SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ ડૉ. દત્તના લેખડૉ. બિભૂતિભૂષણ દત્તે જૈન ગણિતને અંગે નીચે મુજબના ત્રણ લેખ લખ્યા છે - (1) 'The Jaina School of Mathematiec. (2) 'On Mahavira's Solution of Rational Triangles and Quadrilaterals. (3) Geometry in the Jaina Cosmography. P ૧૯૯ ગણિતસંગ્રહ– આના કર્તા યલ્લાચાર્ય છે. શું એઓ જૈન છે અને એમની આ કૃતિ સંસ્કૃત છે ? ગણિતશાસ્ત્ર (વિક્રમની ૧૧મી સદી)- આના કર્તા શ્રીધરાચાર્ય છે. પાટીગણિત (લ. વિ. સં. ૧૨૫૦) – આના કર્તા પજૈન ગૃહસ્થ અનંતપાલ છે. એઓ પલ્લીવાલ’ કુળના અને નેમિચરિત નામનું મહાકાવ્ય રચનારા આમન કવિના ચાર પુત્રો પૈકી પ્રથમ છે. આ અનંતપાલના ધનપાલ નામના ભાઈએ તિલકમંજરીકથાસાર વિ. સં. ૧૨૬૧માં રચ્યો છે. પાટીગણિત એ નામ વિચારતાં એમ લાગે છે કે એમાં અંકગણિતનો વિષય વિચારાયો હશે. ગણિયસાર (લ. વિ. સં. ૧૩૭૦)-આના કર્તા ઠક્કર ફેર છે. એમણે વિ. સં. ૧૩૪૭માં યુગપ્રધાનચોપાઈ રચી છે અને વિ. સં. ૧૩૭રમાં વસ્યુસારપયરણ અને જ્યોતિસાર અને વિ. સં. ૧૩૭૫માં દિવ્યપરિખા રચ્યાં છે. આથી પ્રસ્તુત ગ્રંથ લ. વિ. સં. ૧૩૭૦માં રચાયો હશે એમ લાગે છે. એ ગમે તે હો પણ આ ગ્રંથ પ્રાકૃતમાં છે. તિલક- આ ગણિતને લગતા ગ્રંથના કર્તા સિંહતિલકસૂરિ છે એમ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૬)માં ઉલ્લેખ છે તે ખરો છે ? - સિદ્ધ-ભૂ-પદ્ધતિની ટીકા (લ. વિ. સં. ૮૭૫)- આના કર્તા દિ. વીરસેન આચાર્ય છે. તેઓ - પંચતૂપ' અન્વયના દિ. આર્યનદિના શિષ્ય અને ચન્દ્રસેનના પ્રશિષ્ય થાય છે. આ વીરસેન જિનસેન (પહેલા)ના ગુરુ થાય છે અને ઉત્તરપુરાણ રચનારા ગુણભદ્રના પ્રગુરુ થાય છે. એ વીરસેને છખંડાગમ ૧. આ લેખBulletin of the Calcutta Mathematical Society (Vol.XXI, No.2, 1929)માં છપાયો છે. ૨. આ લેખ Bul. of the Cal. Math Society (Vol. XX, 1928-29)માં પ્રકાશિત થયેલો છે. ૩. આ લેખની મદ્રિત નકલ મારા જોવામાં આવી નથી. બાકી એની હાથે લખેલી નકલ તો મને એના લેખક મહાશય તરફથી મળી હતી. ૪. આ સદીમાં પાઈયમાં એક ગણિતનો ગ્રન્થ રચાયો છે અને એમાં મિશ્રિત પ્રશ્નનો ઉત્તર શ્રેણિવ્યવહાર અને કુટ્ટકની રીતિથી અપાયો છે. ૫. જિનવિજયજીના મતે આ દિ. છે (જુઓ જૈ. સા. ઇ.નું પૃ. ૪૭૧). જો એમ જ હોય તો તિલકમંજરીના કર્તા શ્વેતાંબર ધનપાલને આ અનંતપાલના ભાઈ ધનપાલે નમન કર્યું છે તે એમની મસહિષ્ણુતા–ઉદારતા સૂચવે છે. આવા બીજા ઉદાહરણરૂપ પં. વાદિરાજ છે, કેમકે એમણે શ્વેતાંબરીય વાભદાલંકાર ઉપર ટીકા રચી છે. જુઓ પૃ. 92. ૬. આ અન્વય આગળ જતાં “સેનાન્વય' યા “સેન-સંઘ' તરીકે પ્રસિદ્ધ થયો. ૭. એમના અન્ય શિષ્યો વગેરેના નામ માટે જુઓ જૈ. સા. ઇ. (પૃ. ૫૦૧). ૮. આ વીરસેન, જિનસેન પહેલા અને ગુણભદ્ર એ ત્રણ વિદ્વાનો દિ. સાહિત્યક્ષેત્રના ત્રણ તેજસ્વી તારાઓ છે. એ ત્રિપુટી તે જાણે “ભરણી નક્ષત્ર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy