SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર : પ્રિ. આ. ૧૪૧-૧૪૪] ૮૩ છન્દ શાસ્ત્ર (લ. વિ. સં. ૧૦૮૦)- આના કર્તા વિ. સં. ૧૦૮૦માં બુદ્ધિસાગર વ્યાકરણ P ૧૪૩ રચનારા બુદ્ધિસાગરસૂરિ છે એમ ગુણચન્દ્રમણિએ વિ. સં. ૧૧૩૯માં પૂર્ણ કરેલા મહાવીરચરિયની પ્રશસ્તિ (શ્લો. ) જોતાં જણાય છે પણ આ છન્દ શાસ્ત્ર સંસ્કૃતમાં છે કે કેમ તે જાણવું બાકી રહે છે. બાકી ઉપર્યુક્ત ઉલ્લેખનું સમર્થન કરનારું સાધન મળે છે અને એ તો વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦માં રચેલી મનોરમાકહાની પ્રશસ્તિ છે. આ છંદ શાસ્ત્ર ગમે તે ભાષામાં હોય પણ એ વિ. સં. ૧૦૮૦ની આસપાસની રચના હોય એમ લાગે છે, અને જો ઉપર્યુક્ત જયકીર્તિનો સમય ઈ. સ. ૧૦૦૦ની લગભગનો હોય તો તેમનું છંદોડનુશાસન પણ લગભગ આ સમયનું હશે. આમ બે કૃતિઓ પ્રાયઃ સમકાલીન હશે. છંદ શેખર (ઉ. વિ. સં. ૧૧૭૯)- આના કર્તા રાજશેખર છે. એમના કથન મુજબ એઓ ઠક્કર દુદક અને નાગદેવીના પુત્ર થાય છે અને યશના પુત્ર લાહરના એઓ પૌત્ર છે. આ કૃતિ ભોજદેવને પ્રિય હોવાનું અહીં કહ્યું છે. આની એક હાથપોથી વિ. સં. ૧૧૭૯માં લખાયેલી મળે છે. આ કૃતિનું પાંચમું પ્રકરણ સંસ્કૃતમાં છે અને એમાં ઉત્સાહથી માંડીને દ્વિપદી સુધીના “અપભ્રંશ” છંદોનું નિરૂપણ છે. આ કૃતિને અંગે પ્રો. વેલણકરે “Chandass'ekhara of Rajas'ekhara” નામનો લેખ લખ્યો છે. સમાનનામક કૃતિ-જયશેખરે છંદ શેખર રચ્યાનો ઉલ્લેખ મળે છે પણ એમને વિષે કે એમની આ કૃતિ વિષે વિશેષ માહિતી મને મળી નથી. આથી જો આ જયશેખર તે જૈનકુમારસંભવના કર્તા અંચલગચ્છીય જયશેખર જ હોય તો એમનો પરિચય આગળ ઉપર મેં આપ્યો છે. છન્દોડનુશાસન (લ. વિ. સં. ૧૨૧૦)- આ નામ એના કર્તા કલિ.” હેમચન્દ્રસૂરિએ આદ્ય = ૧૪૪ મંગલશ્લોકમાં આપ્યું છે. સાથે સાથે એમણે આ કૃતિ શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન બાદ રચાઈ છે અને એમાં કાવ્ય માટે ઉપયોગી છંદોનું નિરૂપણ છે એ વાત કહી આના પછી સૂત્રરૂપે છંદ શાસ્ત્રની યોજના કરી છે. હૈમ કાવ્યનુશાસન (અ. ૩, સૂ. ૫) ઉપરની અલંકારચૂડામણિ નામની સ્વોપજ્ઞ વૃત્તિ (પૃ. ૨૧૪)માં પ્રસ્તુત છંદોડનુશાસન જોવાની ભલામણ કરાઈ છે. ૧, આ લેખ “JBBRAS" (Vol. 22)માં ઈ. સ. ૧૯૪૬માં છપાયો છે. ૨. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત દેવકરણ મૂલચંદ્ર (મૂળજી) તરફથી ઈ. સ. ૧૯૧૨માં છપાવાઈ છે. એનું સંપાદન ‘આગમોદ્ધારક' આનંદસાગરસૂરિજીએ મુનિ-અવસ્થામાં કર્યું છે. એમણે સંસ્કૃતમાં નાનકડી પ્રસ્તાવના લખી છે. એના પછી ભરતના મતે તેમજ અન્ય છંદ શાસ્ત્રીઓના મતે છંદોનાં જે નામાંતર “કલિ.” હેમચન્દ્રસૂરિએ આપ્યાં છે. તેની નોંધ લીધી છે. અ. પમાં “પ્રાયોડપભ્રંશ' એવું સૂત્ર પ્રારંભમાં નોંધાયું નથી, જો કે એ હોવું જોઈએ એમ એની સ્વોપજ્ઞ વૃતિ જોતાં જણાય છે. [સીંધી ગ્રંથમાળામાં છંદોડનુશાસન છપાયું છે.] . પ્રો. હરિ દામોદર વેલણકરે ચોથા અધ્યાયના ઉત્તરાર્ધથી-ગીતિના લક્ષણથી માંડીને તે સાતમા અધ્યાયના અંત સુધીનો ભાગ સ્વોપજ્ઞ વૃત્તિ તેમજ પર્યાય સહિત સંપાદિત કર્યો છે (પરંતુ ઉદાહરણોના મૂળ સૂચવ્યાં નથી). એ ભાગ બે કટકે "JBBRAS" ના Vol. 19 અને Vol. 20 માં અનુક્રમે ઈ.સ. ૧૯૪૩ અને ૧૯૪૪માં પ્રકાશિત થયો છે. આના અનુસંધાનરૂપ લેખ આ સામયિક (Vol. 22) માં ઈ.સ. ૧૯૪૬માં છપાયો છે. એ દ્વારા “પ્રાકૃત અને અપભ્રંશ છંદોની સૂચી અપાઈ છે. 3. ખરી રીતે એની સ્વોપજ્ઞ વૃત્તિની - અ. ૧, સૂ. ૧૫ની વૃત્તિની ભલામણ છે. આથી એમ કહી શકાય કે “કલિ.” હેમચન્દ્રસૂરિ વૃત્તિનો મૂળને નામે ઉલ્લેખ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy