SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ : વ્યાકરણ : [પ્ર. આ. ૧૧-૧૪] બેસાડી શબ્દનું લક્ષણ પૂછ્યું. (ભગવાને) વ્યાકરણ (કહ્યું) (અર્થાત્ સ્પષ્ટીકરણ કર્યું) (કેટલાંક) અવયવો (લેખાચાર્યે ગ્રહણ કર્યા). (આ ઉપરથી) ઇન્દ્ર (ઐન્દ્ર) (વ્યાકરણ બન્યું). જિનદાસગણિએ રચેલી મનાતી આવસ્ટયની ચુણ્ણિ (ભા. ૧, પત્ર ૨૪૮) અને એ આવસ્ટયની હરિભદ્રસૂરિષ્કૃત ટીકા (પત્ર ૧૮૨અ) એ ઉપર્યુક્ત નિજ્જુત્તિ પછી અગ્ર સ્થાન ભોગવે છે. આ ચુણિમાં કહ્યું છે કે ‘ભગવાન (મહાવીરસ્વામી) આઠ વર્ષથી કંઈક અધિક ઉમ્મરના થયા ત્યારે એમણે સ્નાન કર્યું અને શ્વેત P ૧૩ વસ્ત્ર ધારણ કર્યું. એમના માતાપિતાએ એમને અલંકારાદિથી વિભૂષિત કર્યા અને એમને હાથી ઉપર બેસાડી ઠાઠમાઠથી પરિવારાદિ સહિત લેખાચાર્ય પાસે એઓ લઈ ગયા. એ લેખાચાર્યનું ખૂબ મોટું આસન માંડેલું હતું. (ત્રણ જ્ઞાનના ધારક પ્રભુને આ પ્રમાણે શિષ્યરૂપે લઈ આવેલા જાણી) શક્ર ઇન્દ્રનું આસન ચલિત થયું અને એ લેખાચાર્ય પાસે સત્વર આવ્યો. પછી એણે પેલા આસન ઉપર પ્રભુને બેસાડ્યા. પેલા લેખાચાર્ય પણ ત્યાં જ હતા. પણ શક્રે હાથ જોડીને (વ્યાખ્યારૂપે વ્યાકરણાર્થે ઉપોદ્ઘાત, પદ, પદાર્થ, ક્રમ, ગુરુલાઘવ, સમાસ, વિસ્તાર, સંક્ષેપ, વિષય, વિભાગ, આક્ષેપ તેમજ પરિહાર એ બાબતો) અકાર આદિના પર્યાય, ભંગ અને ગમ પૂછ્યા. ત્યારે પ્રભુએ એનું અનેક પ્રકારે વ્યાકરણ (સ્પષ્ટીકરણ) કર્યું. લેખાચાર્યે એ સાંભળ્યું. એ ઉ૫૨થી લેખાચાર્યને કેટલાક પદ-અર્થો સમજાયા. (એ ઉપરથી) ત્યારથી ઐન્દ્ર વ્યાકરણ ઉદ્ભવ્યું.’ મહત્તરા યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિએ આવસ્ટયની ટીકા (ભા. ૧, પત્ર ૧૮૨ અ)માં કહ્યું છે કે ‘શક્રે લેખાચાર્યની સમક્ષ ભગવાનને આસન ઉપર બેસાડી શબ્દનું લક્ષણ પૂછ્યું. ભગવાને એનું વ્યાકરણ કહ્યું - સ્પષ્ટીકરણ કર્યું. લૌકિક અને સામાયિક શબ્દોનું જે વડે સ્પષ્ટીકરણ કરાય તે ‘વ્યાકરણ’–‘શબ્દશાસ્ત્ર.’ એનાં કેટલાંક અવયવો ઉપાધ્યાયે (લેખાચાર્યે) ગ્રહણ કર્યાં. તે ઉપરથી ઐન્દ્ર વ્યાકરણ બન્યું. આમ એમણે પણ આની ઉત્પત્તિ ઉપ૨ મુજબ સૂચવી છે. ‘કલિ.’હેમચન્દ્રસૂરિએ પણ યોગશાસ્ત્ર (પ્ર. ૧, શ્લો. ૫૬-૫૮સ્વોપજ્ઞવિવરણ પત્ર ૩આ)માં ઐન્દ્ર વ્યાકરણની ઉત્પત્તિને અંગે ઉપ૨ મુજબ વિધાન કર્યું છે. આ ઐન્દ્ર વ્યાકરણ એ શક્રે પૂછેલા પ્રશ્નો, મહાવીરસ્વામીએ આપેલા ઉત્તરો અને લેખાચાર્યે કરેલી P. ૧૪ સંકલના એમ ત્રિવેણીના સંગમરૂપ છે. એની રચના ઈ. સ. પૂર્વે ૫૯૦માં થયેલી છે. જૈન પરંપરા અનુસાર રચાયેલા મનાતા આ ઐન્દ્ર વ્યાકરણને જ કેટલાકે જૈનેન્દ્ર-વ્યાકરણ કહ્યું છે. દા. ત. વિનયવિજયગણિએ પજ્જોસવણાકપ્પ (સુ. ૧૦૮) ઉપર સુબોધિકા નામની જે ટીકા વિ. સં. ૧૬૯૬માં રચી છે એમાં એમણે આને જૈનેન્દ્ર-વ્યાકરણ કહ્યું છે. આ ઐન્દ્ર વ્યાકરણ કઈ ભાષાનું હશે અને એ કઈ ભાષામાં રચાયું હશે તેનો કોઈ ઉલ્લેખ જણાતો નથી. મગધ (બિહાર)માં એ રચાયું હોવાથી એ સમયની સામાન્ય લોકોની કે શિષ્ટ જનોની ત્યાંની ભાષાને લગતું એટલે કાં તો માગધીનું કે કાં તો સંસ્કૃતનું એ વ્યાકરણ હશે, અને લેખાચાર્ય બ્રાહ્મણ હશે એટલે એ સંસ્કૃતમાં રચાયું હશે. આ વ્યાકરણ આજે લગભગ પંદર સૈકા થયાં તો મળતું નથી એટલે એ વિષે આટલું જ કહેવું બસ થશે. સદપાહુડ (શબ્દપ્રામૃત) (ઈ. સ. પૂર્વે ૫૫૭) દિટ્ટિવાય નામના બારમા અંગમાં ચૌદ પુર્વી છે, અને એ દરેક પુર્વીના વત્થ (વસ્તુ) નામે ઓછાવત્તા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy