SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર : વ્યાકરણ P. પર્યાય-વ્યાકરણ કહો કે શબ્દશાસ્ત્ર કહો, શબ્દાગમ કહો કે શબ્દાનુશાસન કહો એ એક જ છે. એને અંગ્રેજીમાં ગ્રામર (grammar) કહે છે. “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અભિધાનચિત્તામણિ (કાંડ ૨, શ્લો. ૧૬૪–૧૬૫)માં વેદના નીચે મુજબ છ અંગો ગણાવ્યાં છે : (૧) શિક્ષા, (૨) કલ્પ, (૩) વ્યાકરણ, (૪) છંદ, (૫) જ્યોતિષ અને (૬) નિરુક્ત. વ્યાકરણની પ્રાચીનતા–ઉપર્યુક્ત અંગો પૈકી બીજા અને પાંચમા અંગો સિવાયનાં બાકીનાં ચારે તો ભાષાશાસ્ત્રને લગતાં છે. અને ત્રીજું અંગ તે વ્યાકરણ છે. આ ઉપરથી વ્યાકરણના પરામર્શની પ્રાચીનતાનો કંઈક ખ્યાલ આવી શકશે. ઋગ્વદમાં કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ નજરે પડે છે. બ્રાહ્મણ તરીકે ઓળખાવાતા ગ્રંથોમાં ગોપથ (૧-૨૪) વગેરેમાં વ્યાકરણને લગતી કેટલીક સંજ્ઞાઓનાં નામ જોવાય છે. જેમકે લિંગ, વચન, વિભક્તિ, આખ્યાત, કુવન્ત (કૃદન્ત) ઇત્યાદિ વિવિધ પ્રાતિશાખ્યો વ્યાકરણ-વિષયક કેટલીક માહિતી પૂરી પાડે છે. ઈ.સ. પૂર્વે ૬૦૦ કરતાં તો પહેલાં થઈ ગયેલા યાસ્કનું નિરુક્ત વ્યાકરણના ક્ષેત્રમાં એ સમયમાં થયેલા વિકાસ ઉપર વેધક પ્રકાશ પાડે છે. એમાં આપણને નામ, સર્વનામ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત વગેરે શબ્દો નજરે પડે છે. વાસ્કના સમય પહેલાં વ્યાકરણનું ક્ષેત્ર ખૂબ ખેડાયું હશે એમ લાગે છે, કેમકે એ આચાર્ય P ૧૦ પ્રાચ્ય’ અને ‘ઉદીચ્ય' એવી બે શાખાઓનો ભેદ દર્શાવતાં વીસેક આચાર્યોનાં નામ ગણાવે છે. એમાં શાકટાયન, ગાર્ગ્યુ અને શાકલ્પ એ નામો સુપ્રસિદ્ધ છે. આ શાકટાયને તો દરેક શબ્દની નિષ્પત્તિ ધાતુમાંથી માની છે. આમ આપણા દેશમાં વ્યાકરણનું ક્ષેત્ર ઓછામાં ઓછાં ચારેક હજાર વર્ષોથી ખેડાયું છે, અને જાતજાતનાં વ્યાકરણો રચાયાં છે. ઇન્દ્ર (ઐન્દ્ર) વ્યાકરણ– (લ.ઇ.સ. પૂર્વે ૧000) | [૧] પાણિનિકૃત અષ્ટા (અધ્યાય ૧, પાદ ૧, સૂ. ૧) ઉપરના મહાભાષ્ય (આહ્નિક ૧ પૃ. ૧૯, ચૌખંબા સિરિઝ)માં પતંજલિએ કહ્યું છે કે બૃહસ્પતિએ દિવ્ય સહસ્ત્ર વર્ષો સુધી પદે પદે કહેલા શબ્દોનું શબ્દ-પારાયણ કહ્યું અર્થાત્ એકેક શબ્દ છૂટો છૂટો કહ્યો. તૈત્તિરીયસંહિતા (૬-૪-૭)માં નીચે મુજબ ઉલ્લેખ છે : "वाग् वै पराच्यव्याकृताऽवदत् । ते देवा इन्द्रमब्रुवन् - રૂમાં નો વાવં વિતિ ...તામિદ્રો મધ્યતોવખ્ય ચરોત ' ૧. આમાં વર્ણોનું વિવેચન છે. ૨. આનો અર્થ ‘આચાર' થાય છે. ૩. આનો વિષય વ્યુત્પત્તિ છે. ૪. આ વૈદિક યાને છાંદસ વ્યાકરણોની કેટલેક અંશે ગરજ સારે છે. ૫. પ્રક્રિયાકૌમુદી (ભા. ૧, પૃ. ૭) પ્રમાણે આટલાં વર્ષ સુધી અભ્યાસ કરવા છતાં ઇન્દ્ર શબ્દ-પારાયણનો પાર પામી શક્યો નહિ. દ. જુઓ “આનંદાશ્રમ ગ્રંથાવલી” (ભાગ ૮), ગ્રથાંક ૪૨નું પૃ. ૪૧૧૯. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy