SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૯૫ પ્રકરણ ૧૧ : ગણિતશાસ્ત્ર ગણિતશાસ્ત્રનો વિષય ઘણાખરા જનોને મન માથાકૂટિયો, અટપટિયો અને કંટાળાભરેલો છે, પરંતુ મારા જેવાને તો એ સદાયે અતિશય રસિક અને આનંદજનક જણાયો છે અને એથી તો આજે ઉત્તરાવસ્થામાં પણ અનુસ્નાતકથી પણ ઉચ્ચ કોટિના અભ્યાસીઓની કક્ષાની ગણિતશાસ્ત્રને અંગેની વિવિધ વિગતો વાંચવાવિચારવા હું ઉત્સુક રહું છું. ગણિતશાસ્ત્રની એક શાખારૂપ અંકગણિત તો સામાન્ય જનતાને પણ ઉપયોગી છે, જ્યારે બીજગણિત યાને અક્ષરગણિત વગેરે શાખાઓ તો ખાસ કરીને વૈજ્ઞાનિક શોધકોના કામની છે. વળી આ શાસ્ત્રના અધ્યયનનો માર્ગ કેવળ વિનયન (Arts) ના જ કે વિજ્ઞાન (Science)ના જ કે વાણિજ્યના જ વિદ્યાર્થીઓ માટે મોકળો ન રાખતાં જ્ઞાનની અન્ય શાખાઓના અભ્યાસીઓ માટે પણ ઓછેવત્તે અંશે તેમ કરવાનું સ્તુત્ય પગલું વિશ્વવિદ્યાલયોએ ભર્યું છે. આથી તો ગણિતશાસ્ત્રની સાથે એક રીતે સરખું મહત્ત્વ ધરાવનારા તત્ત્વજ્ઞાનના ક્ષેત્ર કરતાં યે ગણિતશાસ્ત્રનું ક્ષેત્ર વધારે વ્યાપક છે. જૈન દર્શનમાં ગણિતશાસ્ત્રને ગૌરવશાળી સ્થાન અપાયું છે એમ પુલ્વોમાંની ગમ અને ભંગ (વિકલ્પો)ની પ્રચુરતા સંબંધી જૈન પરંપરા અને સંખ્યાનું નિરૂપણ વિચારતાં તેમજ કર્મસિદ્ધાન્તને લગતી ઝીણવટભરી બાબતોને ધ્યાનમાં લેતાં સહેજે ફલિત થાય છે. આજે પુલ્વ તો નથી પરંતુ કર્મસિદ્ધાન્ત P ૧૯૬ રજૂ કરનારા વિશિષ્ટ ગ્રંથો છે એટલે એ તેમજ કાળ અને ક્ષેત્રનાં પરિમાણ વિષે જે પ્રરૂપણા છે તે સમજવા માટે ગણિતશાસ્ત્રના જ્ઞાનની આવશ્યકતા રહે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં કોણ જાણે કેમ ગણિતશાસ્ત્રના સ્વતંત્ર અને એની કોઈ એક શાખા પૂરતા યે સવાંગીણ ગણાય તેવા ગ્રંથો બહુ જ થોડા પ્રમાણમાં હજી સુધી તો મળી આવ્યા છે. વળ્યુસારપયરણ, દવ્યપરિખા વગેરે રચનારા ઠક્કર ફેરુએ ગણિયસારકોમુઈ (ગણિતસારકૌમુદી) રચી છે. એ પદ્યાત્મક કૃતિ પાંચ ઉદેશમાં વિભક્ત છે. ગણિતસારસંગ્રહ (લ. વિ. સં. ૯૦૦)- આના કર્તા દિ. મહાવીરાચાર્ય છે. ગણિતશાસ્ત્ર અને ગણિતસૂત્ર (લ. વિ. સં. ૯00)– આ ગણિતને અંગેના બંને ગ્રંથના કર્તા ગણિતસારસંગ્રહ રચનારા દિ. મહાવીરાચાર્ય છે એમ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૬) જોતાં જણાય છે. વળી પગણિતસાર પણ એમની કૃતિ છે અને એમાં ગુણોત્તર શ્રેણીના સિદ્ધાન્તોનું વિસ્તૃત ૧. વગેરેથી સમતલ ભૂમિતિ, ઘન ભૂમિતિ, સમતલ ત્રિકોણમિતિ, ગોલીય ત્રિકોણમિતિ, સમતલ બીજભૂમિતિ (Plane analytical geometry), ઘન બીજભૂમિતિ, શૂન્ય-લબિયાને સૂક્ષ્મકલન, શૂન્યયુતિ યાને સમાસકલન અને શૂન્ય સમીકરણ ઉપરાંત સ્થિતિ-શાસ્ત્ર, ગતિ-શાસ્ત્ર, ઉદય-સ્થિતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર જેવી શાખાઓ અત્ર અભિપ્રેત છે. ૨. આનો સંક્ષિપ્ત પરિચય મુનિશ્રી કાંતિસાગરજીએ “ઠક્કર ફેરચરિત ‘ગણિતસાર-કૌમુદી' એ અદ્વિતીય ગ્રંથ” નામના લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર” (વર્ષ ૨૧, અં. ૩, પૃ. ૫૯-૬૪)માં છપાવાયો છે. ૩. આ કૃતિ પ્રા. એમ. રંગાચાર્યનાં અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણ સહિત મદ્રાસ સરકારની આજ્ઞાથી ઈ. સ. ૧૯૧૨માં પ્રકાશિત થઈ છે. અંતમાં ત્રણ પરિશિષ્ટ છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે સંસ્કૃત શબ્દો અને એ દ્વારા દર્શાવાતા અંક, દ્વિતીય પરિશિષ્ટ તરીકે અંગ્રેજી અનુવાદગત સંસ્કૃત શબ્દો અને એની સમજણ અને તૃતીય પરિશિષ્ટ તરીકે દાખલાઓના જવાબ અપાયાં છે. ૪. આનો કેટલોક પરિચય કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૫-૧૦)માં અપાયો છે. ૫. આ નામની મહાવીરચાર્ય સંસ્કૃતમાં રચેલી કૃતિની કન્નડ લિપિમાં લખાયેલી વિવિધ હાથપોથીઓની નોંધ ક. તા. (પૃ.૧૬૮-૧૬૯)માં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy