SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૦૧ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર નિમિત્તશાસ્ત્રની વ્યાપકતા- “નિમિત્ત' એટલે દેશાન્તરિત અને કાલાન્તરિત ભવિષ્યના બનાવને જણાવનારું ચિહ્ન. એ નિમિત્ત પર પ્રકાશ પાડનારું શાસ્ત્ર તે નિમિત્ત-શાસ્ત્ર' (Science of Divination) કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે જ્યોતિષનો નિમિત્તમાં અંતર્ભાવ થાય છે. ' વિસસા. (ગા. ૨૧૬૩)માં નિમિત્તનું લક્ષણ વગેરે હકીકત અપાઇ છે. ત્યાં કહ્યું છે કે જેના વડે શુભ અને અશુભ જાણી શકાય તે નિમિત્ત છે. આ નિમિત્તના આઠ પ્રકાર છે અને એથી તો “અષ્ટાંગ નિમિત્તે' એવો પ્રયોગ જોવાય છે. ઉપા. મેઘવિજયે હસ્તસંજીવનની સ્વોપજ્ઞ વિવૃતિમાં નીચે મુજબના આઠ નિમિત્તોનો ઉલ્લેખ કરી એની આછી રૂપરેખા આલેખી છે. અને એ નિમિત્તોનો બોધ કરાવનાર સાહિત્યનો નિર્દેશ કર્યો છે અને પહેલાં સાત નિમિત્તોને લગતા જ્ઞાનનો વર્તમાનમાં (પોતાના સમયમાં) હ્રાસ થયો છે એમ કહ્યું છે. : (૧) અંગ, (૨) સ્વપ્ન, (૩) સ્વર, (૪) ભૌમ, (૫) વ્યંજન, (૬) લક્ષણ, (૭) ઉત્પાત અને (૮) અંતરિક્ષ. P ૨૦૨ અન્યત્ર ઉત્પાતને બદલે દિવ્ય'નો ઉલ્લેખ જોવાય છે. એને લક્ષ્યમાં રાખી હું આઠ નિમિત્તો ગણાવું છું અને સાથે સાથે એનો સંક્ષેપમાં અર્થ સૂચવું છું - (૧) ભૌમ- ધરતીકંપ વગેરે પૃથ્વી સંબંધી. (૨) સ્વપ્ન- નિદ્રામાં ભાસતો દેખાવ, સમણું, (૩) અંતરિક્ષ- આકાશમાં ફરતા ગ્રહોનાં અન્ય રાશિમાં ગમન, ઉદય, અસ્ત વગેરે. (૪) દિવ્ય- ઉલ્કાપાત, ગંધર્વનગર વગેરેનું દર્શન. (૫) આંગ- શારીરિક રચના વગેરે. (૬) સ્વર- કોમળ, કઠોર, ગંભીર ઇત્યાદિ સ્વર અથવા કોસબાગમાદિ પ્રતિપાદિત સ્વરવિદ્યા. (૭) લક્ષણ- શ્રીવત્સ વગેરે શારીરિક લક્ષણો. (૮) વ્યંજન- તલ, મસા, વગેરે શારીરિક ચિહ્ન. કેટલીક વાર નિમિત્તના નીચે મુજબ છ પ્રકાર પણ ગણાવાય છે : (૧) સુખ, (૨) દુઃખ, (૩) લાભ, (૪) હાનિ, (૫) જીવિત અને (૬) મરણ. ૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૭). ૨. “અષ્ટાંગ નિમિત્ત અથવા ત્રિખંધ જ્યોતિશાસ્ત્ર એ એક જ વિદ્યાના બોધક શબ્દો છે.” એમ “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો”ના આમુખ (પૃ. ૪૭)માં કહ્યું છે. અહીં એવો પણ ઉલ્લેખ છે કે ત્રિસ્કંધમાં પહેલો સ્કંધ ગણિતનો છે અને એને જ્યોતિષની પરિભાષામાં ‘સિદ્ધાંત' કહે છે. ૩. એમણેનારદકૃતઅંગવિદ્યાનો અને મહેશ્વરકૃતસ્વરોદયનો (આને જ કેટલાકશિવસ્વરોદય કહે છે) ઉલ્લેખ કર્યો છે. ૪. સ્વર-શાસ્ત્રને યાને સ્વરોદય-શાસ્ત્રને સામાન્ય જનતા “સરોદો' કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy