SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૧૯-૨૨૧] ૧૩૫ તીર્થકેવલિપ્રશ્ન- “કન્નડ' ટિપ્પણીથી અલંકૃત આ અજ્ઞાતકર્તુક અપૂર્ણ કૃતિની “કન્નડ' લિપિમાં લખાયેલી ૪ર પત્રની એક હાથપોથીની નોંધ ક. તા. ગ્રં. (પૃ. ૨૭૪)માં લેવાઈ છે. કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ (લ. વિક્રમની બારમી-તેરમી સદી)- આના કર્તા દિ. સમન્તભદ્ર હોવાનું મનાય છે. આ પુસ્તકના વિદ્વાન સંપાદક પં. નેમિચન્દ્ર જૈનના મતે એ સમન્તભદ્ર આપ્તમીમાંસાના કર્તાથી તો ભિન્ન છે. એઓ અષ્ટાંગ આયુર્વેદના પ્રણેતા હોવાની અને પ્રતિષ્ઠા તિલકના કર્તા નેમિચન્દ્રના ભાઈ વિજયના પુત્ર હોવાની સંભાવના સંપાદકે દર્શાવી છે. જ્યોતિષશાસ્ત્રના ગણિત અને ફલિત એવા બે વિભાગ પડાય છે. ફલિત જ્યોતિષના વિવિધ પેટાવિભાગ છે. દા. ત. હોરાશાસ્ત્ર, સંહિતાશાસ્ત્ર, મુહૂર્ત શાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, પ્રશ્નશાસ્ત્ર ઇત્યાદિ. પ્રશ્નશાસ્ત્ર એ જ્યોતિષિનું મહત્ત્વનું અંગ છે. જૈનોના- ખાસ કરીને દિગંબરોના જ્યોતિષના ગ્રંથોમાં પ્રશ્નગ્રંથો વિશેષ પ્રમાણમાં જોવાય છે.' પ્રસ્તુત પુસ્તકમાં “ચન્દ્રોન્સીલન' નામની પ્રશ્નપ્રણાલીનું વર્ણન નજરે પડે છે. આ ગદ્યાત્મક પુસ્તક ચન્દ્રોન્સીલનના સંક્ષેપરૂપ છે, પરંતુ સુબોધ છે. એમાં ‘આયપ્રશ્ન પ્રણાલી અને કલ્પિતસંજ્ઞાલગ્ન' પ્રણાલીની છાંટ જોવાય છે. અક્ષરોના વર્ગીકરણથી શરૂ થતા આ પુસ્તકમાં વિવિધ વિષયને અંગેના પ્રશ્નોને સ્થાન અપાયું છે. જેમ કે કાર્યની સિદ્ધિ, લાભાલાભ, ચોરાયેલી વસ્તુની પ્રાપ્તિ, પ્રવાસીનું આગમન, રોગનું નિવારણ અને મુકદ્યમાની સફળતા. વિશેષમાં મુષ્ટિ-પ્રશ્ન અને મૂક-પ્રશ્નોનો પણ અહીં વિચાર કરાયો છે. નષ્ટ જન્મપત્ર બનાવવાની રીત એ આ પુસ્તકનો મહત્ત્વનો અંશ છે. સંપાદકના મતે એ રીત સર્વથા નવીન અને મૌલિક છે." કે. પ્ર. ચૂ.માં કોઈ કોઈ સ્થળે પ્રાચીન કૃતિમાંથી પાઇય ગાથાઓ ઉદ્ધત કરાઈ છે." ચન્દ્રોન્સીલનપ્રશ્ન- આ નિમિત્તશાસ્ત્રની કૃતિની કાગળ ઉપર ‘કન્નડ લિપિમાં સોળ પત્ર ઉપર લખાયેલી એક હાથપોથીની નોંધ ક. તા. ઝં. (પૃ. ૨૪૨)માં લેવાઈ છે. શું આ કૃતિ બૃહજ્યોતિષાવનો ભાગ છે ? ૧. આ પુસ્તક પં. નેમિચન્દ્ર જૈનનાં હિન્દી અનુવાદ તથા વિસ્તૃત અને અનેક ચક્રો રજૂ કરનારા વિવેચન તેમજ પ્રસ્તાવના અને ત્રણ પરિશિષ્ટ સહિત “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઇ. સ. ૧૯૫૦માં પ્રસિદ્ધ કરાયું છે. પ્રથમ પરિશિષ્ટમાં નક્ષત્ર, યોગ અને કરણનાં નામ અપાયાં છે અને જાતજાતનાં મુહૂર્તને લગતાં ચક્રો અપાયાં છે. બીજા પરિશિષ્ટમાં જન્મપત્રી બનાવવાની રીત વિસ્તારથી સમજાવાઈ છે. ત્રીજા પરિશિષ્ટમાં વર અને કન્યાને કેવો મેળ રહેશે તેનો વિચાર કરાયો છે. ૨. દિ, અકલંકે સિદ્ધિવિનિશ્ચયના આઠમા પરિચ્છેદમાં સર્વજ્ઞની સિદ્ધિ કરવા માટે જ્યોતિષના જ્ઞાનના ઉપદેશને હેતુ તરીકે દર્શાવ્યો છે. ૩. દિગંબર સાહિત્યમાં રમલશાસ્ત્રને બદલે ‘પાશાકેવલી' નામની પ્રણાલીનો પ્રચાર જોવાય છે. જાઓ ઉપર્યુક્ત હિન્દી પ્રસ્તાવના (પૃ. ૩) ૪. જાઓ હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧૭) ૫. જાઓ હિન્દી પ્રસ્તાવના (પૃ. ૨૪) ૬. જાઓ પૃ.૧૮, ૧૯, ૨૪, ૪૬, ૪૭, ૪૯ અને ૮૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy