SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૩૪ પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર છંદ' એ છ વેદાંગ પૈકી એક છે. “છંદ શાસ્ત્ર' એટલે અક્ષર કે માત્રાના મેળથી-નિયમથી ઉદ્ભવતાં વિવિધ વૃત્તોની શાસ્ત્રીય વિચારણા. આને અંગ્રેજીમાં પ્રોસીડી (Prosody) તેમજ મેટ્રિક્સ (Metrics) કહે છે. સામાન્ય રીતે એમ મનાય છે કે દરેક દેશમાં સૌથી પ્રથમ પદ્યાત્મક કૃતિ એટલે કે છંદોબદ્ધ રચના યોજાઈ છે. આપણે ત્યાં પણ પ્રાચીનતમ સાહિત્ય તરીકે નિર્દેશાતા વેદનાં સૂકતો છંદમાં વિવિધ છંદમાં છે. જૈનોના આગમો પૈકી કેટલાક સવશે તો કેટલાક અંશતઃ છંદમાં રચાયેલા છે. આને લઈને છંદ શાસ્ત્ર સંબંધી કૃતિઓ જૈનોને તેમજ અજૈનોને હાથે યોજાયેલી મળે છે. આપણે અહીં મૌલિક જૈન કૃતિઓ અને એનાં વિવરણો વિષે વિચારીશું. છંદ શાસ્ત્ર (વિક્રમની છઠ્ઠી સદી)- આના કર્તા જૈનેન્દ્ર વ્યાકરણ વગેરેના પ્રણેતા દિ. પૂજ્યપાદ છે. જયકીર્તિએ પોતાના છંદોડનુશાસનમાં જે પૂજ્યપાદની કૃતિનો ઉપયોગ કર્યાનું પોતે કહ્યું છે તે આ જ પૂજ્યપાદ હોવા જોઈએ. ગમે તેમ પણ એમનું આ છન્દઃશાસ્ત્ર હજી સુધી તો અપ્રાપ્ય છે. જયદેવચ્છદસ્ (ઉ. વિ. સં. ૯૫૦)- આના કર્તા જયદેવ છે. [વૃત્તરત્નાકરના ટીકાકાર સુલ્હણે જયદેવ માટે “શ્વેતપટ' વિશેષણ વાપર્યું છે એટલે ગ્રંથકાર શ્વેતાંબર છે એ નિશ્ચિત થાય છે.] P ૧૩૫ વિષયના નિરૂપણ માટે પિંગલને અનુસરીને એમણે પોતાની પદ્ધતિએ આ કૃતિ રચી છે. એમાં આઠ અધ્યાય છે. પહેલામાં સંજ્ઞા, બીજામાં વૈદિક છંદ “ગાયત્રી' અને ત્રીજામાં વિવિધ વૈદિક છંદો વિષે વિચાર કરાયો છે, અને ચોથાથી લૌકિક છંદો હાથ ધરાયા છે. ચોથા અધ્યાયમાં આર્યા અને વૈતાલીય છંદના પ્રકારો ઉપર અને પાંચમાથી સાતમા અધ્યાયમાં સમ-વૃત્ત, અર્ધ-સમ-વૃત્ત અને વિષમ-વૃત્તો ઉપર પ્રકાશ પડાયો છે. આ અધ્યાયોમાં લૌકિક છંદોનાં લક્ષણો તે તે છંદમાં અપાયાં છે. આઠમા અધ્યાયમાં પ્રસ્તાર વગેરે વિષે પદ્યમાં નિરૂપણ છે. ઐવિદ્યગોષ્ઠી (પત્ર ૯)માં કહ્યું છે કે જાતિ વિવિધ પ્રકારની છે અને દંડકના ઘણા પ્રકારો છે. “માત્રા' છંદના “માગધીમા ૬૭ કરોડ અને ૬૦ લાખ ભેદ છે, “ઉપહાસિની'ના ૪ અજ (અબજ), પ૬ કરોડ, ૯૭ લાખ અને ૬૦ હજાર ભેદ છે, અને “આર્યાના ૮ કરોડ, ૨૯ લાખ અને ૨૦ હજાર ભેદ છે. આને લગતા પ્રસ્તાર વગેરે છ પ્રત્યય છે. હર્ષટની ટીકા સહિતના મૂળમાં જે પાઠ હોવાનું જોવાય છે તે સ્વતંત્ર મૂળથી કેટલીક વાર ભિન્ન છે અને એ તો બની શકે, પરંતુ એમાં આઠમા અધ્યાયને લગતો ભાગ સ્વતંત્ર કૃતિમાં પાંચ જ પદ્યો પૂરતો છે, જ્યારે આ સટીક મૂળમાં બાર જેટલો છે. ૧. જુઓ પૃ. 8-9. ૨. “હરિતોષ સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૪૯માં “જયદામ–” નામથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં જે નીચે મુજબની ચાર કૃતિ છપાઈ છે તેમાં આ પહેલી છેઃ(અ) જયદેવચ્છન્દસ્ (હર્ષટકૃત ટીકા સહિત), (આ) જયકીર્તિકૃત છંદોડનુશાસન. (ઇ) કેદારકૃત વૃત્તરત્નાકર અને (ઇ) હૈમ છંદોડનુશાસન. ૩. આને અંગેનો મારો લેખ નામે “જયદેવકૃત જયદેવચ્છાન્દસ્” “જૈ. સ. પ્ર.” (વ. ૧૫, સં. ૧૦)માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy