્યા છે. વિવરણો– “કપૂરપ્રકરથી શરૂ થતી આ કૃતિ ઉપર ‘ખરતર’ ગચ્છના જિનવર્ધનસૂરિના શિષ્ય "જિનસાગરસૂરિએ જૈ. ગ્રં. (પૃ. ૧૭૬) પ્રમાણે વિ. સં. ૧૫૫૧માં અવચૂરિ રચી છે અને એના મૂળમાં P ૨૫૩ સૂચવાયેલા ઉદાહરણોનો કથા દ્વારા સ્ફોટ કર્યો છે. ‘તપા' ગચ્છના લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય જયરાજે, હર્ષકુલે, યશોવિજયગણિએ તેમજ અન્ય કોઈકે પણ એકેક ટીકા રચી છે. ૧. આ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયેલી છે. અંતમાં આ કૃતિમાંના પદ્યની અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે. વળી ૧૨૭ અધિકારોનાં નામ અનુક્રમે આપી એનાં પઘોની સંખ્યા દર્શાવાઈ છે. ૨. જુઓ ૧૧૬મો અધિકાર (પત્ર ૯૧-૯૨આ). ૩. આ કૃતિ ગુજરાતી અનુવાદ અને જિનસાગરની ટીકા સહિત હરિશંકર કાલિદાસે ઈ. સ. ૧૯૦૧માં છપાવી છે. મૂળ કૃતિ ઉપર્યુક્ત ટીકા તેમજ સોમચકૃત કથામહોદધિ સહિત હીરાલાલ હંસરાજે ઈ. સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ કરી છે. વળી જિનસાગરીય ટીકા સહિત મૂળ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૫માં પ્રકાશિત થઈ છે. (એમાં ટીકાનો રચના સમય અપાયો નથી.) આ ઉપરાંત મૂળ કૃતિ શ્રીવિજયનેમિસૂરિના શિષ્યરત્ન શ્રી. વિજયપધસૂરિએ વિ. સં. ૨૦૦૩માં રચેલાં ગુજરાતી પદ્યાત્મક ટીકા, શ્લોકાર્થ અને સ્પષ્ટાર્થ સહિત “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી થોડાંક વર્ષ ઉપર છપાઈ છે, પરંતુ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. ૪. આ બાર વ્રતો નીચે મુજબ છે : સ્થલ-પ્રાણાતિપાત-વિરમણ, પૂલ-મૃષાવાદ-વિરમણ, સ્થૂલ-અદત્તાદાન-વિરમણ, સ્વદારસંતોષ, પરિગ્રહનું પરિમાણ, દિવ્રત, ભોગપભોગપરિમાણ, અનર્થદંડવિરમણ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ, પ. જિન-પ્રતિમા, જિન-મંદિર, શ્રુતજ્ઞાન તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો ગણાય છે. ૬. એમણે ‘દેવકુલપાટક' નગરમાં શાન્તિનાથના બિંબની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૯૪માં કરાવી હતી. ૭. મેરુસુંદરે બાલાવબોધ અને ધનવિજયે સ્તબક (ટબ્બો) રચ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy