SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૦૧-૨૦૪] ૧૨૩ પ્રશ્નપ્રકાશ (લ. વિ. સં. ૧૭૫)- પ્ર. ચ. (શંગ ૫, શ્લો. ૩૪૭) પ્રમાણે આના કર્તા પાદલિપ્તસૂરિ છે. આગમોની ચણિઓ જોતાં એમ જણાય છે કે એમણે કાલજ્ઞાન નામનો ગ્રંથ રચ્યો હતો. “હાનુનને''થી શરૂ થતો વીરચય (વીર-સ્તવ) એમણે રચ્યો છે અને એમાં સુવર્ણસિદ્ધિ અને 2 ર૦૩ વ્યોમસિદ્ધિની (એટલે કે આકાશગામિની વિદ્યાની) હકીકત ગુપ્ત રીતે આપી છે. એમની સુપ્રસિદ્ધ અને કૌતુકપ્રિય કૃતિ તે તરંગવાઈ છે. અણુઓગદાર વગેરેમાં એ નોંધાયેલી છે. એમાં ભારોભાર દેસિય (દેશ્ય) શબ્દો હતા. આ સૂરિએ નિર્વાણકલિકા અને જોઇસ-કરંડગની ટીકા રચી છે. જિનપ્રભસૂરિના કથન પ્રમાણે આ પાદલિપ્તસૂરિએ શત્રુજ્ય-કલ્પ અને રેવંતગિરિ-કલ્પ પણ રચ્યા છે. વળી ગાહાસત્તસઈની કેટલીક ગાથા પણ આ સૂરિએ રચી હોય એમ લાગે છે. આ સૂરિ સંગમસિંહના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય થાય છે અને સ્કંદિલાચાર્યના P ૨૦૪ ગુરુ થાય છે. કમ્પની ચુર્ણિમાં પાદલિપ્તસૂરિને ‘વાચક' કહ્યા છે. હરિભદ્રસૂરિએ આવસ્મયની નિજુત્તિ (ગા. ૯૪૪)ની ટીકા (પત્ર ૪૨૪આ)માં “વૈનયિકી' બુદ્ધિનું ઉદાહરણ આપતાં આ પાદલિપ્તસૂરિનો ઉલ્લેખ કર્યો છે. પ્ર. ચ. (શંગ ૫, શ્લો. ૫-૭ અને ૨૯) પ્રમાણે પાદલિપ્તસૂરિનો જન્મ અયોધ્યાના રાજા વિજયબ્રહ્મની નગરીમાં વસનારા કુલ્લ શ્રેષ્ઠીની પ્રતિમા નામની સ્ત્રીને પેટે થયો હતો અને એમનું નામ નાગેન્દ્ર પડાયું હતું. આઠ વર્ષની ઉમ્મરે એમણે દીક્ષા લીધી હતી. અને દસ વર્ષની નાની વયમાં એઓ આચાર્ય બન્યા હતા. આ સૂરિ “મથુરા' થઇ પાટલીપુત્ર' ગયા હતા. અંતસમયે “શત્રુંજય' ઉપર ૩૨ દિવસનું અનશન કરી એઓ સ્વર્ગે સિધાવ્યા હતા. એ પૂર્વે એઓ ‘ભરૂચ” આવ્યા હતા. હાલ, પાટલિપુત્રનો રાજા મુરુંડ વગેરે આ સૂરિના સમકાલીન ગણાય છે. ૧. આ ચ. પ્ર. (પૃ. ૨૬૫-૨૬૬)માં “ઘ-પરિશિષ્ટ' તરીકે સંસ્કૃત છાયા સહિત છપાવાયો છે. આની સુવર્ણસિદ્ધિ પૂરતી વ્યાખ્યા પૂરી પાડતી અને જિનપ્રભસૂરિએ વિ. સ. ૧૭૮૦માં રચેલી વૃત્તિના સંક્ષેપરૂપ અવચૂરિ ચ. પ્ર.ના મારા ગુજરાતી અનુવાદમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે છપાઈ છે. ૨. જુઓ .. ચ. (શ ૫, શ્લો. ૩૦૧-૩૦૩). ૩. આ આગમ (સુ. ૧૩૦, પત્ર ૧૪૯)માં મલયવઈનો ઉલ્લેખ છે. એ કથા પણ પાદલિપ્તસૂરિએ રચી હશે એમ નિર્વાણકલિકાની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭ અ-૧૭ આ)માં એના લેખકે કહ્યું છે. મે ૧, શ્લો. ૨)ની સ્વપજ્ઞ વૃત્તિ જોતાં પાદલિપ્તસૂરિએ ‘દેશ્ય' શબ્દોનો કોશ રચ્યો હશે એમ લાગે છે. ૫. આ કૃતિ મોહનલાલ ભ. ઝવેરી દ્વારા સંપાદિત થયેલી છે અને એ એમની અંગ્રેજી પ્રસ્તાવના તેમજ પં. રમાપતિ મિશ્રની સંસ્કૃત ભૂમિકા સહિત “મોહનલાલજી જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૫ તરીકે ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત થયેલી છે. ૬. જુઓ વિવિધતીર્થકલ્પગત “શત્રુંજય-કલ્પ” (શ્લો. ૧૨૨) અને “રેવતકગિરિકલ્પસંક્ષેપ” (ગ્લો. ૬) ૭. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૪૨-૧૪૬) ૮. એઓ ‘વિદ્યાધર વંશના-ગચ્છના આર્ય નાગહસ્તિસૂરિના ગુરુભાઈ ગણાય છે. ૯. એઓ સિદ્ધસેન દિવાકરના ગુરુ વૃદ્ધવાદીના ગુરુ ગણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy