SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ વિભક્ત કરે છે. આનો એક રીતે વિચાર કરીએ તો “સંસ્કૃત ભાષા એ પાઇય ભાષાનું વ્યાકરણાદિની દૃષ્ટિએ-શિષ્ટતાદિની અપેક્ષાએ ઘડાયેલું સ્વરૂપ છે. આ હિસાબે તો સંસ્કૃત ભાષા પાઇયની જેમ અનાદિ કાળની ઠરે. અહીં જે “સંસ્કૃત સાહિત્યનો વિચાર કરવાનો છે તેને આ અનાદિકાલીન સંસ્કૃત સાથે સીધો સંબંધ નથી એટલું જ નહિ, પરંતુ સમગ્ર દુનિયામાં આજે જે પ્રાચીનમાં પ્રાચીન કૃતિ તરીકે ઋગ્વદના અમુક મંડળો અને કેટલીક વાર અથર્વવેદનો અમુક ભાગ ગણાવાય છે એ “વૈદિક' ભાષા સાથે પણ સાક્ષાત્ નિસ્બત નથી. આ વૈદિક ભાષાના વિવિધ પરિવર્તનો થયાં છે. ઋગ્યેદ વગેરે વેદો જે ભાષામાં ગ્રન્થસ્થ સ્વરૂપે આજે આપણને ઉપલબ્ધ છે, એ ભાષાની નાની બેનરૂપ “અવેસ્તા' ભાષામાં લખાયેલા પારસીઓના ધાર્મિક ગ્રંથોની તેમજ વેદોના પ્રણયનકાલ પછીના રચાયેલા બ્રાહ્મણોની ભાષા ઋગ્વદ આદિની ભાષાથી થોડીઘણી ભિન્નતા ધરાવે છે. આ બ્રાહ્મણો પૈકી કેટલાકથી તો યાસ્કનું નિરુક્ત અર્વાચીન છે જ. એની ભાષા એ પ્રાચીન બ્રાહ્મણોથી અંશતઃ ભિન્ન છે. યાસ્ક નિરુક્તની ભાષાને ‘ભાષા' કહી છે. આ નિરુક્તની રચના બાદ ઉપનિષદોનું સર્જન થયું છે. આગળ જતાં કોઈ વિદ્વાનના મતે ઈ. સ.ની પૂર્વે છઠ્ઠી સદીમાં અને અન્ય કેટલાકના મતે ઈ. સ.ની પૂર્વે ચોથી સદીમાં પાણિનિ થયા. એમણે અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ રચી એમના સમયમાં શિષ્ટ P ૪ જનોમાં બોલાતી ભાષાને નિયંત્રિત કરી. આ ભાષાને “વૈદિક યાને ‘છાંદસ' ભાષાથી ભિન્ન બતાવવા તેમજ એમાંથી એની ઉત્પત્તિ સૂચવવા લૌકિક (classical) સંસ્કૃત એવું નામ આધુનિક વિદ્વાનોએ આપ્યું છે. આ વ્યાકરણમાં નહિ નોંધાયેલા એવા કેટલાક પ્રયોગો ભાસની કૃતિઓમાં મળે છે. તેમ છતાં એની પણ ભાષા તો આ લૌકિક સંસ્કૃત જ છે, અને ભાસ પછી થયેલા દરેક સંસ્કૃત ગ્રંથકારની ભાષા આ જ રહી છે. આજે પણ આ ભાષામાં પુસ્તકો રચાય છે (નહિ કે વૈદિક ભાષામાં) અને પ્રસંગવશાત્ ભાષણો અપાય છે એટલે આ દૃષ્ટિએ તો આ ભાષા જીવતી જાગતી જ છે. એ મૃત ભાષા (dead language) ન જ ગણાય અને ગણાવી પણ ન જ જોઈએ. જૈન લિપિબદ્ધ સાહિત્ય શ્રમણ ભગવાન મહાવીરસ્વામી (ઈ. સ. પૂર્વે ૫૯૯ થી ઈ. સ. પૂર્વે ૫૨૭) પૂર્વનું મળતું નથી. એ રીતે વિચારતાં જૈનોને હાથે સંસ્કૃતમાં લખાયેલી તમામ કૃતિઓ અશ્વઘોષ, ભાસ વગેરેના ગ્રંથોની પેઠે લૌકિક સંસ્કૃત ભાષામાં જ છે. ભાષા કોની?–ભાષા એ તો વિચારોને વ્યક્ત કરવાનું એક વાહન છે અને એ પણ સર્જાશે સંપૂર્ણ નથી) તો પછી અમુક ભાષા તે અમુક લોકોની કે અમુક સંપ્રદાયની છે એમ કેમ કહેવાય ? જે કોઈ જે ભાષા બોલે એમાં વિચાર કરે અને લખે તેની તે ભાષા ગણાય તેમ છતાં એવો ભ્રમ સેવાતો જોવાય છે કે જાણે વૈદિક' ભાષા અર્થાત્ વેદાદિની સંસ્કૃત ભાષા તે બ્રાહ્મણોની જ, ‘અવેસ્તા-પહેલવી તે પારસીઓની જ, ‘પાલિ' તે બૌદ્ધોની જ અને “અદ્ધમાગણી' (અર્ધમાગધી) તે જૈનોની જ ભાષા છે. આ વસ્તુસ્થિતિ સાચી નથી P ૫ એ મેં પાય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય નામના મારા પુસ્તકમાં સૂચવ્યું છે. એમાં મેં મરહટ્ટી અને સોરસણીના ભેદ ગણાવતાં “જઈશ' વિશેષણ જે વાપર્યું છે તે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોના કથનને અનુલક્ષીને છે. ૧. જુઓ ઠાણ (ઠા. ૭; સુત્ત ૫૫૩; પત્ર ૩૯૪અ.) ૨. યજ્ઞપ્રસંગે કામમાં લેવાતા મંત્રોના ઉપયોગ અને અર્થ ઉપર પ્રકાશ પાડનારાં આ એક જાતનાં વિવરણ છે. ૩. એમની કૃતિઓમાં કેટલેક સ્થળે ‘અપાણિનીય' ગણાય એવા પ્રયોગો છે. જુઓ ભાસનાટકચક્રનું દ્વિતીય પરિશિષ્ટ (પૃ. ૫૬૯-૫૭૩). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy