SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ P ૨૫૮ વિ. સં. ૧૮૩૩માં રચેલા આત્મ(પ્ર)બોધનો પ્રથમાદર્શ લખ્યો હતો. વિશેષમાં એમણે નીચે મુજબ ગ્રંથો રચ્યા છે : - ખરતરગચ્છપટ્ટાવલી (વિ. સં. ૧૮૩૦), દશપર્વથા (વિ. સં. ૧૮૩૫), પરસમયસારવિચાર સંગ્રહ, પ્રશ્નોત્તરસાર્ધશતક (વિ. સં. ૧૮૫૧), યશોધરચરિત (વિ. સં. ૧૮૩૯), વિચારશતકબીજક અને સમરાદિત્યચરિત (વિ. સં. ૧૮૭૩) વળી એમણે નિમ્નલિખિત કૃતિ ઉપર વિવરણ રચ્યું છે : ગૌતમીય કાવ્ય, જીવવિયાર, તર્કસંગ્રહ, ભૂ-ધાતુ, મેરુત્રયોદશી, સિરિવાલકહા (શ્રીપાલચરિત્ર) અને સૂક્તરત્નાવલી (સ્વરચિત)." આ કૃતિમાં ૧૦૮ પદ્યો છે. એ ઉપજાતિ, અનુણુભ, વગેરે છંદોમાં રચાયેલાં છે. એમાં પુરાતન આધ્યાત્મિક પરંપરા અને ભારતીય નૈતિકતાને લક્ષ્યમાં રાખી વિવિધ વિષયો આલેખાયા છે. જેમકે શત્રુંજયાદિ તીર્થોની પ્રશંસા, ધર્મ, ગુરુ અને દેવ એ તત્ત્વત્રયીનું સ્વરૂપ, અમરકોશનું આદ્ય પદ્ય લઈને સમસ્યારૂપે પાર્શ્વનાથની પાંચ પદ્યની સ્તુતિ, “કલિ' યુગનું વર્ણન, કામવિકાર, બ્રહ્મચર્યની નવ વાડ, કાર્યસિદ્ધિનાં પાંચ કારણો, ઇન્દ્રિયોનો વિજય, મનની ચંચળતા, પ્રમાદના પાંચ અને 'આઠ પ્રકારો, સંતોષ, આત્માનું સ્વરૂપ, પંચાર ગતિ, પરનિન્દાની નિન્દા, આત્મનિન્દા, ગુરુને નિવેદન, અન્તર્લીપિકા P ૨૫૯ અને બહિર્લીપિકા દ્વારા સુભાષિત, નિરોદ્ય પદ્યો દ્વારા મહાવીરસ્વામીની સ્તુતિ, ધર્માચાર્ય (જિનલાભસૂરિ) અને વિદ્યાગુરુઓ ઉપા. રાજસીમ અને રામવિજયની સ્તુતિ અને કર્તાના નામ (ક્ષમાકલ્યાણ)નો નિર્દેશ. સ્વોપજ્ઞ વૃત્તિ- આ સંક્ષિપ્ત વૃત્તિમાં અંતમાં ચાર પડ્યો છે. એમાં કહ્યું છે કે આ વૃત્તિ વિ. સં. ૧૮૪૭માં મકસૂદાબાદમાં ‘ઊકેશ’ વંશના મૂલચન્દ્રના પુત્ર ધોંકલચન્દ્ર અને કીર્તિચન્દ્રના આગ્રહથી રચી. સુભાષિત-પદ્ય-રત્નાકર- આ જૈન તેમજ અજૈન ગ્રંથોમાંથી વિવિધ વિષયોને લગતાં પ્રાસંગિક પદ્ય-સુભાષિતાદિના મુનિશ્રી જયંત-વિજયજીના શિષ્ય મુનિશ્રી વિશાળવિજયજીએ કરેલા સંગ્રહરૂપ છે અને એનો ગુજરાતીમાં અનુવાદ એમણે કર્યો છે. આ પ્રમાણે તૈયાર કરાયેલી કૃતિનું નામ એમણે સુભાષિત-પદ્ય-રત્નાકર રાખ્યું છે. કયા કયા ગ્રંથોમાંથી અવતરણરૂપે પદ્યો લેવાયાં છે તેનો નિર્દેશ તે તે પદ્યની નીચે કરાયો છે. કેટલાંક પદ્યો પાઇયમાં પણ છે. ૧. એમણે ગુજરાતીમાં પણ કેટલીક કૃતિઓ રચી છે. એનાં તેમજ સંસ્કૃત કૃતિનાં નામ માટે જુઓ જૈ. સા. સં. ઇ. (પૃ. ૬૭૬-૬૭૭.) ૨. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને પૂર્વકૃત કર્મ. ૩. મદ્ય, કષાય (ક્રોધાદિ), ઇન્દ્રિયોના વિષય, નિદ્રા અને વિકથા (શ્લો. ૪૫). ૪. અજ્ઞાન, સંશય, વિપર્યય, વિભાવોનો રાગ, દ્વેષ, વિસ્મરણ દુપ્પણિધાન અને ધર્મકાર્યનો અનાદર (ગ્લો. ૫૦-૫૧). ૫. નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય સંબંધી ગતિ. ૬. આ સંગ્રહાત્મક કૃતિ પાંચ ભાગમાં “શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાલા”માં પુ. ૨૭, ૩૧, ૩૪, ૫ર (ભા. ૪) અને ૪૮ (ભા. ૫) તરીકે ઉજ્જૈનથી અનુક્રમે વિ. સં. ૧૯૯૧, '૯૨, ૯૩, ૯૫ અને ૯૫માં પ્રકાશિત કરાઈ છે. પાંચમો ભાગ જિનેશ્વરની સ્તુતિઓ વગેરેના સંગ્રહરૂપ છે. ૭. આમાં ત્રિષષ્ટિ. સિજૂરપ્રકર, ધર્મકલ્પદ્રુમ, ઉપદેશપ્રાસાદ ઇત્યાદિનો સમાવેશ કરાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy