SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ વિષય- મંગલાચરણથી શરૂ કરાયેલા આ શતકમાં ગ્લો. ૯-૯૨-રૂપ એકવીસ ચતુષ્ટયમાં એકેક વિષય રજૂ કરાયો છે. આ ૨૧ની નોંધ શ્લો. ૮માં જોવાય છે. જિનેશ્વર, ગુરુ, ધર્મ અને સંઘની મહત્તા, અહિંસાદિ પાંચ મહાવ્રતો. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય ઉપર વિજય, સહૃદયતા તેમજ દાન, શીલ, તપ અને ભાવ અહીં વર્ણવાયા છે. ટૂંકમાં આમ અહીં જૈન ધર્મ અને નીતિ સાથે સંબંધ ધરાવનારા વિવિધ વિષયો સુબોધ અને હૃદયંગમ શૈલીએ રજૂ કરાયા છે. આમાંના કેટલાંક પદ્યો P ૨૪૮ કુમારવાલપડિબોહમાં અને “મવારથે''થી શરૂ થતું ૯૭મું પદ્ય શૃંગાર-વૈરાગ્ય-તરંગિણીમાં ૪પમાં પદ્ય તરીકે જોવાય છે. ઉલ્લેખ- જલ્ડણદેવે પોતાની સૂક્તિમુક્તાવલી (લ. વિ. સં. ૧૨૫૦)માં આ કાવ્યનો સોમપ્રભસૂરિના નામથી ઉલ્લેખ કર્યો છે અને “નક્ષ્મી: પશ્યતિ (? સર્પતિ)' થી શરૂ થતું ૭૬મું પદ્ય ઉધૃત કર્યું છે. વૃત્તિઓ- આ સોમશતક જૈન સમાજમાં ઘણું પ્રિય બનતાં એના ઉપર વિવિધ વૃત્તિઓ રચાઈ છે :(૧) વૃત્તિ – આના કર્તા “ખરતર' ગચ્છના જિનહિતસૂરિના શિષ્ય કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવર્ધન છે. એમણે આ વૃત્તિ વિ સં. ૧૫૦૫માં રચી છે. (૨) વ્યાખ્યા- “ભૂર્ભવસ્વસ્ત્રયી'થી શરૂ થતી આ વ્યાખ્યા જિનસાગરના શિષ્ય ધર્મચન્દ્ર રચી છે. (૩) વ્યાખ્યા- આ નાગપુરીય તપા” ગચ્છના ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ રચી છે. (૪) ટીકા- આના કર્તા “ખરતરમ્ ગચ્છના જિનતિલકસૂરિ છે. આની એક હાથપોથી વિ. સં. ૧૬૬રમાં લખાયેલી મળે છે. (૫) ટીકા- આ ગુણકીર્તિસૂરિની વિ. સં. ૧૬૬૭ની રચના છે. એઓ “માલધારી' ગચ્છના ગુણનિધાનસૂરિના અનુગામી થાય છે. (૬) ટીકા- આના કર્તા વિમલસૂરિ છે. (૭) ટિપ્પણ– આ ભાવચારિત્રે રચ્યું છે. (૮) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી. પ્રમોદકુશલગણિના નામે જે સિજૂરપ્રકરનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૪૨)માં છે તે શું પ્રસ્તુત સિજૂરપ્રકરની ટીકા તો નથી ને ? P ૨૪૯ ઇટાલિયન અનુવાદ– સિજૂર-પ્રકરનો પવોલિનિએ ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. એ અનુવાદ એફ. એલ. પુસે દ્વારા રચાયેલા ઉપાદ્યાત સહિત SIFI (II, 33-72) માં ઈ. સ. ૧૮૯૮માં છપાયો છે. અનુકરણો- પ્રસ્તુત સિન્દર પ્રકરના અનુકરણરૂપે કપૂર-પ્રકર, કસ્તુરી-પ્રકર અને હિંગુલ-પ્રકર રચાયા છે. ૧. પ્રાણાતિપાત-વિરમણ, મૃષાવાદ-વિરમણ, અદત્તાદાન-વિરમણ, અબ્રહ્મવિરમણ અને પરિગ્રહ-વિરમણ. ૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “જર્મન અને ઈટાલિયન અનુવાદોથી અલંકૃત જૈન કૃતિઓ.” આ લેખ જૈ. ધ. પ્ર. (પુ. ૬૯, અં. ૧)માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy