SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ (૩) "રાજનીતિ નીતિવાક્યામૃત (લ. વિ. સં. ૧૦૨૫) – આના કર્તા દિ. તાર્કિક કવિ સોમદેવસૂરિ છે. તેઓ દેવ” સંઘના યશોદેવના શિષ્ય નેમિદેવના શિષ્ય થાય છે અને મહેન્દ્ર ભટ્ટારકના અનુજ થાય છે. એમણે શકસંવત્ ૮૮૧ (વિ. સં. ૧૦૧૬)માં યશસ્તિલક-ચંપૂ નામની કૃતિ રચી છે. નીતિવાક્યામૃતની પ્રશસ્તિમાં યશોધર-ચરિત્રનો જે ઉલ્લેખ છે તે આ જ કૃતિ છે. વિશેષમાં આ ગ્રંથકારની (૧) ત્રિવર્ગ-મહેન્દ્રP ૨૬૨ માતલિ-સંકલ્પ, (૨) યુક્તિ-ચિન્તામણિ અને (૩) “ષષ્ણવતિ-પ્રકરણ એ ત્રણ કૃતિઓનો પણ અહીં નિર્દેશ છે પણ એકે હજી સુધી તો મળી આવી નથી. આ ઉપરાંત એમની કૃતિ તરીકે સ્યાદ્વાદોપનિષદ્ અને સૂક્તિ-સમુચ્ચય જેવી કૃતિઓ ગણાવાય છે. પં. નાથુરામ પ્રેમીના મતે કનોજના રાજા મહેન્દ્રને માટે યોજાયેલી આ નીતિવાક્યામૃત નામની કૃતિ ગદ્યમાં સૂત્રરૂપે રચાયેલા ૩૨ સમુદેશમાં વિભક્ત છે. એમાં રાજા અને રાજ્ય-શાસન સાથે સંબંધ ધરાવનારી પુષ્કળ માહિતી અપાઇ છે. આ “રાજનીતિને અંગેનો મહત્ત્વનો ગ્રંથ છે. આ પૂર્વે “મૌર્ય વંશના ચન્દ્રગુપ્તને માટે ચાણક્ય અર્થશાસ્ત્ર રચી આ વિષયનો આકર-ગ્રંથ પૂરો પાડ્યો છે. ત્યાર પછી કામંદકે એના સંક્ષેપરૂપે પદ્યમાં નીતિસાર રચ્યો છે. નીતિવાક્યામૃત (પૃ. ૩૬, ૧૦૭, ૧૭૧ (ઈ.) જોતાં જણાય છે કે એમાં વિષ્ણુગુપ્ત અને P ૨૬૩ ચાણક્યનો તેમજ એમના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ છે. વિવિધ નીતિકારો અને સ્મૃતિકારોના ગ્રંથોનો લાભ લઈ આ નીતિવાક્યામૃત રચાયું છે. ૧. આનો અંતર્ભાવ ચાર પુરુષાર્થ પૈકી અર્થ-પુરુષાર્થમાં કરાય છે. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૬૧). ૨. આ ગ્રંથ અજ્ઞાતકર્તૃક સંસ્કૃત ટીકા તેમજ એ ટીકાગત પદ્યાત્મક અવતરણોની સૂચી સહિત “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૨૨ તરીકે વિ. સં. ૧૯૭૯માં છપાયો છે. મૂળની એક સુંદર તાડપત્રીય હાથપોથી મળે છે. “સોમવેવસૂરિક્ષા નીતિવચામૃત” નામનો એ નાથુરામ પ્રેમીને મનનીય લેખ જૈ. સા. ઈ. (પૃ. ૬૧-૯૨)માં છપાયો છે. એ લેખ તે આ સટીક કૃતિની ભૂમિકા રૂપે હતો એનો અંશતઃ વિસ્તાર છે. ૩. મહેન્દ્ર અને એના સારથિ માતલિ વચ્ચેની ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ-પુરુષાર્થને અંગેની ચર્ચા સંવાદરૂપે આમાં રજૂ કરાઈ હશે. ૪. આ તર્કવિષયક ગ્રંથ હશે. પ. આ કૃતિમાં ૯૬ પ્રકરણ હોવાં જોઈએ પણ એના વિષય વિષે જાણવું બાકી રહે છે. ૬. જુઓ ઉપર્યુક્ત લેખના પરિશિષ્ટરૂપ શકસંવત્ ૮૮૮નું દાનપત્ર (પૃ. ૯૧). ૭. જુઓ એમનો “જૈ. સિ. ભા.” (ભા. ૧૧, અં. ૨)માં છપાયેલો લેખ “સોમવ ગોર મહેન્દ્રદેવ” ૮. આ વિષય યશસ્તિલક (આશ્વાસ ૩)માં પણ સારી રીતે ચર્ચાયો છે. ૯. તિલોયપણત્તિ પ્રમાણે મુકુટધારી રાજાઓ પૈકી જૈન દીક્ષા લેનાર તરીકે આ નૃપતિ અંતિમ છે. ૧૦.પૃથ્વીના લાભ અને એના રક્ષણ માટે જેટલાં અર્થશાસ્ત્રો પૂર્વાચાર્યોએ પ્રસ્થાપિત કર્યા છે પ્રાયઃ તે સર્વેનો સંગ્રહ કરી આ અર્થશાસ્ત્ર યોજાયું છે એમ એનાં પ્રારંભમાં કહ્યું છે. ૧૧. આની નીતિવાક્યામૃત સાથે તુલના માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૬૪-૬૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy