SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ ઉણાદિનામમાલા-આ શુભશીલની કૃતિ છે. એમાં ઉણાદિસૂત્રો દ્વારા શબ્દોની સિદ્ધિ કરાઈ છે P ૯૦ કે કેવળ એ સૂત્રો દ્વારા સિદ્ધ થતા શબ્દોની સૂચી અપાઈ છે એમ બે પ્રશ્ન ફુરે છે. જો પ્રથમ પ્રશ્નનો ઉત્તર હકારમાં હોય તો આ વ્યાકરણને અંગેની કૃતિ ગણાય; નહિ તો એ ચોથા પ્રકરણમાં કોશ તરીકે એની નોંધ થવી ઘટે. ધાતુપારાયણ–ધાતુપાઠ' એ શબ્દશાસ્ત્રનું એક ઉપયોગી અંગ ગણાય છે. ક્રિયાની અર્થતાને ધારણ કરે તે ધાતુ' કહેવાય, કેમકે “ધાતુ એ ક્રિયાનો વાચક છે. ધાતુ એ શબ્દનું ઉત્પત્તિસ્થાન ગણાય છે. ધાતુઓનું સંપૂર્ણ નિરૂપણ તે ધાતુ-પારાયણ” કહેવાય. આ નામની કૃતિ “કલિ.” હેમચન્દ્રસૂરિએ રચી છે. એમાં એમણે સિ. હે.માં નિર્દેશાયેલા ધાતુઓને નીચે મુજબના નવ વર્ગમાં વિભક્ત કર્યા છે: સ્વાદિ, અદાદિ, દિવાદિ, સ્વાદિ, તુદાદિ, સુધાદિ, તનાદિ, ક્યાદિ અને ચુરાદિ. આ પ્રત્યેક વિભાગને ‘ગણ' કહે છે. આમ અહીં નવ ગણ છે. પહેલા ગણની કશી નિશાની રખાઈ નથી. બાકીના ગણો માટે અનુક્રમે કુ, ચ, ૮, ૮, ૫, યુ, શું અને શું નો ઉલ્લેખ છે. આમ અહીં ગણસૂચક આઠ અનુબંધ છે. P ૯૧ પ્રત્યેક ગણના ધાતુઓના સ્વરાન્ત અને વ્યંજનાન્ત એમ બે વિભાગ પાડી અનુક્રમે એનો નિર્દેશ કરાયો છે. સંસ્કૃતમાં કોઈ અકારાન્ત ધાતુ જણાતો નથી એટલે આકારાન્તથી શરૂઆત કરાઈ છે. અપવાદરૂપે “ભૂનો સૌથી પ્રથમ નિર્દેશ છે. આકારાન્ત ધાતુઓ અકારાદિ ક્રમે ન આપતાં એનો જે ક્રમથી સિ. હે. ની બૃહદ્રવૃત્તિમાં ઉલ્લેખ છે તે ક્રમથી નિર્દેશ કરાયો હોય એમ લાગે છે. બાકીના સ્વરાજો તેમજ વ્યંજનાન્ત ધાતુઓ માટે પણ આ શૈલી અપનાવાઈ છે. ધાતુઓનો ઉલ્લેખ કરતી વેળા યથાસ્થાન ગણસૂચક અનુબંધ ઉપરાંત પદ વગેરે સૂચક નિમ્નલિખિત અનુબંધો પણ અપાયા છે :૧. આ કૃતિનું સંપાદન જોહ કિર્સ્ટ દ્વારા કરાયું છે અને એ “એજયુકેશન સોસાયટીના મુદ્રણાલયમાં ભાયખાલામાં છપાવાઈ ઈ.સ. ૧૯૦૧માં પ્રકાશિત થયું છે. એમાં દસ ગણની વ્યવસ્થા રખાઈ છે. અંતમાં બે પરિશિષ્ટ છે. પ્રથમ પરિશિષ્ટમાં તમામ ગણના ધાતુઓ અકારાદિ ક્રમથી અપાયા છે, અને દ્વિતીય પરિશિષ્ટમાં શબ્દોની અકારાદિ કમે સૂચી છે. [ધાતુપારાયણનું વિવિધ હસ્તપ્રતોના આધારે સંશોધન મુનિ હર્ષવિજયએ શરૂ કરેલ તેનું અનેકવિધ પરિશિષ્ટો ઉમેરી મુનિ મુનિચન્દ્ર વિ. એ સંપાદન કર્યું છે. ગીરધરનગર જૈનસંઘ અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે.] ધાતુપારાયણ, એને અંગેના (વિ. સં. ૧૫૧૬ કરતાં અર્વાચીન નહિ એવા) ટિપ્પન, તેમજ કવ્વાદિ અને એના ટિપ્પન સહિત ઝગડિયા તીર્થની “રિખવદેવજી મહારાજની પેઢી” તરફથી ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત થયું છે. એના સંપાદક મુનિ દલવિજયજીએ મૂળ કૃતિના ટિપ્પનમાં ખૂટતા અંશોની પૂરતી કરી છે. ૨. સરખાવો સિ. હે. (અ. ૩, પા. ૩)નું તૃતીય સૂત્ર “ક્રિયાથે થાતુ: '' ૩. અંદાદિમાં ‘હુવાદિ'નો અંતર્ભાવ ન કરવાને મતે નવ ગણને બદલે દસ ગણ ગણાય. ૪. આ અપવાદમાં તેમજ અદાદિ ગણ પરત્વેના એવા અન્ય અપવાદોમાં વૃદ્ધ સંપ્રદાયનું અનુસરણ કારણરૂપ છે. વૃદ્ધોના મતે ભૂ' એ મંગળવાચક શબ્દ છે. ૫. ‘પદ'થી પરસ્મપદ, આત્મપદ અને ઉભયપદ એમ ત્રણ સમજવાનાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy