SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૪૭-૨૫૧] ૧૫૫ સૂક્તાવલી (લ. વિ. સં. ૧૨૮૦) – ચ. પ્ર. (પૃ. ૧૨૬)માં પદ્માનંદ મહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિની કૃતિઓ ગણાવતી વેળા આનો ઉલ્લેખ કરાયો છે પણ આ કૃતિની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી. 'વિવેક-કલિકા અને વિવેક-પાદપ (લ. વિ. સં. ૧૨૮૦) - આ બે સૂક્તિસંગ્રહ છે અને એ બંનેના કર્તા અલંકાર-મહોદધિના પ્રણેતા નરેન્દ્રપ્રભસૂરિ છે. પહેલા સૂક્તિ સંગ્રહમાં ૧૧૦ પદ્યો અને બીજામાં ૪૨૧ પદ્યો હોવાનું અનુમનાય છે. વિવેકકલિકા ભિન્ન ભિન્ન છંદોમાં રચાયેલી છે. જ્યારે વિવેકપાદનાં ઉપલબ્ધ ૧૦૯ પદ્ય પૈકી ૧૦૭ અનુષ્ટ્રભુમાં છે. બાકીનાં બે પદ્ય પ્રશસ્તિ-રૂપ છે અને એ બે પદ્ય અનુક્રમે શાર્દૂલવિક્રીડિત અને P ૨૫૦ વસન્તતિલકા છંદમાં છે. આ બંને કૃતિમાંથી અવતરણો પત્તન સૂચી (ભા. ૧ પૃ. ૧૮૭)માં અપાયાં છે. પરંતુ આ બંને કૃતિ પાટણના ભંડારની એક ખંડિત તાડપત્રીય હાથપોથીમાં અપૂર્ણ સ્વરૂપે મળે છે. એ હાથપોથીમાં વિવેકકલિકાનાં ૬૯ અને વિવેકપાદપનાં ૧૦૯ પદ્ય મળે છે. એ ઉપરથી જાણી શકાય છે કે આ બંને કૃતિઓ મોટે ભાગે સુભાષિતો પૂરાં પાડે છે, જ્યારે જૈન ધર્મને લગતી બાબતો ઓછા પ્રમાણમાં નિરૂપાઈ છે. સુભાષિતાવલી (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા તિલકપ્રભસૂરિ છે. એઓ “પૂર્ણિમા ગચ્છના દેવસૂરિના શિષ્ય થાય છે. એમણે નીતિશાસ્ત્ર રચ્યું છે. એઓ વિ. સં. ૧૩૦૭માં શાંતિનાથચરિત્ર રચનારા અજિતપ્રભસૂરિના ગુરુ વીરપ્રભના ગુરુ હોય એમ ભાસે છે. જો એમ જ હોય તો એમની આ રચના વિ. સં. ૧૨૮૦ની આસપાસની હશે. સૂક્ત-રત્નાકર (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા ગૃહસ્થ માઘસિંહ ઉર્ફે મચથસિંહ છે. એ વિદ્યાસિંહના પુત્ર થાય છે. એમણે આ કૃતિ બે ભાગમાં વિભક્ત કરી છે. એનું પરિમાણ ૮૮૬૫ શ્લોક જેવડું છે. આની એક હાથપોથી વિ. સં. ૧૩૪૭માં લખાયેલી છે." સૂક્તિ-સમુચ્ચય (લ. વિ. સં. ૧૨૯૦)- આ નામ મેં યોજ્યું છે. આના કર્તા વસ્તુપાલ છે. P ૨૫૧ સોમેશ્વરકૃત ઉલ્લાઘ-રાઘવ (અંક ૮) ઉપરથી જણાય છે કે વસ્તુપાલને સૂક્તિઓ રચવાનો શોખ હતો. એમની કેટલીક સૂક્તિ નરનારાયણાનન્દના બીજા પરિશિષ્ટમાં અપાયેલી છે. ૧-૨. આ બે વિષે કેટલીક માહિતી ડૉ. સાંડેસરાએ એમની નિમ્નલિખિત કૃતિ (પૃ. ૧૪૨-૧૪૩)માં આપી છે : Literary Circle of Mahamatya Vastupala and its contribution to Sanskrit Litarature. આ કૃતિ “સિં. જૈ. ગ્રં.'માં ઈ. સ. ૧૯૫૩માં પ્રકાશિત કરાઈ છે. ૩. વિવેકપાદપનો શ્લો. ૨૪ અને વિવેકકલિકાના શ્લો, ૧૨, ૩૯ અને ૮૦ઉપર્યુક્ત અંગ્રેજી કૃતિમાં ઉદ્ભૂત કરાયા છે. ૪. આ નામની એક કૃતિ ધર્મકુમારે રચી છે. પ. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૩૭). ૬. એમને અને સાથે સાથે એમના ભાઈ તેજપાલને વીરધવલ રાજાએ વિ.સં. ૧૨૭૬માં મંત્રી નીમ્યા હતા (જુઓ જૈ. સા. સં. ઇ.નું પૃ. ૩૫૫). વસ્તુપાલનું અવસાન વિ. સં. ૧૨૯૬માં થયું હતું. (જુઓ જૈ. સા. સં. ઈ.નું પૃ. ૩૬૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy