SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ પ્રથમ પદ્યમાં વાદેવતાની અને દ્વિતીય પદ્યમાં શાલાતુરીય (પાણિનિ), શકટાંગજ (શાકટાયન), ચંદ્રગોમિ, દિગ્વસ્ત્ર દેવનંદ), ભતૃહિર, વામન, ભોજ અને દીપકકર્તા (ભદ્રેશ્વરસૂરિ)ની સ્તુતિ છે. આની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે કે આ દીપકકર્તાનું પ્રાધાન્ય આધુનિક વૈયાકરણોની અપેક્ષાએ છે. આથી આ ભદ્રેશ્વરે વિ.સં. ૧૧૯૭ પહેલાં કોઈ વ્યાકરણ રચ્યું હોય એમ લાગે છે. ૨૦ વર્ધમાનસૂરિએ ઉપર્યુક્ત ગણોના પ્રત્યેક પદની વ્યાખ્યા ઉદાહરણપૂર્વક આપી છે. આમાં એમણે અનેક વૈયાકરણોના મતો નોંધ્યા છે. વળી એમણે પોતાના સમકાલીન અને સિદ્ધરાજને અંગે કોઈ કાવ્ય રચનારા સાગરચંદ્રના આ કાવ્યમાંથી શ્લોકો ઉદ્ધૃત કર્યા છે. આ ઉપરાંત ‘તદ્વિત’ પ્રત્યયોનાં ઉદાહરણો આપતી વેળા એમણે ભટ્ટિકાવ્યમાંથી તેમજ ‘માલવ'ના ‘પરમાર' રાજાઓને લગતા કોઈ કાવ્યમાંથી અનેક પદ્યો ઉદ્ધૃત કર્યાં છે. અવસૂરિ-ગ. ૨. મ. ઉપર કોઈકે અવસૂરિ રચી છે. આની વિ. સં. ૧૫૨૯માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્રા. સં. મં.માં છે. શબ્દાનુશાસન યાને મુષ્ટિવ્યાકરણ (ઉ. વિ. સં. ૧૨૩૦)- આના કર્તા મલયગિરિસૂરિ છે. એમણે અ. મા.માં રચાયેલા વિવિધ આગમો ઉપર તેમજ જ. મ.માં રચાયેલા કેટલાક અનાગમિક ગ્રંથો P. ૩૭ ઉપર પણ વિવરણો રચ્યાં છે. એમાં દાર્શનિક ચર્ચાઓની વિપુલતા હોવા છતાં વિશદતામાં એમણે ન્યૂનતા આવવા દીધી નથી. આથી એમણે સમર્થ વિવરણકાર તરીકે ખૂબ નામના મેળવી છે. એમની સ્વતંત્ર રચના તરીકે તો અત્યારે આ પ્રસ્તુત વ્યાકરણ જ જાણવામાં છે. એના ઉપર એમણે ૪૩૦૦ શ્લોક જેવડી સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે અને એની હાથપોથીઓ મળે છે. [પં. બેચરદાસ દોશી દ્વારા સંપાદિત આ મલયિગિર શબ્દાનુશાસન (અપૂર્ણ) એલ. ડી. ઇસ્ટીટયુટ અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે. એના પરિશિષ્ટમાં ૭ વ્યાકરણોના સૂત્રોની તુલના આપી છે.] મલયગિરસૂરિએ ‘કિલ.’ હેમચન્દ્રસૂરિને ‘ગુરુ’ કહી સંબોધ્યા છે, અને એ રીતે એમના તરફનો પોતાનો પૂજ્ય ભાવ વ્યક્ત કર્યો છે. આ મલયગિરિસૂરિ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના તેમજ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના સમકાલીન છે. મલયગિરિસૂરિએ રચેલા વ્યાકરણને સામાન્ય રીતે શબ્દાનુશાસન તરીકે ઓળખાવાય છે. એને કેટલાક મુષ્ટિવ્યાકરણ કહે છે. એમાં ચચ્ચાર પાદવાળા બાર અધ્યાયો છે. વિદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ એક લેખમાં કહ્યું છે કે આજે આ વ્યાકરણ પૂરેપૂરું મળતું નથી. વિશેષમાં એમણે હાથપોથીનો નીચે મુજબની મતલબનો પિરચય આપ્યો છે. ૧. વૃત્તિમાં ‘ગોમિ’નો અર્થ ‘પૂજ્ય' કરાયો છે. ૨. આનો સામાન્ય અર્થ ‘દિગંબર’ થાય છે. પૃ. ૧૬૪માં દિગંબરો સામે કટાક્ષ કરાયો છે (જુઓ‰. સા. ઇ.નું પૃ. ૨૬૨) ૩. આ કાવ્યની શૈલી ક્યાશ્રયના જેવી છે. '' ૪. જુઓ આવસ્ટયની વૃત્તિ (પત્ર ૧૧આ) પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે : ‘“તથા સ્વાદુ: સ્તુતિષુ ગુરવ:' પ. આનું પરિમાણ ૬૦૦૦ શ્લોકનું છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૭૪)માં નોંધ છે. ૬. આ લેખનું નામ ‘‘આચાર્ય શ્રીમલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન’” છે. એ લેખ ‘‘જૈન સત્ય પ્રકાશ’” (વર્ષ ૭, અંક ૧-૩, પૃ. ૧૪૧-૧૪૪)માં છપાયો છે. આનો મેં અહીં ઉપયોગ કર્યો છે. આ લેખમાં ‘‘મુષ્ટિ-વ્યાકરણ’’ એ નામ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy