SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ : પ્રાસ્તાવિક : [પ્ર. આ. ૩-૭] ‘જૈન’ સંસ્કૃત—બ્લૂમફીલ્ડે જૈનોની કેટલીક સંસ્કૃત કૃતિઓની ભાષાને ‘જૈન સંસ્કૃત’ કહી છે. એનું કારણ એ છે કે એ ભાષા અષ્ટા૰ને સર્વાંશે અનુસરતી નથી એટલું જ નહિ પણ એના ઉપર અ. મા. નો– પાઇય ભાષાનો પાસ જોવાય છે. તેમ છતાં આ ભાષા ‘‘આવું = મરચાં’' જેવા શ્લોક દ્વારા સૂચિત બનાવટી સંસ્કૃત નથી જ. ખરેખરી સંસ્કૃત ભાષા ગણાય એવી ભાષામાં અનેક ગ્રંથો જૈનોને હાથે રચાયેલા છે. એના હિસાબે ‘‘પોટ પતિ: ’' જેવા ‘‘જૈન સંસ્કૃત’’માં બહુ ઓછા ગ્રંથો—ગ્રંથાંશો છે. એની પણ હું અહીં નોંધ લેનાર છું. મર્યાદા–અત્યાર સુધીમાં જેટલી કૃતિઓ આ દેશના કે અન્ય દેશના કોઈ પણ માનવીને હાથે રચાઈ છે તે નિરવધિ કાળ પર્યંત સચવાઈ જ રહે એમ બને જ નહિ. આથી તો આપણને અનેક ગ્રંથકારોની કૃતિ આજે મળતી નથી. જૈન સાહિત્ય પૂરતો વિચાર કરીશું તો જણાશે કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના જન્મ P. ૬ પૂર્વે કોઈ સાર્વજનીન જૈન કૃતિ રચાઈ હોય તો તે જળવાઈ રહી નથી. વળી ધાર્મિક સાહિત્યને અંગે પણ એમની પૂર્વે થઈ ગયેલા ‘પુરુષાદાનીય’ પાર્શ્વનાથ (ઈ. સ. પૂર્વે ૮૭૭–ઈ. સ. પૂર્વે ૭૭૭)ના તીર્થમાં રચાયેલી દ્વાદશાંગી પણ સચવાઈ રહી નથી. હા, એમ બન્યું હોય કે એમાંના કેટલાક ભાગોને વિનયમૂર્તિ ઇન્દ્રભૂતિ વગેરે અગિયારે ગણધરોએ જે જે એકેક દ્વાદશાંગી રચી તે પૈકી સુધર્મસ્વામી નામના પાંચમા ગણધરકૃત દ્વાદશાંગીમાં સ્થાન અપાયું હોય. આવા ભાગો કઈ ભાષામાં હશે અને એ કયા હશે એનો સર્વમાન્ય નિર્ણયાત્મક ઉત્તર આપવાનું કોઈ સાધન જણાતું નથી. પાંચમા ગણધરે રચેલી દ્વાદશાંગી પણ સર્વાંશે આજે ઉપલબ્ધ નથી. દિટ્ટિવાય નામનું બારમું અંગ આજે મળતું નથી, એનો મહત્ત્વનો અને મહાકાય વિભાગ નામે ‘પુળ્વગય’ લુપ્ત થયો છે. એના ચૌદ વિભાગરૂપ ચૌદ ‘પુર્વા’ (પૂર્વ) સંસ્કૃત ભાષામાં રચાયાં હોવાની માન્યતાનું સમર્થન પ્રાચીન અવતરણરૂપ એકાદ બે પદ્યો અને ખાસ કરીને તો પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવકચરિત (શૃંગ ૮, શ્લો. ૧૧૩)માં કરેલા નિર્દેશ દ્વારા થઈ શકે તેમ છે, પરંતુ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિસેસાવસ્સયભાસગત નિહ્નવ-વાદને અંગે ‘મલધારી' હેમચન્દ્રસૂરિએ પોતાની ટીકામાં પુળ્વમાંથી ઉદ્ધૃત કરાયેલી જે પંક્તિઓ આપી છે એ તો પાઇય ભાષામાં છે તેનું કેમ એમ એની વિરોધનો સૂર પણ ઉઠાવી શકાય તેમ છે. આવી પરિસ્થિતિમાં પણ ચૌદ પુવ્વની મોટા ભાગની ભાષા સંસ્કૃત હશે એમ માની લઈએ તો પણ એ ભાષામાં કયા કયા વિષયો ચર્ચાયા હશે તેનો નિર્ણય કરવા માટે આશરે પંદરસો વર્ષ પૂર્વેનું કોઈ સાધન P ૭ જણાતું નથી. આથી કરીને ઉપલબ્ધ જૈન સંસ્કૃત સાહિત્યની કોઈ પણ કૃતિ ઈ. સ.ના પહેલા સૈકાની પૂર્વે રચાયેલી છે એમ ભાગ્યે જ કહી શકાય. આથી તો આ પુસ્તકમાં જે વિવિધ વિષયોની કૃતિઓ હું વિચારવા ઇચ્છું છું તેની એક કાલ-મર્યાદા આ પ્રમાણેની છે. જ્યારે બીજી કાલમર્યાદા તરીકે મેં પહેલાં તો ‘ન્યાયાચાર્ય’ ‘ન્યાયવિશારદ’ યશોવિજયગણિનો લગભગ વિ. સં. ૧૭૪૩ સુધીનો જીવન-કાળ પસંદ કર્યો હતો (કેમ કે ૧. ૩ "आदुं च मरचां लसणं च लीम्बु, धाणाश्च जीरूं मीतुं नाखी देवुं । पाषाणमध्ये परिमर्दयामि इदं प्रमाणे चटणी भवन्ति ।। ' ,, Jain Education International આવાં અન્ય ઉદાહરણો માટે—સંસ્કૃતાભાસના નમૂના માટે જુઓ મારો ‘ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ’’ના તા. ૧૮-૫-’૪૭ના અંકમાં પ્રકાશિત થયેલો લેખ નામે ‘બનાવટી સંસ્કૃત’’ ૨. આ ચર્ચા માટે જુઓ મારાં પુસ્તકો નામે A History of the canonical Literature of the Jainas (પૃ. ૮૯-૯૦) અને આગમોનું દિગ્દર્શન (પૃ. ૨૧૨-૨૧૩). For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy