SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૦૭-૨૧૧] ૧૨૭ જ્યોતિસાર (લ. વિ. સં. ૧૩૭૦)- આના કર્તા જૈન ગૃહસ્થ ઠક્કર ફરુ છે." એમણે વિ. સં. ૧૩૭રમાં વસ્યુસાર-પયરણ રચ્યું છે. વળી એમણે દવ્ય-પરિખા (દ્રવ્ય-પરીક્ષા) અને રત્ન-પરીક્ષા નામની એકેક કૃતિ પણ રચી છે અને એને સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરી છે. સ્વોપણ વૃત્તિ- જ્યોતિસાર ઉપર પણ સ્વીપજ્ઞ વૃત્તિ છે. એ મૂળ કૃતિ સંસ્કૃતમાં છે કે પાઇયમાં તે જાણવું બાકી રહે છે. વૃત્તિ તો સંસ્કૃતમાં જ હશે. જ્યોતિસાર, જ્યોતિષસારસંગ્રહ યાને જ્યોતિષસારોદ્ધાર (લ. વિ. સં. ૧૬૬૦)- ચન્દ્રકીર્તિસૂરિ વિ. સં. ૧૬૩૦)ના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ આ કૃતિ રચી છે. એ ત્રણ પ્રકરણોમાં વિભક્ત છે. આ કૃતિને જ્યોતિષસારસંગ્રહ તેમજ જ્યોતિષસારોદ્વાર પણ કહે છે. હર્ષકીર્તિસૂરિએ પૃ. ૧૨૦માં ગણાવેલી ? ૨૧૦ કૃતિઓ ઉપરાંત ભક્તામર સ્તોત્ર અને લઘુશાન્તિસ્તોત્ર ઉપર તેમજ નિમ્નલિખિત પાઠય કૃતિઓ ઉપર પણ સંસ્કૃતમાં ટીકા રચી છે – અજિતસંતિય, ઉવસગ્ગહરથોત્ત અને નવકારમંત. જન્મપત્રિીપદ્ધતિ- આ નામની ચાર કૃતિઓ છે : (૧) હર્ષકીર્તિસૂરિકૃત, (૨) કલ્યાણનિધાનના શિષ્ય લબ્ધિચન્દ્રમણિએ વિ. સં. ૧૭૫૧માં રચેલી, (૩) મહિમોદયકૃત અને (૪) અજ્ઞાતકર્તક. આ ચાનો વિષય જન્મોત્રીને લગતો છે. માનસાગરી-પદ્ધતિ" (ઉ. વિક્રમની ૧૮મી સદી)- આ કૃતિનું નામ વિચારતાં એના કર્તાનું નામ માનસાગર હશે એમ લાગે છે. જો એમજ હોય તો પણ એ જાણવું બાકી રહે છે કે શું તેઓ બુદ્ધિસાગર શિષ્ય માનસાગર છે કે જીતસાગરના શિષ્ય માનસાગર છે કે અન્ય જ કોઈ છે ? આ પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ એ છે કે ખેમરાજ દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં પ્રારંભમાં કે અંતમાં ગ્રન્થકારના પરિચયરૂપ લખાણ નથી અને મારી સામે કોઈ વિશિષ્ટ સાધન નથી. આ પદ્યાત્મક કૃતિનો વિષય ફલાદેશ છે. એના પ્રારંભમાં આદિનાથ, પુંડરીક ગણધર, કૃષ્ણ અને પાર્શ્વનાથની તેમજ નવ ગ્રહોની સ્તુતિ કરાઈ છે. ત્યાર બાદ જન્મપત્રી બનાવવાની રીત દર્શાવાઈ છે, સંવત્સરનાં ૬૦ નામો, સંવત્સરો, યુગો, ઋતુ, માસ, પક્ષ, તિથિ, વાર અને જન્મલગ્નરાશિ ઇત્યાદિનાં ફળ, કરણ, દશા, અંતરદશા તથા ઉપદશાનાં વર્ષમાન, ગ્રહના ભાવ, યોગ, અપયોગ વગેરે બાબતો વિચારાઈ છે. પ્રસંગોપાત્ત જાતજાતની ગણનાની ? ૨૧૧ રીત રજૂ કરાઈ છે. કોઈ કોઈ સ્થળે (દા. ત. પત્ર ૩૪ અને ૧૮આમાં) હિન્દીમાં લખાણ છે. ૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૩૧). ૨. આ નામની બીજી પણ બે કૃતિ છે. જુઓ પૃ. ૨૦૮ અને ૨૦૯. 3. એમના પરિચય માટે જુઓ પૃ. ૧૨૦, ૨૦૯ અને ૨૧૦. ૪. આ કૃતિ ખેમરાજ કૃષ્ણદાસે વેંકટેશ્વર મુદ્રણાલયમાં ૧૦૩ પત્રમાં મોટાં બીબાંમાં છપાવી મુંબઈથી વિ. સં. ૧૯૬૧માં પ્રસિદ્ધ કરી છે. પત્ર ૬૪૪-૬૪આમાં નવ ગ્રહનાં તેમજ ગજચક્ર, યમદ્રષ્ટાચક્ર વગેરેનાં ચિત્ર અપાયાં છે. વળી દશા વગેરેને લગતાં કેટલાંક કોષ્ટકો પણ રજૂ કરાયાં છે. ૫. આની વિ. સં. ૧૮૧૩માં લખાયેલી એક હાથપોથી અહીંના (સુરતના) જૈનાનંદપુસ્તકાલયમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy