SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ : ગણિતશાસ્ત્ર : [પ્ર. આ. ૧૯૫-૧૯૮] ૧૧૯ નિરૂપણ છે એમ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૫)માં ઉલ્લેખ છે. તો શું એ ગણિતસાર ઉપર્યુક્ત કૃતિઓથી ભિન્ન છે ? બ્રહ્મગુપ્તકૃત બ્રાહ્મફુટસિદ્ધાંત સાથે પ્રસ્તુત કૃતિ સરખાવતાં એમ લાગે છે કે આ મહાવીરાચાર્ય આથી પરિચિત હતા, એમણે ગણિતસારસંગ્રહમાં એક સ્થળે શ્રીધરનો ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં એમણે શ્લો. ૩માં અમોઘવર્ષનો અને ગ્લો. ૮માં એમનો “નૃપતંગ” તરીકે નામોલ્લેખ કર્યો છે અને ગ્લો. ૬માં આ રાજાને “ચક્રિકાભંજન' કહ્યા છે. આ “રાષ્ટ્રકૂટ’ વંશના રાજાનો સમય ઇ.સ. ૮૧૪ મે ૧૯૭ કે ૮૧પથી ઇ.સ. ૮૭૭ કે ૮૭૮ ગણાય છે. આ હિસાબે આ કૃતિ ઈ. સ. ૮૫૦ની લગભગની ગણાય. આ પદ્યાત્મક કૃતિના પ્રારંભમાં જૈનોના ચરમ તીર્થકર મહાવીરસ્વામીને વંદન કરી ઉપર્યુક્ત રાજાની તારીફ કરી ગણિતની પ્રશંસા કરાઈ છે. ત્યાર બાદ સંજ્ઞાઓ યાને ક્ષેત્રાદિકની પરિભાષાઓ સમજાવાઈ છે. પછી નીચે મુજબના આઠ વ્યવહારોનું નિરૂપણ છે : (૧) પરિકર્મ, (૨) કલાસવર્ણ, (૩) પ્રકીર્ણક, (૪) ઐરાશિક, (૫) મિશ્રક, (૬) ક્ષેત્રગણિત, (૭) ખાત અને (૮) છાયા. મિશ્રક વ્યવહારમાં વ્યાજને અંગેની રીતો (rules)ની અને એના પદાખલાની સંખ્યા આર્યભટીય કરતાં ઘણી વધારે છે. સંપ્રદાય- આ કૃતિના કર્તા જૈન છે એમ જિનેશ્વરની પુષ્પ-પૂજા (પૃ. ૯), ફલ-પૂજા (પૃ. ૩૪), દીપ-પૂજા (પૃ. ૪૦), ગંધ-પૂજા (પૃ. ૪૨), ધૂપ-પૂજા (પૃ. ૪૨) ઇત્યાદિને લગતાં ઉદાહરણો ઉપરથી તેમજ પૂ. પર માંના બાર પ્રકારના તપ અને બાર અંગ (દ્વાદશાંગી)ના ઉલ્લેખ ઉપરથી તથા આકાશચારી મુનિ (પૃ ૧૩૮)ને લગતા ઉલ્લેખ ઉપરથી પણ જાણી શકાય છે. સ્મલન– કોઈ સંખ્યાને શૂન્યથી ભાગે તો તે અવિકારી રહે છે– તેવી ને તેવી જ રહે છે એવો ૧૯૮ જે ઉલ્લેખ પૃ. ૬માં શ્લો. ૪૯માં કરાયો છે તે બ્રાન્ત છે. બ્રહ્મગુપ્ત તો આવી ભૂલ કરી નથી.” સત્કાર- દક્ષિણ ભારતમાં ગણિતસારસંગ્રહને સારો આવકાર મળ્યો હોય એમ લાગે છે કેમકે . સ.ની અગિયારમી સદીમાં તો પાવલૂરિ મલ્લને એનો “તેલુગુ ભાષામાં પદ્યમાં અનુવાદ કર્યો હતો. ટીકાઓ- વરદરાજે તેમજ અન્ય કોઈએ ગણિતસારસંગ્રહ ઉપર સંસ્કૃતમાં એકેક ટીકા રચી છે. કાનડી અને તેલુગુ ટીકા- વલ્લભ નામની કોઇક વ્યક્તિએ ગણિતસાર સંગ્રહ ઉપર કાનડી ભાષામાં તેમજ તેલુગુમાં એકેક ટીકા રચી છે. ૧. આના ટીકાકાર પૃથુદકસ્વામી (ઇ. સ. ૮૬૦) અને આ મહાવીરાચાર્ય વચ્ચે વિશેષ અંતર નહિ હશે એમ પ્રા. રંગાચાર્યે કહ્યું છે. ૨. આ શ્રીધર તે ત્રિશતિકા (ઈ.સ. ૭૫O)ના કર્તા છે. ૩. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૦૩). ૪. અહીં ૨૪ અંકસ્થાનો ગણાવાયાં છે. છેલ્લાનું નામ “મહાક્ષોભ” અપાયું છે. ૫. History of Hindu Mathematics (ખંડ ૧, પૃ. ૨૨૩-૨૨૬)માં તેર દાખલા અપાયા છે. ૬. આ આર્યભટ પહેલા (ઇ. સ. ૪૯૯)ની કૃતિ છે. ૭. આ પૃષ્ઠગત શ્લો. ૪પમાં “સમુદાય' એ અર્થમાં “યતિતિ :' દ્વારા “સમિતિ” શબ્દ વપરાયો છે. ૮. જુઓ HHM (ખંડ ૧, પૃ. ૨૪૧). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy