SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ આની વ્યાખ્યા સાયણાચાર્યે આપી છે. એને લક્ષ્યમાં લેતાં એમ કહી શકાય કે પુરાતન સમયમાં વાણી અવ્યાકૃત એટલે કે વ્યાકરણ સંબંધી પ્રકૃતિ, પ્રત્યય આદિ સંસ્કારોથી રહિત અખંડિત પદરૂપ બોલાતી હતી. દેવોએ (પોતાના રાજા) ઇન્દ્રને એને વ્યાકૃત એટલે પ્રકૃતિ, પ્રત્યય વગેરેના સંસ્કારવાળી બનાવવા કહ્યું. P ૧૧ ઇન્દ્રે એ ઉપરથી એ વાણી વચમાંથી તોડીને વ્યાકૃત બનાવી. આમ ઇન્દ્રે વ્યાકરણ રચ્યું. એને ઇન્દ્ર-વ્યાકરણ, ઐન્દ્ર-વ્યાકરણ તેમજ ઐન્દ્ર-તન્ત્ર તરીકે ઓળખાવાય છે. જેમ વ્યાકરણના પ્રથમ પ્રવક્તા તરીકે બ્રહ્માનો નિર્દેશ કરાય છે તેમ વ્યાકરણના આદિમ સંસ્કર્તા તરીકે ઉપર્યુક્ત ઇન્દ્રનો ઉલ્લેખ કરાય છે. આ ઇન્દ્રનો પરિચય શ્રી. યુધિષ્ઠિર મીમાંસકે સંસ્કૃત વ્યારશાસ્ત્ર જો ફતિહાસ નામના હિંદી પુસ્તક (ભા. ૧, પૃ. ૫૭– ૫૯)માં આપ્યો છે. અહીં એમણે કહ્યું છે કે આ ઇન્દ્ર વિક્રમથી સાડા આઠ હજાર (૮૫૦૦) વર્ષ પૂર્વે થઈ ગયા છે, પરંતુ આ સમય પરત્વે મતભેદ જોવાય છે. P ૧૨ ૬ કથાસરિત્સાગરમાં સૂચવાયા મુજબ ઉપર્યુક્ત ઇન્દ્ર-વ્યાકરણ ઘણાં સમયથી નાશ પામ્યું છે. જૈન શાકટાયન-વ્યાકરણ (૧-૨-૩૭)માં વૈયાકરણ ઇન્દ્રનો મત દર્શાવાયો છે. દિગંબર સોમદેવે રચેલા યશસ્તિલકચંપૂ (આશ્વાસ ૧, પૃ. ૯૦)માં આ ઇન્દ્ર-વ્યાકરણનો નિર્દેશ છે. ભટ્ટારક હરિશ્ચન્દ્રે ચરકની વ્યાખ્યામાં નીચે મુજબ કહ્યું છે .‘‘શાસ્ત્રપિ ‘અથ વર્ણસમૂહ: ' કૃતિ ઘેન્દ્રવ્યારાસ્ય | : ,, દુર્ગાચાર્યે નિરુક્ત-વૃત્તિ (પૃ. ૧૦)ના પ્રારંભમાં ઇન્દ્ર-વ્યાકરણનું એક સૂત્ર નીચે મુજબ ઉત્કૃત કર્યું છે :– ‘‘નૈ પડં ખાતમ્, યથા ‘અર્થ: પમ્’ ચૈાળામ્ ।'' આ ઐન્દ્ર વ્યાકરણને અંગે ચીની, ટિબેટીય અને ભારતીય સાહિત્યમાં જે જે ઉલ્લેખો મળે છે તેના સંગ્રહ તરીકે ડૉ. એ.સી. બર્નેલે નીચે મુજબના નામથી એક મોટો ગ્રંથ રચ્યો છે ઃ– On the Aindra School of Sanskrit Grammarians. [૨] ઐન્દ્ર વ્યાકરણ (ઈ. સ. પૂર્વે ૫૯૦)ની ઉત્પત્તિ-શ્વેતાંબરોની કેટલીક કૃતિઓમાં ઐન્દ્ર વ્યાકરણની ઉત્પત્તિનો પ્રસંગ આલેખાયો છે. એ સૌમાં પ્રાચીનતાની દૃષ્ટિએ આવસ્સય ઉપરની ભદ્રબાહુસ્વામીએ રચેલી નિષ્કુત્તિ (પત્ર ૧૮૨૨) અગ્રસ્થાન ભોગવે છે. આ ભદ્રબાહુસ્વામી તે ચતુર્દશ-પૂર્વધર યાને ‘શ્રુતકેવલી’ છે એમ જૈન પરંપરાનું માનવું છે અને એ પરંપરા અનુસાર એમનો સ્વર્ગવાસ વીરસંવત્ ૧૭૦માં થયો છે. આધુનિક કેટલાક વિદ્વાનોનો મત જુદો છે. તેમનું કહેવું એ છે કે આ તેમજ અન્ય નિજ્જુત્તિઓના કર્તા તો બીજા ભદ્રબાહુ છે અને એમનો સમય વિક્રમની પાંચમી શતાબ્દી છે. આવસ્ટયની નિજ્જુત્તિને અંગે કોઈ કોઈ એમ પણ કહે છે કે એનો અમુક ભાગ ‘શ્રુતકેવલી’ ભદ્રબાહુની રચના છે. ગમે તેમ પણ ઇન્દ્રવ્યાકરણ સંબંધી ઉલ્લેખ માટે તો ઉપર્યુક્ત નિજ્જુત્તિ જ સૌથી પ્રાચીન સાધન જણાય છે એટલે હું પ્રસ્તુત ભાગ અત્રે ઉધૃત કરું છું -- "सक्को य तस्समक्खं भगवंतं आसणे निवेसित्ता । सद्दस्स लक्खणं पुच्छे वाागरणं अवयवा इंदं ॥" આનો અર્થ એ છે કે શકે તેની (લેખાચાર્યની) સમક્ષ ભગવાન (મહાવીરસ્વામી)ને આસન ઉપર ૧. આ પુસ્તક પં. ભગવદ્યત્તજી તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત થયેલું છે.[એની બીજી આવૃત્તિ પણ પ્રકટ થઇ છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy