SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૩૧-૧૩૩] અહીં (સુરતમાં) વિ. સં. ૧૯૬૦માં કરી હતી. એમણે આ કોશમાં ૬0000 પાઇય શબ્દોનાં મૂળના નિર્દેશપૂર્વક એનાં સંસ્કૃત સમીકરણ આપ્યાં છે. શબ્દનો અર્થ સમજાવતી વેળા પાઠય કે સંસ્કૃત અવતરણ અપાયું છે. કોઈ કોઈ વાર તો સમગ્ર કૃતિ અવતરણરૂપે અપાઈ છે. એવી કોઈ કોઈ કૃતિ સંસ્કૃતમાં છે. આ કોશની આ વિશિષ્ટતાને લઈને મેં એનો આ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે, જ્યારે આ જ કિર્તાના શબ્દામ્બુધિકોશનો, પં. હરગોવિન્દદાસ ત્રિકમચંદ શેઠે રચેલા પાઈયસÆહષ્ણવ નામના પાઇય-સંસ્કૃત કોશનો, ‘શતાવધાની’ શ્રીરત્નચન્દ્રકૃત 'Ardhmagadhi Dictionary નો કે જેમાં જૈન આગમોના શબ્દોના સંસ્કૃતાદિ ચાર ભાષામાં અર્થ અપાયા છે તેનો તેમજ “આગમોદ્ધારક શ્રીઆનન્દસાગરસૂરિએ સંકલિત કરેલા અલ્પપરિચિતસૈદ્ધાત્તિકશબ્દકોષનો પરિચય હું આપતો નથી. [આ ઉપરાંત જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ, જૈન લક્ષણાવલી, ભિક્ષુઆગમકોશ વગેરે કોષ. પ્રસિદ્ધ થયા છે.] એકાક્ષરી નાનાર્થ કાંડ- આ દિ, ધરસેનાચાર્યે ૩૫ પદ્યમાં રચેલી કૃતિ છે. પારસીક-નામમાલા યાને શબ્દ-વિલાસ (વિ. સં. ૧૪૨૨) – આ કૃતિના રચનાર હરિ બ્રાહ્મણ અજૈન હોવાનો ઘણો સંભવ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૪૪)માં ઉલ્લેખ છે. જૈ. ગ્રં. (પૃ ૩૧૧) પ્રમાણે આના કર્તાનું નામ સલફમંત્રી છે અને એ કૃતિનું બીજું નામ શબ્દ-વિલાસ છે. સિંખ્યાવાચકશબ્દકોશ : સં. આ. જિનેન્દ્રસૂરિ, પ્રકા. હર્ષપુષ્પા-૨૦૪. લેક્ષાકોષ-સં. મોહનલાલ બાંઠીયા, કલકત્તા, ઈ. ૧૯૯૬, સંધિવિનોદપંચદશી-આ. ધર્મધુરંધરસૂરિ, જૈન સા. પ્ર. સભા.] સંદિગ્ધ કૃતિઓ P ૧૩૩ હવે હું એવી કેટલીક કૃતિઓ નોંધું છું કે જે ખરેખર શબ્દોની નામમાલા છે કે કેમ તે વિષે સંદેહ રહે છે. મનોરથ-નામમાલા - આની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં છે. વસ્તુવિજ્ઞાનરત્નકોશ - આ કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં નોંધાયેલી છે. વસ્તુ-કાશ-આનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં કરાયો છે. વસ્તુ-કાશ-આનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં કરાયો છે. રસસાર-જૈ. ગ્રં. (પૃ. ૩૧૧) પ્રમાણે આના કર્તા ગોવિન્દાચાર્ય છે. રત્નકોશ-વ્યાખ્યા (વિ. સં. ૧૧૭૬)-શું આ કોઈ રત્નકોશ નામની કૃતિની ટીકાનું નામ છે ? પાકોશ-જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં આને શબ્દોનો કોશ ગણ્યો છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૩૩)માં જ્યોતિષની એક કૃતિનું નામ પદકોશ અપાયું છે તો તે જ આ કૃતિ છે ? લોક-સંવ્યવહાર-આ “ચંદ્રપ્રભવિજય નામનું કાવ્ય રચનારા રવિગુપ્તની કૃતિ છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં ઉલ્લેખ છે, પણ મને તો એ નીતિનો ગ્રંથ હશે એમ એનું નામ વિચારતાં હુરે છે. સિંખ્યાવાચક શબ્દકોશ : સં. આ જિનેન્દ્રસૂરિ. પ્ર. હર્ષપુષ્પા. ૨૦૪ વેશ્યાકોષ- સ. મોહનલાલ બાંઠીયા કલકત્તા છે. ૧૯૯૬. સંધિવિનોદપંચદશી- આ. ધર્મધુરંધરસૂરિ. જૈન સા. પ્ર. સભા.] ૧. આ ઉપરાંતની કૃતિઓનાં નામ વગેરે માટે જાઓ અભિધાનરાજેન્દ્રના પ્રથમ ભાગની પ્રસ્તાવના (પૃ.૧૩-૧૪) ૨. આના પરિચય માટે જાઓ પાઇય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (પૃ.૫૯-૬૦) ૩. એજન પૃ.૬૦ ૪. એજન પૃ.૬૦ પ. આ નામથી આ કૃતિની નોંધ જૈ. ગ્રં.માં કે જિ. ૨. કોમાં જોવાતી નથી તેનું શું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy