SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર : પ્રિ. આ. ૧૪૪–૧૪૮] ૮૫ મુનિવર નંદિષેણે જાતજાતના અને કેટલાક તો વિરલ જણાતા છંદોમાં અજિયસંતિથયની રચના કરી છે. આ તમામ છંદોનાં નામ પ્રસ્તુત છંદોડનુશાસનમાં જણાતાં નથી. જે નામથી જે છંદોનાં લક્ષણો અહીં અપાયાં નથી તે છંદોનાં લક્ષણો અન્ય નામથી અપાયાં છે ખરાં ? જો ન જ અપાયાં હોય (અને લાગે છે તો એમ જ) તો એનું શું કારણ હશે ? શું આ પાઇય સ્તોત્રથી હેમચન્દ્રસૂરિ અપરિચિત હશે R ૧૪૭ કે આ સ્તોત્ર એમના સમય પછી રચાયું હશે કે અન્ય જ કારણ હશે ? સ્વોપજ્ઞ વૃત્તિ– જૈ. ગ્રં. (પૃ. ૩૧૭) પ્રમાણે તો આનું જ નામ છન્દધૂડામણિ છે. શરૂઆતમાં કલિ.” હેમચન્દ્રસૂરિએ અનુશાસનનો અર્થ ‘પૂર્વાચાર્યોના શાસનને અનુસરનાર' એવો કર્યો છે, જો કે કેટલીક વાર છંદનાં નામો અન્ય પ્રકારનાં આપ્યાં છે. અહીં એમણે ભરત, સૈતવ, પિંગલ, જયદેવ, કાશ્યપ અને સ્વયંભૂનો તેમજ સિદ્ધસેન (દિવાકર), સિદ્ધરાજ, કુમારપાલ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. કુમારપાલનો જે અહીં ઉલ્લેખ છે એ ઉપરથી આ વૃત્તિ તો એમના સમયમાં રચાયાનું ફલિત થાય છે. - અ. ૧, સૂ. ૧૫ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૨ અ)માં “નમોડસ્તુવર્ધમાનાય' થી શરૂ થતી સ્તુતિનું આદ્ય પદ્ય પાદાન્ત યતિના ઉદાહરણરૂપે અપાયું છે. અ. ૪, સૂ. ૧ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ર૬)માં કહ્યું છે કે “આર્યા” તે જ સંસ્કૃત ભાષાઓમાં ગાથા' કહેવાય છે. અ. ૪, સૂ. ૫૫ની સ્વોપ વૃત્તિ (પત્ર ૩૦ અ)માં નીચે મુજબનું પદ્ય છે : "जयति विजितान्यतेजाः सुरासुराधीशसेवितः श्रीमान् । विमलस्त्रासविरहितस्रिलोकचिन्तामणिर्वीरः ॥" અ. ૨, સૂ. ૧૫૫ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૭૮)માં ઉપજાતિના ચૌદ પ્રકારો દર્શાવી ત્યાર બાદ પત્ર ૭૮માં દસયાલિય (અ. ૨)ના પાંચમા પદ્યનો અને અ. ૯, ૧. ૧ના બીજા પદ્યનો અંશ ઉત # ૧૪૮ કરાયા છે. અ. ૪, સુ. પની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૨૭ આ)માં “કમલા'થી શરૂ થતાં ત્રણ પદ્યો ગાહાલખણમાં ૪૦માથી ૪૧મા પદ્યરૂપે કંઈક પાઠભેદપૂર્વક જોવાય છે. અ. ૫, સૂ. ૧૬ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૩૬૪)માં તિલકમંજરી (પૃ. ૧૭૭)ગત “શુક્ઝશિવ થી શરૂ થતું પદ્ય ઉદ્ગત કરાયું છે. ૧. બધા મળીને ૨૮ છંદો છે અને “ગાહા'ના પાંચ ઉપપ્રકારોને ભિન્ન ગણીએ તો ૩ર થાય. ૨. અજિયસંતિથય ઉપર જિનપ્રભસૂરિએ બોધિદીપિકા (કેટલાક આને બોધદીપિકા કહે છે)માં તમામ છંદોનાં લક્ષણો હૈમ છંદોડનુશાસનમાંથી ન આપતાં કેટલાકના કવિદખ્ખણમાંથી આપ્યાં છે એ વાત અહીં વિચારવી ઘટે. ૩. આ દેવકરણ મૂળજી તરફથી પ્રકાશિત છે. ૪. એમણે રચેલી પ્રથમ હાનિંશિકાનું ૩૦મું પદ્ય પત્ર ૧અમાં ઉદ્ધવૃત કરાયું છે. પ. આ ત્રણ પદ્યની સ્તુતિ ત્રણ ભિન્ન ભિન્ન છંદમાં છે. છંદની દૃષ્ટિએ એ “વિશાલલોચનથી” શરૂ થતી સ્તુતિ સાથે સામ્ય ધરાવે છે. ૬. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૬૨-૬૪). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy