SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૪૪-૨૪૭] ૧૫૩ સંગ્રહમાં સાતમા પર્વ પૂરતો અંશ ન્યાયતીર્થ સાહિત્યતીર્થ મુનિશ્રી હિમાંશુવિજયે યોજ્યો છે અને એનો ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે, જ્યારે બાકીનાં નવે પર્વમાંથી વચનામૃતો એકત્રિત કરી તેનો ગુજરાતી અનુવાદ મુનિશ્રી જયન્તવિજયજીએ કર્યો છે. આ સમગ્ર સંગ્રહમાં ૯૧૫ વચનામૃતો છે. આમાં મે ૨૪૬ કેટલાંક વચનામૃતો એવાં છે કે જેમાં બબ્બે નીતિવાક્યો સંકળાયેલાં છે. આ સંગ્રહમાં પરમાત્મા, સૂર્ય, ચન્દ્ર, મુનિ, સંત, ગુરુ, વડીલ, શિષ્ય, અતિથિ, સાધર્મિક, આપ્ત, ચક્રવર્તી, મંત્રી, સુભટ, સારથિ, પ્રજા, બ્રાહ્મણ, મિત્ર, શત્રુ, સ્ત્રી, પશુ, પક્ષી, રાજનીતિ ઇત્યાદિને લગતાં વચનામૃતો છે. સૂક્તિમુક્તાવલી, સિજૂરપ્રકર યાને સોમશતક (લ. વિ. સં. ૧૨૫૦)- આના કર્તા સોમપ્રભસૂરિ છે. એઓ ‘પોરવાડ વૈશ્ય સર્વદેવના પુત્ર અને જિનદેવના પૌત્ર થાય છે. એમણે કુમારાવસ્થામાં “બૃહદ્ ગચ્છના અજિતદેવના શિષ્ય વિજયસિંહ પાસે દીક્ષા લીધી હતી અને એઓ ટૂંક સમયમાં આચાર્ય બન્યા હતા. એમણે વિ. સં. ૧૨૪૧માં કુમારવાલપડિબોહ રચ્યો છે. વળી સુમઈનાચરિય, શતાર્થ-કાવ્ય અને એની પસ્વપજ્ઞ વૃત્તિ તેમજ શૃંગારવૈરાગ્યતરંગિણી પણ એમની રે ૨૪૭ કૃતિઓ છે. એમનો સ્વર્ગવાસ ‘શ્રીમાલ' નગરમાં વિ. સં. ૧૨૮૪ની આસપાસમાં થયાનું મનાય છે. એમના પટ્ટધર તે જગચ્ચન્દ્રસૂરિ છે. આ પ્રાસાદિક કૃતિ સૂક્તિરૂપ મુક્તકોની માળા જેવી હોવાથી એનું સૂક્તિમુક્તાવલી એવું નામ કર્તાએ અંતિમ શ્લોકમાં દર્શાવ્યું છે. આ કૃતિનો પ્રારંભ “સિજૂર-પ્રકર'થી થતો હોવાથી એનું આ નામ પડ્યું છે. એમાં સો શ્લોક હોવાથી એના કર્તાનું નામ જોડી એને સોમશતક કહે છે. ભર્તુહરિકૃત નીતિશતક જોઈને કર્તાએ આ શતક રચ્યું હશે. એ વિવિધ છંદોમાં ગુંથાયેલું છે. ૧. આ કાવ્ય “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૦૭માં (ત્રીજી આવૃત્તિ) છપાયું છે. એ હર્ષકીર્તિસૂરિકૃત વ્યાખ્યા સહિત અમદાવાદથી ઈ. સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ થયું છે. ભીમસી માણેક તરફથી આ કાવ્ય આ વ્યાખ્યા, એને અંગેનો કોઈકના બાલાવબોધ તેમજ પં. બનારસીદાસે વિ. સં. ૧૬૯૧માં આ કાવ્ય પરત્વે કરેલ હિંદી કવિત્ત સહિત ઈ. સ. ૧૯૦૨માં પ્રસિદ્ધિ કરાયું છે. વળી આ મૂળ કૃતિ હર્ષકીર્તિસૂરિકૃત વ્યાખ્યા સહિત હંસવિજય ફ્રી લાયબ્રેરી” તરફથી ઈ. સ. ૧૯૨૪માં છપાવાઈ છે. શ્રી. માવજી દામજી શાહે મૂળ કૃતિ પદ્યાનુક્રમણિકા, શબ્દ-કોષ અને ગુજરાતી અનુવાદ સહિત પ્રસિદ્ધ કરી છે અને એની ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૩૬માં બહાર પડી છે. ૨. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૮) ૩. એજન, પૃ. ૧૧૭-૧૧૮. ૪. આ કાવ્ય એની સ્વોપજ્ઞ વૃત્તિ તેમજ એના ગુજરાતી અનુવાદ સહિત અનેકાર્થસાહિત્યસંગ્રહના પ્રથમ વિભાગમાં ઈ. સ. ૧૯૩૫માં છપાવાયું છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧ ૬. આ પ્રકરણરત્નાકર (ભા. ૨. પૃ. ૨૧૭-૨૪૭)માં ગુજરાતી અનુવાદ સહિત ઈ. સ. ૧૮૭૬માં છપાયું છે. નંદલાલની ટીકા સહિત આ કૃતિ વડોદરાના શ્રાવક જગજીવને વિ. સં. ૧૯૪૨માં છપાવી છે. “જૈન સ્વયંસેવક મંડળે” ઇન્દોરથી આ કૃતિ મારા ગુજરાતી અનુવાદ અને સ્પષ્ટીકરણ સહિત ઈ.સ. ૧૯૨૩માં છપાવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy