SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ [24] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ-૧ જે ગ્રંથ જોવો હોય તે તરત ઘરમાં હાજર હોય. એમનો ગ્રંથસંગ્રહ વિશાળ હતો. તેઓ સવારે સાડાનવથી દસ વાગ્યા સુધીમાં જમી લેતા અને પછી વાંચવા-લખવા બેસી જતા. એક સાથે ઘણાં પુસ્તકોનાં સંદર્ભ જોવાના હોય એટલે તેઓ પલંગમાં ઈસ્કોતરો રાખી તેના પર લખતા અને પોતાની આજુબાજુ જરૂરી પુસ્તકો રહેતાં લેખના વિષય પ્રમાણે પુસ્તકો બદલાતાં. એમનાં પત્ની અને સંતાનો તેઓ મંગાવે તે પુસ્તક અભરાઈ કે કબાટમાંથી કાઢી લાવતા. હીરાલાલભાઈ સ્ટીલની ટાંકવાળા હોલ્ડરથી, ખડિયામાં તે બોળી બોળીને લખતા. તેઓ બજારમાંથી લાલ, ભૂરી, કાળી શાહીની ટીકડીઓ લાવી હાથે શાહી બનાવીને મોટા ખડિયામાં ભરી લેતા. તેમણે જિંદગીભર હોલ્ડરથી જ લખ્યું છે. ઈન્ડિપેનની શોધ થયા પછી પણ તેમણે હોલ્ડરથી જ લખવાનું ચાલું રાખ્યું હતું. લખતી વખતે તેઓ પાસે ચણા-દાળિયા રાખતા. લખતાં થાક લાગે ત્યારે વચ્ચે તે ખાઈ લેતા. લખવા માટે તેઓ નવા કોરા કાગળ અનિવાર્ય હોય ત્યારે જ વાપરતા. એકંદરે તો ગાંધીજીની કરકસરની ભાવનાથી પ્રભાવિત થયેલા એટલે છાપેલા કાગળોની પાછળની કોરી બાજુમાં પોતાના લેખ લખતા. કેટલીક વાર તેઓ ટપાલમાં આવેલી નિમંત્રણ પત્રિકાઓ ઈત્યાદિના કોરા હાંસિયામાં મુદા ટપકાવી લેતા અને પીન ભરાવીને રાખતા. એ જમાનામાં અંગ્રેજીમાં લખાયેલા સંશોધનલેખો પ્રકાશિત કરવા માટે માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારતમાં ખાસ કોઈ સામાયિકો નહોતાં. બહુધા એવા વિદ્વદ્ભોગ્ય સંશોધન લેખો યુનિવર્સિટીઓનાં જર્નલોમાં છપાતા. યુનિવર્સિટીઓમાં સંશોધન દાન (Research Grant)ની વ્યવસ્થા હતી. ભિન્ન ભિન્ન પ્રકારની શિષ્યવૃત્તિઓ પણ એ માટે અપાતી. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા અને જૈન સાહિત્યના વિષયોમાં અંગ્રેજી ભાષામાં સંશોધન લેખો લખનાર વિદ્વાનો ત્યારે ગુજરાતમાં જૂજ હતા એટલે એ વિષયમાં હીરાલાલભાઈને મુંબઈ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ કે સંશોધન દાન મળતાં. એ માટે તેઓ વિવિધ વિષયો તૈયાર કરતા. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં તેઓ ભણાવતા હતા તે દરમિયાન તથા એ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે કેટલુંક લેખનકાર્ય મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે કર્યું હતું. હીરાલાલભાઈએ સંશોધનદાનની યોજના હેઠળ ભિન્ન ભિન્ન સમયે નીચે પ્રમાણે અંગ્રેજીમાં સંશોધનગ્રંથો તૈયાર કર્યા હતા, જે યુનિવર્સિટીએ અથવા અન્ય કોઈ સંસ્થાએ પ્રકાશિત કર્યા હતા.. (1) The Jain Mathematics. (2) Outlines of Paleography. (3) The Jain System of Education. (4) The Doctrine of Ahimsa in the Jain Canon. (5) Reconstruction of Ardhamagadhi Grammar. (6) A History of the Canonical Literature of the Jainas. | મુંબઈ યુનિવર્સિટીએ હીરાલાલભાઈને વખતોવખત સંશોધનદાન આપ્યું હતું. એ દર્શાવે છે કે યુનિવર્સિટીની એ વિષયની સમિતિને એમના સંશોધનકાર્યથી પૂરો સંતોષ થયો હતો. એમનું સંશોધનકાર્ય અભ્યાસનિષ્ઠ, પ્રમાણભૂત, તટસ્થ અને નાની નાની જાણવા જેવી ઘણી બધી વિગતોથી સભર હતું. - હીરાલાલભાઈએ આ રીતે ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી એમ.ટી.બી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમની સજ્જતા એવી હતી કે યુનિવર્સિટીએ પછીથી એમની પીએચ.ડી.ના ગાઈડ તરીકે નિમણૂંક કરી હતી. તદુપરાંત ‘સ્પ્રિન્જર સ્કોલરશીપ'ના રેફરી તરીકે એમની નિમણૂક કરી હતી. જે એ દિવસોમાં ઘણું મોટું માન ગણાતું. યુનિવર્સિટી પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાના વિષયમાં પણ એમ.એ.ની કક્ષાએ પરીક્ષક તરીકે એમની નિમણૂંક કરતી હતી. શિક્ષણ ક્ષેત્રે તેઓ કેવું ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તે આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy