SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૨૮-૧૩૧] ૭૫ આ ઇત્યાદિ અક્ષરોના અર્થ અનુક્રમે પૂરા પાડે છે. જેમકે અન્નવાસુદેવ (કૃષ્ણ), આ=પિતામહ, ઇ=કામદેવ ઈત્યાદિ.૧ એકાક્ષર-નિઘંટુ (વિક્રમની ૧૨મી સદી)-આના કર્તા તરીકે “માલધારી' ગચ્છના હેમચન્દ્રસૂરિનો ઉલ્લેખ જોવાય છે. આ નિઘંટુને નામમાલા માની મેં એનો અહીં નિર્દેશ કર્યો છે. આની હાથપોથી સુરતમાં છે. એકાક્ષર-નામમાલા (વિક્રમની ૧૪મી સદી) - આની રચના “વાયડ' ગચ્છના જિનદત્તસૂરિના ૧૩૦ શિષ્ય અમરચન્દ્રસૂરિએ કરી છે. એમણે સ્વાદિશબ્દસમુચ્ચય, પદ્માનંદમહાકાવ્ય વગેરે વિવિધ કૃતિઓ રચી છે.* "એકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૪OO)-આ પચાસ પદ્યની નાનકડી કૃતિના કર્તા સુધાકલશ છે. એઓ ‘હર્ષપુરીય' ગચ્છના રાજશેખરસૂરિના શિષ્ય થાય છે આ રાજશેખરસૂરિ તે સ્વપરસિદ્ધાંતના જ્ઞાતા અને સંગીતશાસ્ત્રમાં પ્રવીણ એવા નરચન્દ્રસૂરિના શિષ્ય તિલકસૂરિની પાટે થયા છે. આ તિલકસૂરિએ સુધાકલશને દીક્ષા આપી હતી. આ સુધાકલશે વિ. સં. ૧૭૮૦માં સંગીતોપનિષદ્ અને વિ. સં. ૧૪૦૬માં એના સારરૂપ સંગીતોપનિષગ્રંથસારોદ્ધાર એમ બે ગ્રંથ રચ્યા છે. ઉપયોગ-સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૪૯માં રચેલી અર્થરત્નાવલીમાં સુધાકલશનો ઉલ્લેખ કર્યો છે એટલું જ નહિ પણ એમણે રચેલી ઉપર્યુક્ત નામમાલિકામાંથી પદ્યો પણ ઉદ્ધત કર્યા છે. ગુણરને નમસ્કાર-પ્રથમપદાર્થમાં ઉપર્યુક્ત નામમાલામાંથી પદ્યો આપ્યાં છે અને આ નામમાલાનો એકાક્ષરનામમાલા અને એકાક્ષર-નિઘંટુ તરીકે નિર્દેશ કર્યો છે. “કલિ.’ હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્ર ૧૩૧ (પ્ર. ૧, ગ્લો. ૧૦)ની માનસાગરીય શતાથમાં આ નામમાલામાંથી અવતરણો અપાયાં છે અવ્યવૈકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૪OO)- આ સુધાકલશની રચના છે. આમાં અવ્યયોને સ્થાન અપાયું છે આની એક પત્રની હાથપોથી લા. દ. વિદ્યામંદિરમાં છે તો એ કૃતિ સત્વર પ્રકાશિત થવી ઘટે. ૧૧એકાક્ષરકોષ– આ મહાક્ષપણકે રચ્યો છે. એમાં પ્રારંભમાં આગમો, અભિધાનો, ધાતુઓ અને શબ્દસાધનથી એકાક્ષર નામ પાડ્યું છે. આની એક પ્રતિમાં નીચે મુજબ ઉલ્લેખ છે :૧. જુઓ “દે, લા. જૈ. પુ. સં.” તરફથી પ્રકાશિત અભિ. ચિ.કોશની આવૃત્તિ (પૃ. ૧-૪)માં છપાયેલ અજ્ઞાતકર્તક " એકાક્ષરકોશ. ૨. જુઓ જિ. ૨. કો. (ખંડ. ૧, પૃ. ૬૧). ૩. આ અપ્રકાશિત છે. એની એક હાથપોથી ભાં. પ્રા. સં. મું. માં છે. ૪. જુઓ પૃ. ૯૮ ૫. “દે લા. જૈ. ૫. સં” તરફથી ગ્રંથાંક ૮૧ તરીકે (મેં સંપાદિત કરેલી અર્થરત્નાવલી ઇત્યાદિ કૃતિઓના સમૂહરૂપે) જે અનેકાર્થરત્નમંજૂષા ઇ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થયેલી છે તેમાં ક-પરિશિષ્ટ તરીકે આ કૃતિ પૃ. ૧૧૯-૧૨૨માં છપાવાઈ છે. વળી આ સંસ્થા તરફથી પ્રકાશિત અભિ. ચિ. કોશની આવૃત્તિના અંતમાં આ એકાક્ષરનામમાલા છપાઈ છે. ૬-૭. દા. ત. જુઓ પૃ, ૩. ૮. જુઓ અ. ૨. (પૃ. ૧૧૧ ને ૧૧૭) ૯. જુઓ અ. ૨. (પૃ. ૧૧૧) ૧૦. જુઓ (પૃ. ૧૦૭). ૧૧. આ કૃતિ એકાક્ષરનામકોષસંગ્રહમાં “રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન” (જોધપુર) તરફથી વિ. સં. ૨૦૨૧માં પ્રસિદ્ધ કરાઈ છે. એનું સંપાદન રમણીકવિજયજીએ કર્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy