SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ સામુદ્રિક શાસ્ત્ર "સામુદ્રિક-તિલક (વિ. સં. ૧૨૧૬)- આના કર્તા જૈન ગૃહસ્થ જગદેવ (જગદેવ) છે અને એમણે સ્વપ્નશાસ્ત્ર પણ રચ્યું છે. એઓ ‘પરમહંત' કુમારપાલના મહત્તમ (મંત્રી) દુર્લભરાજના પુત્ર થાય છે. એ “પ્રાગ્વાટ' વંશના દુર્લભરાજ ગજપ્રબંધ ગજપરીક્ષા યાને હસ્તિપરીક્ષા, તુરંગ-પ્રબંધ, પુરુષ-સ્ત્રી-લક્ષણ તેમજ શકુન- (નિ ?)શાસ્ત્ર રચ્યાનું મનાય છે પણ એ અપ્રાપ્ય હોય એમ લાગે છે. શું પુરુષ-સ્ત્રી-લક્ષણ વ્યવસ્થિત સ્વરૂપે પદ્યમાં રચાયું નહિ હશે કે જેથી તેમના પુત્રે એ સમર્થિત કર્યું? P ૨૧૨ સામુદ્રિક-તિલક એ પુરુષ અને સ્ત્રીનાં લક્ષણોને રજૂ કરતી ૮00 આર્યામાં રચાયેલી કૃતિ છે. એ પાંચ અધિકારોમાં વિભક્ત કરાયેલી છે. એમાં અનુક્રમે ૨૯૮, ૯૯, ૪૬, ૧૮૮ અને ૧૪૯ પદ્યો છે. પ્રારંભમાં ઋષભદેવ અને બ્રાહ્મીની સ્તુતિ કરાઈ છે. ત્યાર બાદ સામુદ્રિક શાસ્ત્રની ઉત્પત્તિ સમુદ્રથી થઈ એમ કહી એની થોડીક રચના નારદે, લલ્લે, વરાહ (વરાહમિહિરે) માંડવ્યું અને કાર્તિકસ્વામીએ કરી એવો નિર્દેશ કરાયો છે. પ્રથમ અધિકારમાં પગના તળિયાથી માંડીને માથાના વાળ સુધીનું વર્ણન છે અને સાથે સાથે એનું ફળ દર્શાવાયું છે. જેમકે અમુક પ્રકારનું પગનું તળિયું હોય તો રાજસંપત્તિ મળે. બીજા અધિકારમાં ક્ષેત્રના સંહતિ, સાર વગેરે આઠ પ્રકારનું તેમજ પુરુષનાં ૩૨ લક્ષણોનું નિરૂપણ છે. ત્રીજા અધિકારમાં આવર્ત (ભમરી), ગતિ (ચાલ), છાયા (કાંતિ), સ્વર (અવાજ) ઇત્યાદિ વિષે વિચાર કરાયો છે. ૧. આ તેમજ હસ્તસંજીવન, સામુદ્રિક શાસ્ત્ર, હસ્તકાંડ અને (પાઇયમાં) અર્ધચૂડામણિસાર એમ પાંચ ગ્રંથો ગુજરાતી અનુવાદ સહિત જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો એ નામથી શ્રી સારાભાઈ મણિલાલ નવાબે ઇ.સ. ૧૯૪૭માં પ્રસિદ્ધ કર્યા છે. એમાં વિસ્તૃત વિષયસૂચી અપાઈ છે. આ પૂર્વે સામુદ્રિકતિલક (?) હિંદી ભાષાંતર સહિત “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી અને એ કૃતિ મરાઠી અનુવાદ સહિત શ્રી. રઘુનાથ શાસ્ત્રી પટવર્ધન તરફથી છપાવાઈ હતી. ૨. એઓ ભીમદેવ નૃપતિના અમાત્ય વાહિલ્લના (જૈ. સા. સં. ઇ.ના પૃ. ૨૭૭ પ્રમાણે તો જાહિલના) પુત્ર રાજપાલના પૌત્ર અને નૃસિંહના પુત્ર થાય છે. આ દુર્લભરાજે પુરુષ-સ્ત્રી-લક્ષણ નામનો જે ગ્રંથ રચ્યો તેને એમના પુત્ર જગદેવે સમર્થિત કર્યો (? પદ્યમાં ઉતાર્યો) આ પદ્યાત્મક કૃતિ તે જ પ્રસ્તુત સામુદ્રિકતિલક હોય એમ એની પ્રશસ્તિ જોતાં જણાય છે. આ અનુમાન સાચું ન હોય તો એમના (જગદેવના) પિતા આ ગ્રંથના પ્રણેતા ગણાય. જૈ. સા. સં. ઇ. (પૃ. ૨૭૭)માં દુર્લભરાજને પ્રસ્તુત કૃતિના પ્રણેતા કહ્યા છે અને પૃ. ૨૭૮માં આ કૃતિ એમણે વિ. સં. ૧૨૧૬માં રચ્યાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ મુદ્રિત કૃતિમાં તો રચનાવર્ષ નથી. ૩. દિ. જિનસેને શકસંવત્ ૭૦૫માંરચેલા હરિવંશપુરાણના સર્ગ ૨૩ (શ્લો૦ ૫૫-૧૦૭)માં પુરુષનાં લક્ષણો અને એ સર્ગ (શ્લો. ૮૫-૯૭)માં કરલક્ષણ અને એની સાર્થકતા વિષે નિરૂપણ કર્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy