SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૪૧ P ૧૪૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ પૃ. ૬૬માં ચોવીસ માટે ‘જિન’ સંજ્ઞા વપરાઈ છે. સંજ્ઞાધિકા૨ના નામના પહેલા અધિકારના શ્લો. ૨૨માં ‘કર્ણાટક'નો અને પૃ. ૬૬માં ‘કર્ણાટ'નો તેમજ ‘કર્ણાટક'નો ઉલ્લેખ છે. પૃ. ૬૭માં કર્ણાટમાલતીમાધવ અને કર્ણાટ-કુમારસંભવનો પૃ. ૬૬માં શૃંગારપિંડ કાવ્યનો ઉલ્લેખ છે. ૮૨ જયકીર્તિએ અ. ૧, શ્લો. ૧૩માં કહ્યું છે કે પિંગલ, વસિષ્ઠ, કૌણ્ડિન્ય, કપિલ અને કંબલ મુનિ યતિ ઇચ્છે છે, જ્યારે ભરત, કોહલ, માંડવ્ય, અશ્વતર, સૈતવ વગેરે એ ઇચ્છતા નથી. જયકીર્તિનું છંદોડનુશાસન એ સંસ્કૃત છંદઃશાસ્ત્રને લગતો એક મહત્ત્વનો ગ્રન્થ છે. એનું સ્થાન કાલક્રમ અને વિકાસની દૃષ્ટિએ કેદારના વૃત્તરત્નાકર અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના છંદોડનુશાસનની વચ્ચે છે એમ પ્રો. વેલણકરનું કહેવું છે. એમણે એમની પ્રસ્તાવના (પૃ. ૩૭-૩૮)માં જયકીર્તિનો સમય ઈ. સ. ૧૦૦૦ની આસપાસનો દર્શાવ્યો છે અને તેને માટે એ કારણ આપ્યું છે કે ઈ. સ.ની દસમી સદીના પૂર્વાર્ધમાં ઈ. સ. ૯૫૦ના અરસામાં થઈ ગયેલા અસગ વગેરે વિષે જયકીર્તિએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે (જુઓ અ. ૭, પૃ. ૬૭). ધમ્મોવએસમાલા ઉપર વિ. સં. ૯૧૫માં વિવરણ રચનારા જયસિંહસૂરિના શિષ્ય અને ૧૧૬ ગાથામાં જ. મ.માં સીલોવએસમાલા રચનારનું નામ જયકીર્તિ છે. શું આ પ્રસ્તુત છંદઃશાસ્ત્રી છે ? જોઈદુ (યોગીન્દુ)કૃત યોગસારની હાથપોથી વિ. સં. ૧૧૯૨માં જેઠ સુદ તેરસે લખાઈ છે. એ લખાવનાર જયકીર્તિસૂરિના શિષ્ય અમલકીર્તિ છે એમ નિમ્નલિખિત પદ્ય જોતાં જણાય છે - 'श्रीजयकीर्तिसूरीणां शिष्येणामलकीर्तिना । लेखितं योगसाराख्यं विद्यार्थिधामकीर्तिना ।।'” જો અહીં નિર્દેશાયેલા જયકીર્તિ તે જ પ્રસ્તુત છંદઃશાસ્ત્રી હોય તો એમના શિષ્યનું નામ અમલકીર્તિ હતું એમ આપણે કહી શકીએ. ચિતોડગઢનો એક શિલાલેખ વિ. સં. ૧૨૦૭માં લખાયેલો છે. એમાં અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ'श्रीजयकीर्तिशिष्येण दिगंबरगणेशिना । प्रशस्तिरीदृशीचके... श्रीरामकीर्तिना संवत् १२०७ सूत्रधा.... ?'४ આ ઉપરથી એમ કહી શકાય કે દિ. જયકીર્તિને રામકીર્તિ નામે શિષ્ય હતા. અહીં આપેલો સંવત્ વૈક્રમીય હોય તો આ જયકીર્તિનો સમય વિ. સં. ૧૧૯૦ની અર્થાત્ ઈ. સ. ૧૧૩૪ની આસપાસનો ગણાય. છંદઃશાસ્ત્રી જયકીર્તિનો સમય પ્રો. વેલણકરને મતે ઈ. સ. ૧૦૦૦ની આસપાસનો છે. આ બાબત સાચી જ નીકળે તો છંદઃશાસ્ત્રી જયકીર્તિ શિલાલેખમાં નિર્દેશાયેલા દિ. જયકીર્તિથી ભિન્ન ઠરે; બાકી છંદઃશાસ્ત્રીનો સમય સો વર્ષ જેટલો અર્વાચીન ઠરે એટલે કે ઈ. સ. ૧૧૦૦નો ઠરે તો આ બંને એક હોવાની કલ્પના કરી શકાય. 44 .. ૧-૨. માંડવ્યનો તેમજ કૌકિ, તંડિ ્ યાસ્ક, કાશ્યપ, સૈતવ અને રાટનો ઉલ્લેખ પિંગલે કર્યો છે. જુઓ M. Krishnamachariari ya History of Classical Sanskrit Literature (p. 902) ૩. જુઓ ‘‘અનેકાન્ત’(વ. ૧, કિ. ૬-૭, પૃ. ૩૨૯)ગત પં. નાથુરામ પ્રેમીના લેખ ઉપરનું સંપાદકીય ટિપ્પણ તેમજ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૬). ૪. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૬). ૫. જુઓ ઉપરનો પેરેગ્રાફ ૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy