SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : છંદઃશાસ્ત્ર ઃ [પ્ર. આ. ૧૪૮-૧૫૧] ચોથા અધ્યાયમાં વિષમ વૃત્તના ત્રણ વર્ગો નામે (૧) ઉદ્ગીતા, (૨) દામાવા૨ા યાને પદચતુરૂર્ધ્વ P ૧૫૦ અને (૩) અનુટુમ્ વક્તનો વિચાર કરાયો છે. ૪. ૫-૭માં તમામ વર્ણ-વત્તોનું નિરૂપણ છે. લગભગ ૮૫ વૃત્તોને છ છ અક્ષરવાળાં ચાર ચરણોથી યુક્ત ‘ગાયત્રી’થી માંડીને ‘ઉત્કૃતિ’ સુધીના ૨૧ વર્ગમાં વિભક્ત કરી એનો અહીં વિચાર કરાયો છે. આ લગભગ ૮૫ વૃત્તો પૈકી ઓછામાં ઓછાં ૨૧ વૃત્તોની નોંધ પિંગલે કે કેદારે લીધી નથી. વળી પિંગલે વર્ણવેલાં વૃત્તો પૈકી સોળેકનો ઉલ્લેખ આ રત્નમંજૂષામાં જણાતો નથી. ૮૭ પાંચમા અધ્યાયના પ્રારંભમાં સમસ્ત વર્ણવૃત્તો સમાન, પ્રમાણ અને વિતાન એમ ત્રણ વર્ગમાં વિભક્ત કરાયા છે, પણ અ. ૫-૭માં અપાયેલાં તમામ વૃત્તો ‘વિતાન’ વર્ગના છે. એકવીસે વર્ગના વૃત્તોનું આવું વિભાજન અન્યત્ર-હૈમ છંદોડનુશાસનમાં યે જોવાતું નથી. એથી એ એની વિશિષ્ટતા ગણાય. આઠમા અધ્યાયમાં (૧) પ્રસ્તાર, (૨) નષ્ટ, (૩) ઉદ્વિષ્ટ, (૪) લગક્રિયા, (૫) સંખ્યાન અને (૬) અન્ એમ છ પ્રકારના પ્રત્યયોનું નિરૂપણ છે. ભાષ્ય—આના કર્તાનું નામ જાણવામાં નથી, પરંતુ એઓ જૈન છે એ વાત તો મંગલાચરણ ઉપરથી તેમજ આ ભાષ્યમાં અપાયેલાં કેટલાંક ઉદાહરણો વિચારતાં તરી આવે છે. લગભગ ૮૫ ઉદાહરણો પૈકી ૪૦ તે તે છંદના નામસૂચક છે. અભિજ્ઞાન-શાકુંતલ (અંક ૧, શ્લો. ૩૩), P. ૧૫૧ પ્રતિજ્ઞાયૌગંધરાયણ (૨, ૩) ઇત્યાદિ ઉષ્કૃત કરાયાં છે. ત્રણેક વાર ભાષ્યમાં સૂત્રકારનો ‘આચાર્ય’ તરીકે નિર્દેશ છે. અ. ૮ના અંતિમ ઉદાહરણમાં પુન્નાગચન્દ્રનો ‘ખંડમેરુ’ પ્રસ્તારના રચયિતા તરીકે ઉલ્લેખ છે. છંદોરત્નાવલી (લ. વિક્રમની ૧૩મી સદી)- આના કર્તા ‘વેણી-કૃપાણ’ અમચન્દ્રસૂરિ છે. એમણે આ ૭૦૦ શ્લોક જેવડી કૃતિ પિંગલાદિના આધારે રચી અને નવ અધ્યાયમાં વિભક્ત કરી એ દ્વારા નીચે મુજબના વિષયો ચર્ચ્યા છે - સંજ્ઞા, સમવૃત્ત, અર્ધસમવૃત્ત, વિષમવૃત્ત, માત્રાવૃત્ત, પ્રસ્તારાદિ, પ્રાકૃત છંદ, ઉત્સાહાદિ, ષટ્કદી, ચતુષ્પદી અને દ્વિપદી. આ કૃતિમાં અનેક ઉદાહરણો અપાયાં છે. એમાં પાઇય પદ્યો પણ ઘણાં છે. આ કૃતિનો ઉલ્લેખ ગ્રંથકારે જાતે પોતાની કાવ્યકલ્પલતાવૃત્તિમાં કર્યો છે. [આ અદ્યાવધિ અપ્રગટ છે.] છન્દોઽનુશાસન (લ. વિ. સં. ૧૩૫૦)- પાંચ અધ્યાયની આ કૃતિના કર્તા નેમિના પુત્ર વાગ્ભટ છે. એમણે પોતાના કાવ્યાનુશાસનની સ્વોપજ્ઞ ટીકા (પૃ. ૧૫)માં આનો ઉલ્લેખ કર્યો છે. પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાંડાગારીય ગ્રંથસૂચી (ભા. ૧, પૃ. ૧૧૭)માં આ છંદોડનુશાસનમાંથી અવતરણ અપાયું છે. આ કૃતિ ઉ૫૨ વાગ્ભટે જાતે વૃત્તિ રચી છે. [આ અપ્રગટ છે.] નંદિતાચ-વૃત્તિ—આનંદિયડુના ગાહાલક્ષણ ઉપરની રત્નચન્દ્રકૃત સંસ્કૃત વૃત્તિ છે. ૧. આનો વિસ્તારથી વિચાર પ્રો. વેલણકરે વિરહાંકકૃત વૃત્તજાતિસમુચ્ચય (૫-૬)ની પ્રસ્તાવનામાં કર્યો છે. જુઓ ઈ. સ. ૧૯૩૨માં છપાયેલ "JBBRAS" (Vol. 18). ૨-૩. જુઓ પા. ભા. સા. (પૃ. ૬૨-૬૪). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy