SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ : ગણિતશાસ્ત્ર : [પ્ર. આ. ૧૯૮-૨૦૦] ૧૨૧ પૈકી પહેલા પાંચ ખંડની ટીકા નામે ધવલા શકસંવતુ ૭૩૮માં પૂરી કરી છે. એમાં ચર્ચાયેલો ગણિતનો P ROO વિષય જોતાં એઓ ગણિતજ્ઞ હતા એમ કહી શકાય. એમણે કસાયપાહુડ ઉપર જયધવલા નામની ટીકા રચવા માંડી હતી પરંતુ વીસ હજાર શ્લોક જેટલો ભાગ રચાતાં એમનો સ્વર્ગવાસ થયો. એમનો જન્મ શકસંવત્ ૬૬૦ની આસપાસમાં અને સ્વર્ગવાસ શકસંવત્ ૭૪૫ની આસપાસમાં થયાનું અનુમનાય છે. ઉત્તરપુરાણની પ્રશસ્તિમાં દિ. ગુણભદ્ર પોતાના દાદાગુરુ દિ. વીરસેન માટે એવો ઉલ્લેખ કર્યો છે કે સિદ્ધ-ભૂ-પદ્ધતિનાં પદે પદ વિષમ અર્થાત્ કઠણ હતાં. પરંતુ આ વીરસેને એની એવી ટીકા રચી છે કે એ જોઈને ભિક્ષુઓને એ ગ્રંથ સમજવો સુગમ થઈ પડ્યો છે. આ મૂળ ગ્રંથ ક્ષેત્રગણિત (geometry)નો હશે એમ અનુમનાય છે. ક્ષેત્રગણિત- આના કર્તા નેમિચન્દ્ર છે. અહીં એ ઉમેરીશ કે ક્ષેત્રગણિતને અંગે છે કરણો વાચકવર્ય ઉમાસ્વાતિએ ત. સૂ. (અ. ૩, સૂ. ૧૧)ના સ્વોપજ્ઞ ભાષ્ય (પૃ. ૨૫૮)માં આપ્યાં છે. બૈજિક યાને વ્યચ્છેદક રેખાગણિત- આના કર્તા શ્રીધરાચાર્ય છે અને એમાં એમણે સરળ રેખા, વૃત્ત, રૈખિક ક્ષેત્ર, નળાકૃતિ, મોચાકૃતિ, વર્તુલાકૃતિ ઇત્યાદિ વિષયોનું નિરૂપણ કર્યું છે. Aspects of Jain Art. U. P Shah More documents of Jain Paintings U. P Shah. પ્ર. લા. દ. વિદ્યા મંદિર. Trasers of Jain Bhandar U. P Shah, પ્ર. લા. દ. વિદ્યા મંદિર. Sallekhana is not suside. Early Jainism K. K. Dixit. વર્ધમાન મહાવીર જીવનદર્શન ચિત્રોમાં આ. યશોદેવસૂરિ. પ્ર. જૈન સાહિત્યમંદિર જૈન સમ્રાટ સંપ્રતિ, લે. ત્રિભુવનદાસ, પ્ર. શશિકાન્ત એન્ડ ક. વડો? કપૂરમંજરી : રાજશેખર : સંસ્કૃત-હિંદી સાથે ગંગાસાગરરાય. અમરુશતક : અમરક વ્યા. અર્જુનમિશ્ર. ભૈરવપદ્માવતીકલ્પ : મલ્લિષેણસૂરિ સંસ્કૃત વિવરણ અને શુકદેવ ચતુર્વેદી હિન્દી વ્યાખ્યા. તું વડોદરા. ૧. જુઓ જૈ. સા. ઈ. (પ્ર. ૫૧૨). ૨. એજન (પૃ. ૫૦૩). ૩. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૯૮). ૪. જાઓ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૭) ૫. આ કરણો જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સમયખેત્તસમાસમાં પાઈયમાં પદ્યરૂપે રજૂ કર્યા છે અને એના ઉપર કોઈકે પાઇયમાં ચુષ્ણિ રચી છે અને એ હાલમાં છપાય છે. મેં ઉપર્યુક્ત છ કરણી (formula) અંગ્રેજીમાં ત. સૂ. (દ્વિતીય વિભાગ)ના મારા અંગ્રેજી ઉપોદઘાત (પૃ. ૪૧)માં આપ્યાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy