SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ સૂક્તિ-રત્નાકર (લ. વિ. સં. ૧૬૫૦)- આ ધાતુમંજરી વગેરે રચનારા 'સિદ્ધિચન્દ્રગણિએ સંકલિત કરેલી કૃતિ છે. એમાં ૩૭૭ સુભાષિતોનો સંગ્રહ કરાયો છે. એમાં વિવિધ ગ્રન્થકારો અને ગ્રન્થો વિષે | ૨૫૫ ઉલ્લેખ છે. જે વૃદ્ધપ્રસ્તાવોકિતરત્નાકર આ જ ગણિએ રચ્યો છે તે શું પ્રસ્તુત કૃતિથી ભિન્ન છે ? સૂક્તિ-દ્વાર્નાિશિકા- યાને સૂક્ત-દ્વાચિંશિકા (લ. વિ. સં. ૧૬૫૦)- આ કૃતિ ‘ધિક” છંદમાં ૩૨ પદ્યમાં વિ. સં. ૧૬૫૮માં મુનિ સારંગ કવિએ રચી છે. સ્વપજ્ઞ વિવરણ- કર્તાએ જાતે આ કૃતિને વિ. સં. ૧૬૫૦માં વિવરણથી વિભૂષિત કરી છે. પકસ્તૂરી-પ્રકર (લ. વિ. સં. ૧૬૫૦)- આ કમલવિજયગણિના શિષ્ય હેમવિજયગણિની ૧૮૨ કારિકા પૂરતી રચના છે. એમણે આ કૃતિ હીરવિજયસૂરિના રાજ્ય દરમ્યાન રચી છે. સ્વપજ્ઞ વૃત્તિ- ઉપર્યુક્ત કસૂરી-પ્રકર ઉપર કર્તાએ જાતે વૃત્તિ રચી છે. કસ્તૂરી-પ્રકરણ-સોમસુંદર ઉપાધ્યાયે ૧OOO શ્લોક જેવડું કસ્તૂરી-પ્રકરણ રચ્યું છે. સંવેગસુંદરે પણ આ નામની કૃતિ રચી છે. "હિંગુલ-મકર (લ. વિ. સં. ૧૭૦૦)- આના દ્વિતીય પદ્યનો પ્રારંભ “હિંગુલપ્રકરથી થાય છે. P ૨૫૬ એના કર્તા ઉપા. વિનયસાગર છે. એમણે આ કૃતિ મુખ્યતયા “અનુષ્ટ્રભૂમાં રચી છે. અને એને પ્રક્રમોમાં વિભક્ત કરી છે. ગ્લો. ૧૫ અને ૧૬માં સૂચવાયા મુજબ આમાં ૮૧૮ પાપસ્થાનકને અંગે ૧૮ પ્રક્રમો, ૯૭ વ્યસન સંબંધી ૭, ૧દાનાદિ ચાર પ્રકારના ધર્મ પરત્વે ૪ તેમજ જિનેન્દ્રપૂજા, ગુરુ-ભક્તિ અને ઉદ્યમને અંગે એકેક પ્રક્રમ છે. આ પ્રત્યેક પ્રક્રમમાં ચચ્ચાર કે પાંચ પાંચ પડ્યો છે. ૧. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. ૫૪-૫૫. ૨-૩. આનાં નામ માટે જુઓ ભાનુચન્દ્રગણિચરિત (પૃ. ૬૩-૬૪) અને એની શ્રી. મો.દ. દેસાઈની પ્રસ્તાવના (પૃ.૭૩) ૪. આનો ઉલ્લેખ સિદ્ધિચન્દ્રમણિએ ભક્તામર સ્તોત્રની ટીકામાં કર્યો છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪)માં કહ્યું છે. પ. આ કૃતિ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૫૪ ૬. આ કૃતિ ‘હિંગુલ-પ્રકરણ” એવા નામથી પં. હીરાલાલ હંસરાજના ગુજરાતી અનુવાદ સહિત ભીમસી માણેક તરફથી ઈ. સ. ૧૯૦૦માં છપાવાઈ છે. એનું આદ્ય પદ્ય હાથપોથી લખનારનું હશે એમ લાગે છે. બીજુ પદ્ય ‘હિંગુલથી શરૂ થાય છે અને આ કૃતિનો વાસ્તવિક પ્રારંભ આ પઘથી જ હશે એમ લાગે છે. એ પદ્ય નીચે મુજબ છે : 'हिङ्गलप्रकरोऽयं च बालारुणो विचक्षणाः। तर्कयन्तीति यं दृष्ट्वा पद्मप्रभो मुदेऽस्तु सः ।।" ૭. “હિંગુલ”નો અર્થ ‘હિંગલોક' થાય છે. ૮. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રત્યરતિ, પરાપવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય. ૯. ધૂત, માંસ, મદિરા, વેશ્યા, આખેટ (શિકાર), ચોરી અને પરદારગમન ૧૦. દાન, શીલ, તપ અને ભાવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy