SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ || જયવીર સચ્ચઉરી મંડળ છે. | શ્રી સિદ્ધિ-ભદ્ર-વિલાસ-જનક-કાર | ડહં | | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | -ભટૂંકર-અરવિંદ-યશોવિજય-જિનચન્દ્રવિજયેભ્યો નમઃ || ITTER સંપાદકીય નિવેદન શ્રી હીરાલાલ કાપડિયા દ્વારા રચિત જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧નું પુનઃપ્રકાશન થઈ રહ્યું છે ત્યારે ઘણી હર્ષ થાય છે. ઇતિહાસનું આલેખન અતિ જટીલ કાર્ય છે. ત્રિપુટી મહારાજે ત્રીસથી ચાલીસ હજાર ગ્રંથો, લેખો, પ્રશસ્તિઓ આદિના અધ્યયન પછી જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧,૨,૩,૪ દ્વારા (વિ.સં. ૨૦૦૯ થી ૨૦૩૯ સુધીમાં) આચાર્યો, રાજાઓ, શ્રેષ્ઠિઓ આદિની પરંપરાને આલેખી છે. મોહનલાલ દલીચંદ દેસાઇએ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” લખી જૈન સાહિત્યકારોએ રચેલા ગ્રંથોની વિસ્તૃત નોંધ આપી છે. શ્રી હીરાલાલ કાપડિયાએ આ સાહિત્યમાંથી સંસ્કૃત ભાષામાં રચાયેલા સાહિત્યનો વિભાગવાર પરિચય આપ્યો છે. એમાં પણ આ પ્રથમ વિભાગમાં સાર્વજનીન સાહિત્યનો પરિચય આપ્યો છે. આ ગ્રંથ દ્વારા આપણને સંસ્કૃત વ્યાકરણ વગેરે વિષયોમાં જૈન ગ્રંથકારોએ કેટલા અને કેવા ગ્રંથો રચ્યા છે, એ ગ્રંથો કોના કોના દ્વારા ક્યારે સંપાદિત, સંશોધિત અને પ્રકાશિત થયા છે તે અને એ ગ્રંથોની વિશેષતા, અન્ય ગ્રંથો સાથે એની તુલના વગેરે શ્રી કાપડિયાએ આ ગ્રંથમાં આપી છે. કોઈ પણ ગ્રન્થ અને ગ્રન્થકાર કે પ્રકાશક વગેરેની વિગત સહેલાઇથી અભ્યાસીઓ મેળવી શકે માટે ગ્રંથકાર, લેખક, સંપાદક, સંશોધક વગેરેની અકારાદિ સૂચી પૃષ્ઠકો સાથે પ્રથમ પરિશિષ્ટમાં આપી છે. બીજા પરિશિષ્ટમાં ગ્રંથો, લેખો વગેરેની અકારાદિ સૂચિ આપી છે. આ બન્ને પરિશિષ્ટમાં ત્રણ વિભાગ દ્વારા શ્વેતાંબર (અને યાપનીય), દિગંબર અને અજૈન ગ્રંથ-ગ્રંથકારોની વિગતો જુદી જુદી આપી છે. ત્રીજા પ્રકીર્ણ નામોના પરિશિષ્ટમાં પ્રકાશકો અન્ય વ્યક્તિઓ વગેરેની અકરાદિ સૂચિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy