SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ .. 'तैरवधीरिते यत् तु प्रवृत्तिरावयोरिह । तत्र दुर्जनवाक्यानि प्रवृत्तेः सन्निबन्धनम् ॥४०३॥ शब्दलक्ष्म प्रमालक्ष्म यदेतेषां न विद्यते । नादिमन्तस्ततो ह्येते परलक्ष्मोपजीविनः ॥ ४०४॥" જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ઃ ખંડ ૧ આનો અર્થ એ છે કે મારી અને બુદ્ધિસાગરસૂરિની પ્રવૃત્તિમાં દુર્જનોનાં વાક્યો કારણરૂપ છે. એ વાક્યો એ છે કે આ લોકો પાસે—શ્વેતાંબરોની પાસે, નથી શબ્દલક્ષ્મ યાને વ્યાકરણ કે નથી P. ૩૩ પ્રમાણલક્ષ્મ યાને પ્રમાલક્ષણ. આ લોકો કંઈ પહેલેથી નથી; એઓ તો પાછળથી જન્મ્યા છે. એથી એઓ ‘બૌદ્ધ’ વગેરેના ગ્રંથો ઉપર આધાર રાખનારા છે. એના વડે એઓ જીવે છે. આધાર-પ્રમાલક્ષ્મના અંતિમ (૪૦૫માં) શ્લોકમાં કહ્યું છે કે આચાર્ય બુદ્ધિસાગરે વ્યાકરણ વૃત્તોમાં રચ્યું છે. આનો અર્થ સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૯૦ અ)માં સૂચવતાં જિનેશ્વરસૂરિએ કહ્યું છે કે બુદ્ધિસાગરસૂરિએ આ વ્યાકરણ પાણિનિ, ચન્દ્ર, જૈનેન્દ્ર, વિશ્રાન્ત અને દુર્ગ-ટીકાને જોઇને ધાતુ(પાઠ), સૂત્ર(પાઠ), ગણ(પાઠ) અને ઉણાદિ(સૂત્ર)ની વૃત્તમાં રચના કરી છે. આથી એ વાત સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે સમગ્ર પંચાંગ વ્યાકરણ છંદોબદ્ધ છે. ઉલ્લેખ-ધનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૯૫માં રચેલી સુરસુંદરીચરિય (પરિચ્છેદ ૧૬, શ્લો. ૨૪૫)મા બુદ્ધિસાગરસૂરિનો ઉલ્લેખ છે. પંચાસગની અભયદેવસૂરિએ વિ. સં, ૧૧૨૦માં રચેલી વૃત્તિ (પ્રશસ્તિ, શ્લો. ૩)મા, ગુણચન્દ્રે વિ. સં. ૧૧૩૯મા રચેલા મહાવીરચરિય (પ્રસ્તાવ ૮, શ્લો. ૫૩)મા, જિનદત્તસૂરિએ ગણહરસદ્ધસયગના ૬૯મા પદ્યમાં, પદ્મપ્રભે કુંથુનાથચરતમાં અને ઉપર સૂચવ્યા મુજબ પ્ર. ચ.માં આ P ૩૪ બુદ્ધિસાગર વ્યાકરણ વિષે ઉલ્લેખ છે. અભિધાનચિન્તામણિ કાંડ ૩, શ્લો. ૨૬૭)ની સ્વોપજ્ઞ વિવૃતિ (પૃ. ૨૪૫)મા બુદ્ધિસાગરનો જે ઉલ્લેખ છે એ કર્તાના નામને અંગે હોય એમ લાગે છે. હૈમ પંચાગ વ્યાકરણ (લ. વિ. સં. ૧૧૯૩)- વ્યાકરણનાં (અ) સૂત્રપાઠ, (આ) ઉણાદિસૂત્રો, (ઇ) ધાતુપાઠ, (ઈ) ગણપાઠ અને (ઉ) લિંગાનુશાસન એમ પાંચ અંગ ગણાય છે. ‘કલિ.’ ‘હેમચન્દ્રસૂરિએ પંચાંગ વ્યાકરણ રચ્યું છે. વિશેષમાં એમણે એનાં પાંચે અંગોને સ્વોપજ્ઞ વૃત્તિ વડે વિભૂષિત કર્યાં છે. ૧. જુઓ પં. બેચરદાસ. દોશીનો લેખ નામે ‘‘ગુજરાતનું પ્રધાન વ્યાકરણ'' (પૃ. ૮૩). આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજૂ કરાયેલા નિબંધરૂપ આ લેખ ‘પુરાતત્વ” (પૃ. ૪, અં. ૧–૨, પૃ. ૬૧-૧૦૦)માં છપાયો છે. પૃ. ૮૩માં અંતિમ ભાગ અપાયો છે. ૨. સિદ્ધસેન દિવાકરે ન્યાયાવતાર અને સ. ૫. રચ્યાં છે તેનું શું ? શું દુર્જનોએ આનો અપલાપ કર્યો હશે ? ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૨૪)મા આનો અર્થ એમ કરાયો છે કે આ વ્યાકરણ છંદોબદ્ધ છે, અને એ અર્થ બરાબર છે, પરંતુ ‘‘ગૂજરાતનું પ્રધાન વ્યાકરણ’’ નામના લેખ (પૃ. ૮૪)મા તો કહ્યું છે કે ‘આ વ્યાકરણ જોતાં જણાય છે કે એ કેવળ પદ્યોમાં નથી પણ ગદ્યપદ્યરૂપ છે.’ ૪. આ વિશ્રાન્ત તે વામનકૃત વિશ્રાન્તવિદ્યાધર વ્યાકરણ હશે. ૫. કાતન્ત્ર વ્યાકરણ ઉપર દુર્ગસિંહે જે ટીકા રચી છે તે આ છે. ચતુર્વિશતિપ્રબંધ (પ્રબંધ ૨૪, પૃ. ૨૨૬)મા દુર્ગસિંહકૃત વૃત્તિનો ઉલ્લેખ છે. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૦૯) પ્રમાણે દુર્ગટીકા કાશિકા કરતાં પહેલાં રચાઈ છે અને કાશિકા એ વામને અને જયાદિત્યે સાથે મળીને રચેલી ટીકા છે અને એની રચના ભારવિના સમય પછી થયેલી છે. ૬. એમના જીવનની રૂપરેખા માટે જુઓ ત્રીજા પ્રકરણનો પ્રારંભિક ભાગ. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy