SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૩૨-૩૬] ૧૯ આગળ ઉપર એના એક અંગરૂપ સૂત્રપાઠની પ્રક્રિયારૂપે સંકલના કરાઈ છે એટલું જ નહિ પણ આ વ્યાકરણને ઉદેશીને સ્વતંત્ર અને સંક્ષિપ્ત કૃતિઓ પણ રચાઈ છે. આમ આ પંચાંગ વ્યાકરણને અંગે પુષ્કળ ‘સાહિત્ય યોજાયું છે. એનું યથેષ્ટ નિરૂપણ ખૂબ જગ્યા માગી લે તેમ છે એટલે એને અહીં સ્થાન ન આપતાં હું એનો સ્વતંત્ર પ્રકરણરૂપે હવે પછી વિચાર કરીશ. - ભદ્રેશ્વર વ્યાકરણ (ઉ. વિ. સં. ૧૧૯૭)-ગ. ૨. મ.ની સ્વપજ્ઞ વૃત્તિમાં દીપકકર્તા તે ભદ્રેશ્વરસૂરિ છે અને આધુનિક વૈયાકરણોની અપેક્ષાએ એમનું પ્રાધાન્ય છે એમ કહ્યું છે. આથી એમણે કોઈ વ્યાકરણ રચ્યું P ૩૫ હશે એમ લાગે છે. એ અનુપલબ્ધ વ્યાકરણનું નામ જાણવામાં નથી એટલે મેં અહીં આ નામ યોજ્યું છે. ગણરત્નમહોદધિ (વિ. સં. ૧૧૯૭) અને એની સ્વોપજ્ઞ વૃત્તિ- આ વ્યાકરણનો ગ્રન્થ ગોવિન્દસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્યની પ્રાર્થના અનુસાર વિ. સં. ૧૧૯૭માં રચ્યો છે, અને એને ૪૨૦૦ શ્લોક જેવડી સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યો છે. આ ઉપરાંત એમણે સિદ્ધરાજ-વર્ણન નામનો ગ્રંથ રચ્યો છે. સિદ્ધરાજ જયસિંહના દરબારમાંના કેટલાક વિદ્વાનોમાંના એઓ એક હતા. એઓ કલિ.” હેમચન્દ્રસૂરિના સમકાલીન થાય છે. તેમ છતાં એક બીજાનો પોતાની કોઈ કૃતિમાં ઉલ્લેખ કરેલો હોય એમ જાણવામાં નથી. વર્ધમાનસૂરિએ ગ. ૨. મ.ને આઠ અધ્યાયમાં વિભક્ત કર્યો છે. એમણે પાણિનીયાદિ વ્યાકરણોને સંમત નામોના ગણોને, નહિ કે ગ્વાદિ નવ કે દસ ધાતુના ગણોને શ્લોકોમાં રજુ કર્યા છે. આમ કરવા માટે એમણે અષ્ટા)ના અધ્યાયોનો ક્રમ ન સ્વીકારતાં પ્રકરણ અનુસાર રચના કરી છે. જેમકે પ્રથમ “નામગણ અધ્યાયમાં એમણે ગતિ, ઉપસર્ગ, અવ્યય, નિપાત, સર્વનામ વગેરેના ગણો આપ્યા છે. અ. ૨.માં સમાસાશ્રિત ગણોને, અ. ૩-૭માં તદ્ધિત-ગણોને અને અ. ૮માં કૃત્ અને આખ્યાત સંબંધી ગણોને એમણે P ૩૬ સ્થાન આપ્યું છે. ભીમસેન શર્માએ પ્રાસ્તાવિક (પૃ. ૨)માં કહ્યું છે કે અષ્ટાને સ્થાને અન્ય વ્યાકરણ પ્રચારમાં હશે એથી તો અષ્ટા.ગત ગણસૂત્રો ન આપતા એ અષ્ટાને જોઈને એના ઉપરથી કોઇએ સંક્ષેપમાં રચેલાં સૂત્રો વૃત્તિમાં ઉદ્ધત કરાયેલાં જોવાય છે. ૧. “ઋષભદેવજી છગનીરામજી સંસ્થા તરફથી ઉજ્જૈનથી ઈ. સ. ૧૯૪૩માં હેમચન્દ્રકૃતિકુસુમાવલીના નામથી જે પુસ્તક પ્રસિદ્ધ કરાયું છે તેમાં પ્રારંભમાં સિ. હે.ના અ. ૫, પા. ૨ સુધીનાં સૂત્રો અપાયાં છે. ત્યાર બાદ ઉણાદિ-સૂત્રો, પછી સિ. હે. નાં બાકીનાં સૂત્રો, વ્યાકરણવિષયક કેટલીક કારિકાઓ, ન્યાયસંગ્રહ (૧૪) ન્યાયો), હૈમ લિંગાનુશાસન, હૈમ કાવ્યાનુશાસન તેમજ બે હૈમ દ્વાર્નાિશિકા (અયોગ-વ્યવચ્છેદ-દ્વાáિશિકા અને અન્ય-યોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા) અપાયાં છે. ૨. મેં હૈમ પંચાંગ વ્યાકરણના અભ્યાસ માટેનાં સાધનો” નામના લેખમાં આ સાહિત્યની રૂપરેખા આલેખી છે. ૩. આનું સંપાદન જે. એગ્લેિંગે (Eggling) “સંસ્કૃત ટેસ્ટ સોસાયટી” માટે કર્યું છે. એમાં ૪૬૦ પદ્યો છે. એ ઇ.સ. ૧૮૭૯-૮૧માં પ્રસિદ્ધ થયું છે.ભીમસેન શર્માએ પણ આ મૂળ કૃતિનું સ્વોપજ્ઞ વૃત્તિ સહિત સંપાદન કર્યું છે. એમણે પ્રારંભમાં ગણોની સૂચી અધ્યાય દીઠ આપી છે અને અંતમાં અકારાદિ ક્રમે શબ્દસૂચી આપી છે. ૪. આનું એક પદ્ય એગ્લિંગની આવૃત્તિના પૃ. ૩૭રમાં અને ભીમસેન શર્માની આવૃત્તિના મૃ. ૧૯૭માં નજરે પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy