SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ એમના સ્વર્ગવાસ પછી ભાગ્યે જ કોઈ નોંધપાત્ર જૈન મૌલિક કૃતિ સંસ્કૃતમાં રચાયેલી હશે, પરંતુ સાહિત્યના ઇતિહાસના કેટલાક આધુનિક લેખકોએ પોતાના સમય સુધીની કૃતિઓનો પરિચય આપ્યો છે એથી તેમજ એ દ્વારા છેલ્લાં અઢીસો વર્ષ દરમ્યાન કઈ જાતની સાહિત્યપ્રવૃત્તિએ વેગ પકડ્યો છે તેનો ખ્યાલ આપવો ઉચિત જણાવાથી હું પ્રથમ વિચારને છોડી દેવાની તૈયારીમાં હતો તેવામાં અહીં (સુરતમાં) જૈનાચાર્ય શ્રીવિજયપ્રતાપસૂરીશ્વરના શિષ્યરત્ન આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીનું આગમન થતાં તેમની ઇચ્છા પણ આજ દિન સુધીની સમુચિત કૃતિની નોંધ લેવાય તો સારું એવી હોવાથી મેં કાલ-મર્યાદા લંબાવી છે, જો કે પ્રકાશક તરફથી નક્કી કરાયેલી પૃષ્ઠસંખ્યામાં રહીને કામ કરવાનું હોવાથી મુખ્ય મુખ્ય કૃતિઓની પ્રસંગોપાત્ત નોંધ લઈ સંતોષ માનવો પડ્યો છે – પૂર્વગામી ગ્રંથોની પેઠે પરિચય આપવાનું માંડી વાળવું પડ્યું છે. વર્ગીકરણ-જૈન ધર્મના અનુયાયીઓએ ભારતવર્ષની વિવિધ ભાષાઓમાં કૃતિઓ રચી છે. એમના મહામૂલ્યશાળી ઉપલબ્ધ આગમો અદ્ધમાગધીમાં રચાયેલા હોવા છતાં એમણે સંસ્કૃત ભાષાને પણ સમુચિત સ્થાન આપવામાં સંકોચ રાખ્યો નથી. વિશેષમાં જે કોઈ ગ્રંથ પોતાના શિષ્યાદિના પઠનપાઠન માટે ઉપયોગી લાગ્યો તેના ઉપર તેમજ અન્ય રીતે પણ જે મહત્ત્વનો જણાયો તેના ઉપર એમણે વિવરણ રચ્યાં છે. પછી P ૮ ભલેને એ ગ્રંથ અજૈન સંપ્રદાયનો કેમ ન હોય ? કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૈકી ત્રીજા પુરુષાર્થને જ પ્રધાનપણે ઉદેશીને લખાયેલો પણ કેમ ન હોય ? વળી એમણે પાઇય કૃતિઓ ઉપર પણ સંસ્કૃત ભાષામાં વિવરણો રચ્યાં છે અને કેટલીક વાર એના પ્રતિસંસ્કૃતરૂપ સાહિત્ય પણ સર્જાયું છે. આ ઉપરાંત એમણે સમસંસ્કૃત' કૃતિઓની જેમ “અર્ધસંસ્કૃત” કૃતિઓ અને એક જ વાક્યમાં અમુક અંશ સંસ્કૃતમાં અને બાકીનો પાઇયમાં હોય એવી એટલે કે 'મિશ્રભાષામાં ગુંથાયેલી કૃતિઓ અથવા વચ્ચે વચ્ચે સંસ્કૃત ભાષાની કંડિકાઓ હોય એવી પણ પાઇય કૃતિઓ રચી છે. આને લઈને એમણે રચેલી સંસ્કૃત કૃતિઓને આપણે નીચે મુજબના મુખ્ય સાત વર્ગમાં વિભક્ત કરી શકીએ :(૧) સ્વતંત્ર સંસ્કૃત કૃતિઓ. | (૪) અજૈન સંસ્કૃત ગ્રંથોનાં સંસ્કૃત વિવરણો. (૨) સંસ્કૃત કૃતિઓનાં સ્વપજ્ઞ સંસ્કૃત વિવરણો. (૫) જૈન પાઠય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો. (૩) ભિન્નકર્તક જૈન સંસ્કૃત ગ્રંથોનાં (૬) અજૈન પાઇય કૃતિઓના સંસ્કૃત વિવરણો. સંસ્કૃત વિવરણો. (૭) પ્રતિસંસ્કૃત સાહિત્ય. હવે આપણે આ વર્ગોનો વિષયદીઠ વિચાર કરીશું. Cosmology : Old and New Pro. G. R. Jain "Gledlu silhuls". Ambika : In Jain Art And Literature. લે. મારુતિનંદન તિવારી “ભારતીય જ્ઞાનપીઠ'' ૧. સરખાવો અંગ્રેજીમાં macaronic તરીકે ઓળખાવાતી કૃતિઓ, આ શબ્દનો અર્થ “ધ કોન્સાઈઝ ઑકસફર્ડ ડિકશનરી'માં નીચે મુજબ અપાયો છે :"(verses) of burlesque form containing Latin (or other foreign) words & vernacular words with Latin etc. terminations”. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy