SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ “વાક્ષાર્થસંતાપ: મૃત: ક્ષણવિમ:' આ કોષનાં પહેલાં ૪૧ પદ્યોમાં ક થી જ્ સુધીના વ્યંજનોના અર્થની વિચારણા છે. ત્યાર બાદ સ્વરોના અર્થ દર્શાવાયા છે. એકાક્ષર-નામમાલિકા (લ. વિ. સં. ૧૫૫૦)- આને એકાક્ષરી-નામમાલા તેમજ એકાક્ષરીકોષ પણ કહે છે. એમાં ૧૯ પદ્યો છે. એમાં અ-કૃષ્ણ, આ=સ્વયંભૂ એમ એકેક અક્ષરના અર્થ અપાયા છે. એના રચનારનું નામ અમર છે. એમણે પોતાને “કવીન્દ્ર' કહ્યા છે અને વિશ્વકોશ જોઈને આ રચના કરી છે એમ આ નામમાલાના નિમ્નલિખિત આદ્ય પદ્ય ઉપરથી જાણી શકાય છે. “विश्वाभिधानकोशानि प्रविलोक्य प्रभाष्यते । अमरेण कवीन्द्रेणैकाक्षरनाममालिका ।।१।।" સમયસુંદરગણિએ અમરકવિ એવા ઉલ્લેખપૂર્વક એમની આ કૃતિમાંથી અવતરણ આપ્યાં છે. એ હિસાબે આ કૃતિ વિ. સં. ૧૬૪૯ કરતાં સોએક વર્ષ જેટલી તો પ્રાચીન હશે એમ ભાસે છે. ધનંજય-નામમાલાના ભાષ્યના અંતમાંની 'પુમ્બિકામાં એ ભાષ્યના કર્તા અમરકીર્તિને અંગે P ૧૩૨ ‘શબ્દ-વેધસ્' એવું વિશેષણ વપરાયું છે. એ પુષ્પિકા જો ભાષ્યકારની પોતાની જ હોય તો એ પોતાને “કવીન્દ્ર કહે એમાં નવાઈ નહિ. આ પરિસ્થિતિમાં હું ઉપર્યુક્ત અમરને આ અમરકીર્તિથી અભિન્ન માનવા લલચાઉં છું. "એકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૫૫૦)- આ ૧૧૫ પદ્યમાં રચાયેલી કૃતિના કર્તા વિશ્વશંભુ છે. સામાન્ય રીતે એઓ “જૈન” ગણાય છે એટલે મેં આ કૃતિની નોંધ લીધી છે. એમને વિષે વિશેષ જાણવામાં નથી. એમનો ઉલ્લેખ કરી સમયસુંદરગણિએ અષ્ટલક્ષાથમાં એમની આ કૃતિમાંથી પદ્યો ઉધૃત કર્યા છે. એ ઉપરથી આ કૃતિ વિ. સં. ૧૬૪૯ કરતાં સોએક વર્ષ જેટલી પ્રાચીન હશે એમ ભાસે છે. એકાક્ષર-નામમાલા-આ એક અજ્ઞાતકર્તૃક કૃતિ છે. એની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં લેવાઈ છે. શું “દે. લા. જૈ. પુ. સં.” તરફથી જે અભિ. ચિ. કોશ વિવિધ કૃતિઓ સહિત છપાયો છે તેમાં જે અજ્ઞાતકર્તક એકાક્ષરકોશ અપાયો છે તે જ આ છે ? “અભિધાનરાજેન્દ્ર (વિ. સં. ૧૯૪૬- વિ. સં. ૧૯૬૦)- આ સાડા ચાર લાખ શ્લોક જેવડા મહાકાય કોશના કર્તા વિજયરાજેન્દ્રસૂરિ છે. એઓ “સૌધર્મબૃહત્તપા’ ગચ્છના પ્રમોદસૂરિજીના શિષ્ય થાય છે. એમણે આ કોશનો પ્રારંભ સિયાણામાં વિ. સં. ૧૯૪૬માં કર્યો હતો અને એની પૂર્ણાહૂતિ એમણે ૧. આ ભારતીય જ્ઞાનપીઠથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૦૬, ૨. જુઓ અ. ૨. (પૃ. ૨, ૩ અને ૪). ૩. જુઓ અ. ૨. (પૃ. ૨, ૩, ૪ ઇત્યાદિ). ४. “इति महापण्डित श्रीअमरकीर्तिना त्रैविद्येन श्रीसेन्द्रवंशोत्पन्नेन शब्दवेधसा कृतायां धनञ्जयनाममालायां प्रथम - STUવું વ્યારણ્યતિમ્ ?' ૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં આની નોંધ છે. એ હિસાબે પ્રો. વેલણકર પણ આને જૈન કૃતિ ગણતા હોય એમ લાગે છે. ૬. જુઓ અ. ૨. (પૃ. ૧), ૭. જુઓ અ. ૨. (પૃ. ૧, ૩ ઇત્યાદિ). ૮. આ પાઈય-સંસ્કૃત કોશ સાત વિભાગમાં રતલામથી ઇ. સ. ૧૯૧૩, ૧૯૧૦, ૧૯૧૪, ૧૯૧૩, ૧૯૨૧, ૧૯૩૪ અને ૧૯૩૪માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયેલો છે. [આનું પુનર્મુદ્રણ દિલ્હીથી બે પુસ્તક વિક્રેતાઓએ અને અમદાવાદથી ત્રિસ્તુતિકસંઘ હાથીખાના દ્વારા થયું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy