SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૭૫-૧૭૭] ૧૦૫ આ કૃતિની તેમજ બીજી “મંડન અંતવાળી સાતે કૃતિઓની તથા ચંદ્રવિજયની, કાયસ્થ વિનાયકદાસે તાડપત્ર ઉપર વિ. સં. ૧૫૦૪માં લખેલી હાથપોથી પાટણનાં ભંડારમાં છે. ઐવિદ્યગોષ્ઠી (પત્ર ૧૦અ)માં કહ્યું છે કે વિદ્વાનો શબ્દ અને અર્થના વૈચિત્ર્યથી મનોહર એવા કવિ-કર્મને (કાવ્યને) “સાહિત્યનો સાર' કહે છે. તેમાં શબ્દના ત્રણ પ્રકાર છેઃ (૧) વાચક, (૨) ઔપચારિક અને (૩) વ્યંજક, અર્થના પણ ત્રણ પ્રકાર છે: (૧) મુખ્ય, (૨) ઉપચરિત અને (૩) વ્યંગ્ય. શબ્દનું વૈચિત્ર્ય દોષ દૂર કરવાથી, ગુણ સ્થાપિત કરવાથી કરવાથી અને ભૂષણ (અલંકાર)નો ઉપયોગ કરવાથી ઉદ્ભવે છે. દુષ્ટ, અસંસ્કાર ઇત્યાદિ દોષો અને માધુર્યાદિ ત્રણ ગુણો ગણાવી અલંકાર તરીકે અનુપ્રાસ ઇત્યાદિ એમ કહ્યું છે. અર્થનું વૈચિત્ર્ય વસ્તુ, અલંકાર અને રસના ભેદથી ત્રણ પ્રકારનું છે એમ અહીં કહ્યું છે. ત્યાર બાદ ત્રણ પદ્યો આપી વિષમવૃત્ત, વિષમતર વૃત્ત, સમસ્યા, ચિત્ર, ક્રિયાગુપ્તક ઇત્યાદિ કુશલતાઓ કે જે અનેક વિદ્વાનોના મનોવિનોદના ફળરૂપ હોય તે અનેક પ્રકારે સંભવે છે એમ કહ્યું છે. કવિતામદપરિહાર (લ. વિ. સં. ૧૭૦૦)- જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૨) પ્રમાણે આના કર્તા - ૧૭૭ સકલચન્દ્રના શિષ્ય શાંતિચન્દ્ર છે. એમણે આ કૃતિને સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યાનો પણ અહીં ઉલ્લેખ છે. આ ઉલ્લેખની પૂર્વે “કવિતામદપરિહારવૃત્તિને “કવિમદપરિહાર' હોવાનું સંભવે છે એમ જે કહ્યું છે તે વિચારણીય જણાય છે. અલંકારચિન્તામણિ (ઉં. વિક્રમની ૧૮મી સદી)- દિ. અજિતસેને રચેલી આ કૃતિમાં પાંચ પરિચ્છેદ છે. આમાં કવિશિક્ષા, ચિત્રાલંકાર, યમકાદિ, અર્થાલંકાર અને રસાદિનું અનુક્રમે નિરૂપણ છે. ટીકા-જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૭) પ્રમાણે અલંકાર-ચિન્તામણિ ઉપર કોઈકની ટીકા છે. અલંકાર સંગ્રહ–આના કર્તા અમૃતનંદિ છે. એમણે આ કૃતિ છ પ્રકરણોમાં વિભક્ત કરી છે. એમાં અનુક્રમે નિમ્નલિખિત વિષયોનું નિરૂપણ છે - વર્ણગણવિચાર, શબ્દાર્થનિર્ણય, રસવર્ણન, નેત્રભેદનિર્ણય, અલંકારનિર્ણય અને ગુણનિર્ણય. આ કૃતિની વિવિધ હાથપોથીઓની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૭)માં લેવાઈ છે. આ કૃતિની કન્નડ’ લિપિમાં લખાયેલી ત્રણ હાથપોથીની નોંધ ક. તા. ઝં. માં છે (જુઓ પૃ. ૧૩૫, ૨૨૫ અને ૨૯૩). પૃ.૩૧૩ આ કૃતિના પ્રણેતાનું નામ “અમૃતાનન્દ યોગી' અપાયું છે. ૧. આ ત્રણે પદ્યો ત્રીજાના ગુજરાતી અનુવાદ સહિત મેં “સહસાવધાની મુનિસુન્દરસૂરિનું લાક્ષણિક સાહિત્ય” નામના મારા લેખમાં આપ્યાં છે. ૨. આ કૃતિ સોલાપુરના રહીશ સખારામ નેમચંદ દોશી દ્વારા શકસંવત્ ૧૮૨૯માં સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ કરાઈ છે પણ એ અપૂર્ણ જણાય છે. ૩. “આકાર-ચિત્ર”નાં ઉદાહરણો તેમજ એને લગતાં ચિત્રો મેં ILD નામના મારા લેખમાં આપ્યાં છે અને એ એના ત્રીજા હપ્તામાં મુંબઈ વિદ્યાપીઠના સામયિક (Arts No. 31)માં પ્રસિદ્ધ થનાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy